86 આંતરરાષ્ટ્રીય, 350 ડોમેસ્ટીક, કુલ 4500 મુસાફરો… અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમના કારણે જામનગર એરપોર્ટના તૂટ્યા તમામ રેકોર્ડ

|

Mar 04, 2024 | 1:11 PM

ગુજરાતનું જામનગર એરપોર્ટ એક નાનું એરપોર્ટ છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહને કારણે, AAIએ આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

86 આંતરરાષ્ટ્રીય, 350 ડોમેસ્ટીક, કુલ 4500 મુસાફરો... અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેરેમના કારણે જામનગર એરપોર્ટના તૂટ્યા તમામ રેકોર્ડ
Anant Ambani-Radhika Merchant pre wedding

Follow us on

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ચર્ચામાં છે. ગુજરાતના જામનગરમાં આ ત્રિ-દિવસીય સમારોહમાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં જામનગર એરપોર્ટ પર મુસાફરોની અવરજવરમાં ભારે વધારો થયો છે.

આવી સ્થિતિમાં જામનગર એરપોર્ટના ડાયરેક્ટર ડી.કે.સિંઘે જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં જામનગર એરપોર્ટ પર કુલ 4500 મુસાફરોની અવરજવર હતી. આ સમયગાળા દરમિયાન 350 ડોમેસ્ટિક અને 86 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની અવરજવર હતી. આ દિવસોમાં અત્યાર સુધીમાં 164 વિદેશી પ્રવાસીઓ જામનગર પહોંચ્યા છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ જામનગર એરપોર્ટ પર 26 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

જામનગર એરપોર્ટને ખાસ પરવાનગી આપવામાં આવી હતી

ગુજરાતનું જામનગર એરપોર્ટ એક નાનું એરપોર્ટ છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના સમારોહને કારણે, AAIએ આ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

રિપોર્ટ અનુસાર જામનગર એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે આ એરપોર્ટ પર દિવસમાં માત્ર ત્રણ ફ્લાઈટની અવરજવર રહે છે. આ સિવાય રિલાયન્સની પાંચ ફ્લાઈટ્સ છે. પરંતુ લગ્ન પહેલાના સમારોહના કારણે 1 માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટની અવરજવરના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. 1 માર્ચના રોજ જામનગર એરપોર્ટ પર 160 ફ્લાઈટ્સની અવરજવર હતી, જેમાંથી 30 ફ્લાઈટ્સ ઈન્ટરનેશનલ હતી.

આ સમયગાળા દરમિયાન, વધતા જતા ટ્રાફિકનું સંચાલન કરવા માટે, જામનગર એરપોર્ટ ઓથોરિટીએ ભારત સરકારની પરવાનગીથી પાસપોર્ટ, વિઝા અને ઈમિગ્રેશન માટે એક્સ-રે મશીનોની સંખ્યામાં વધારો કર્યો હતો. આ સાથે કાઉન્ટરો પણ વધારવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રસ્થાનનો નાનો વિસ્તાર પણ વિસ્તૃત કરવામાં આવ્યો હતો. ઉપરાંત મેનપાવર પણ વધારવામાં આવ્યું હતું અને એરપોર્ટ માટે વધારાના સાધનો પણ મંગાવવામાં આવ્યા હતા.

અંબાણી પરિવારનું જામનગર સાથે જોડાણ

ગુજરાતનું જામગનાર અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ છે. અનંત અંબાણીના દાદી અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેનનો જન્મ જામનગરમાં થયો હતો. ધીરુભાઈ અંબાણીએ પોતાના બિઝનેસની શરૂઆત જામનગરથી જ કરી હતી. બાદમાં મુકેશ અંબાણીએ પણ જામનગરથી જ બિઝનેસ સંભાળ્યો હતો.

નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંતનું બાળપણ જામનગરમાં જ વીત્યું હતું. તે પોતાના બાળકોને પરિવારના મૂળ સાથે જોડાયેલા રાખવા માંગે છે.

મુકેશ અંબાણીના ત્રણ બાળકોમાં સૌથી નાના 28 વર્ષીય અનંત અંબાણી રિલાયન્સની ઘણી કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર છે. તેઓ રિલાયન્સની ન્યૂ એનર્જી લિમિટેડ, ન્યૂ સોલર એનર્જી લિમિટેડ અને રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર છે. રાધિકા એનકોર હેલ્થકેરના બોર્ડની ડિરેક્ટર છે.

Next Article