Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ

આપણા દેશમાં સોના-ચાંદીની ખરીદી અક્ષય તૃતીયના થોડા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પરંતુ આ શોપિંગ સીઝનમાં સોનાની શુદ્ધતા શોધવી પણ ખૂબ જ જરૂરી છે.  અક્ષય તૃતીયના અવસર પર દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે.

Akshaya Tritiya 2022 : તમે ખરીદેલું સોનુ શુદ્ધ છે તેની ખાતરી કેવી રીતે કરશો? જાણવા વાંચો અહેવાલ
Akshaya Tritiya 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 7:20 AM

3 મે મંગળવારના રોજ દેશભરમાં અક્ષય તૃતીય(Akshaya Tritiya 2022)ની ઉજવણી કરવામાં આવશે. અક્ષય તૃતીય પર સોનું, ચાંદી અથવા હીરા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, મોટાભાગના લોકો આ શુભ અવસર પર સોનું ખરીદવાનું પસંદ કરે છે. અક્ષય તૃતીયના દિવસે ગ્રાહકોને રીઝવવા માટે માત્ર મોટા સ્ટોર્સ જ નહીં પરંતુ નાના વેપારીઓ પણ સોના અને ચાંદીની ખરીદી પર જબરદસ્ત ઑફર્સ આપે છે. આ જ કારણ છે કે  લોકો અક્ષય તૃતીય પર સોનું અને ચાંદી ખરીદવા આકર્ષાય છે અને ખરીદી કરે છે. જો તમે પણ અક્ષય તૃતીયના અવસર પર સોનું ખરીદવા જઈ રહ્યા છો અથવા તાજેતરમાં સોનું ખરીદ્યું છે તો તમે ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા તેની શુદ્ધતા ચકાસી શકો છો.

તમે ઘરે બેઠા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

આપણા દેશમાં સોના-ચાંદીની ખરીદી અક્ષય તૃતીયના થોડા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. પરંતુ આ શોપિંગ સીઝનમાં સોનાની શુદ્ધતા શોધવી પણ ખૂબ જ જરૂરી છે.  અક્ષય તૃતીયના અવસર પર દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં લોકો પાસે તેની તપાસ કરવા માટે પૂરતો સમય નથી અને છેતરપિંડી કરનારા દુકાનદારો આવી તકોનો લાભ લઈ ગ્રાહકોને ભેળસેળ કે નકલી સોનું વેચે છે. આવી સ્થિતિમાં જો તમને તમારા સોના વિશે શંકા છે અને તમે તેની શુદ્ધતા તપાસવા માંગો છો તો તમે BIS કેર એપ્લિકેશન દ્વારા તમારા સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.

BIS Care App નો ઉપયોગ કેવી રીતે કરવો

  • તમારા મોબાઈલ ફોનના એપ સ્ટોર પર જઈને BIS Care App ડાઉનલોડ કરો અને જરૂરી વિગતો ભરીને લોગીન કરો.
  • એપમાં લોગ ઈન કર્યા પછી ‘Varify HUID’ પર ક્લિક કરો. હવે એપમાં એક નવું પેજ ખુલશે જ્યાં તમને 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ દાખલ કરવાનું કહેવામાં આવશે.
  • હવે તમારે તે બોક્સમાં તમારા દાગીના પર લખેલો 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ નાખવો પડશે. તમારા દાગીના પર લખેલા નંબરના છેલ્લા 6 અંક HUID છે જેમાં અંગ્રેજી અક્ષરો અને કેટલાક નંબરો પણ સામેલ છે.
  • આ બોક્સમાં તમે 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ સબમિટ કરતાની સાથે જ તમને તમારા દાગીનાની સંપૂર્ણ વિગતો મળી જશે.

BIS કેર એપની એક ખાસ વિશેષતા એ છે કે જો તમે તમારી જ્વેલરીની શુદ્ધતાથી સંતુષ્ટ નથી તો તમે આ એપ દ્વારા જ ફરિયાદ પણ નોંધાવી શકો છો. ધારો કે તમે દુકાનમાંથી 24 કેરેટનો સોનાનો સિક્કો ખરીદ્યો છે. પરંતુ જ્યારે તમે તેની શુદ્ધતા તપાસી તો ખબર પડી કે તે માત્ર 22 કેરેટ છે. આવી સ્થિતિમાં, તમે BIS કેર એપની ફરિયાદ પર ક્લિક કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો : Akshaya Tritiya 2022: સેફગોલ્ડે 10 ગ્રામ Gold Coin જાહેર કર્યા, એક ક્લિકમાં ખરીદો 24 કેરેટ સોનું

આ પણ વાંચો :  Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર ભૌતિક સોનું ખરીદવું, કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું? જાણો શેમાં ફાયદો થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">