Railway Budget 2021: બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100 ટકા વિદ્યુતીકરણ કરવામાં આવશે
Railway Budget 2021: નિર્મલા સીતારમણેએ કહ્યું કે બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 40,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે.
Railway Budget 2021: નિર્મલા સીતારમણેએ કહ્યું કે બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 40,000 કિલોમીટર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત રેલ્વે માટે જાહેરાત કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે રેલ્વેના આધુનિકરણ માટે પણ વધુ નાણાંની ફાળવણી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય રેલ્વે પરિયોજના 2030 થી શરૂ થશે. 1,10,055 કરોડની ફાળવણી ટ્રેનમાં લકઝરી કોચ લગાવવામાં આવશે મેટ્રો રેલ માટે 11,000 કરોડ ફાળવવામાં આવ્યા ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર બનાવવામાં આવશે ચેન્નઈ અને બેંગલોરમાં મેટ્રો ટ્રેન શરૂ કરાશે રેલ્વે ઇલેકટ્રીફિકેશન કરવામાં આવશે
હાલ ભારતીય રેલ્વે ૬૬૨૨૨ માલવાહક અને ૧૩૩૧૩ પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ દરરોજ લગભગ બે કરોડ 20 લાખ મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.