AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના માટે અદાણી ગ્રુપ જવાબદાર છે? આ બાબતે અદાણી ગ્રુપે કર્યો ખુલાસો

આ અંગે અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, તેઓના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોકો તેમનું નામ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. જેની અમે નિંદા કરીએ છીએ. અદાણી ગૃપે કહ્યું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અદાણી ગ્રૂપ અથવા તેની કોઈપણ પેટાકંપની ટનલના નિર્માણકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી નથી.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના માટે અદાણી ગ્રુપ જવાબદાર છે? આ બાબતે અદાણી ગ્રુપે કર્યો ખુલાસો
Uttarkashi Tunnel Accident
| Updated on: Nov 27, 2023 | 8:06 PM
Share

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના માટે અદાણી ગ્રુપ જવાબદાર છે? આ દાવા વચ્ચે અદાણી ગ્રુપે સોમવારે એક સ્પષ્ટતા જાહેર કરી હતી. 12 નવેમ્બરમા રોજ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે બચાવકર્મીઓ છેલ્લા 16 દિવસથી પ્રયત્નો કરી રહ્યા છે. આ ઘટના બાદથી સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા હતા કે, ટનલ બનાવનાર કંપનીના માલિક અદાણી ગ્રુપ છે.

અદાણી ગ્રુપે કર્યો ખુલાસો

આ અંગે અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે, તેઓના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક લોકો તેમનું નામ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. જેની અમે નિંદા કરીએ છીએ. અદાણી ગૃપે કહ્યું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે અદાણી ગ્રૂપ અથવા તેની કોઈપણ પેટાકંપની ટનલના નિર્માણકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલી નથી. કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે એ પણ સ્પષ્ટતા કરીએ છીએ કે ટનલના નિર્માણ સાથે સંકળાયેલી કંપનીમાં અમારી પાસે કોઈ હિસ્સો નથી.

ટનલ દુર્ઘટનાને લઈ અદાણી ગ્રુપની ટીકા

ઉત્તરકાશી ટનલ ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે. તેનું નિર્માણ હૈદરાબાદની નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપની સી.વી. રાવ દ્વારા પ્રમોટ કરાયેલા નવયુગ ગ્રૂપનો એક ભાગ છે. અદાણી ગ્રૂપ સાથે તેની કોઈ સંબંધ નથી. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા યુઝર્સે ટનલ દુર્ઘટનાને લઈ અદાણી ગ્રુપની ટીકા કરી રહ્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કરી ટિપ્પણી

આ પહેલા ભાજપના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા કહ્યું હતું કે, ઉત્તરાખંડની આ ટનલ કઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી હતી? જ્યારે તે તૂટી ત્યારે તેના શેરધારકો કોણ હતા? શું અદાણી ગ્રુપ તેમાંથી એક હતું?

આ પણ વાંચો : ઉત્તરકાશી: ટનલમાં હવે મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવશે, છેલ્લા 16 દિવસથી ફસાયા છે 41 મજૂર, જુઓ વીડિયો

આ સિવાયની એક પોસ્ટમાં સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, જો તમે 15 દિવસ સુધી સુરંગમાં ફસાયેલા મજૂરો સુધી ન પહોંચી શકો તો ચંદ્ર પર પહોંચવાનો શું ફાયદો?

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">