Budget 2022 : બજેટમાં શુ થયુ મોંઘુ ?

|

Feb 01, 2022 | 6:14 PM

Budget Costlier Items: કેન્દ્રીય બજેટમાં નાણાપ્રધાને કરેલ વેરામાં ફેરફારને કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંધી થવા પામશે. બજેટ 2022-2023માં કરેલ જોગવાઈઓને કારણે કઈ કઈ ચીજવસ્તુઓ મોંધી થશે તેના પર કરીએ એક નજર.

Budget 2022 : બજેટમાં શુ થયુ મોંઘુ ?
બજેટ 2022માં વેરાની જોગવાઈને લીધે શુ થશે વધુ મોંધુ ?

Follow us on

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે, આજે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2022-2023 માટેનું અંદાજપત્ર રજૂ કર્યુ. આ અંદાજપત્રમાં નાણાપ્રધાને કરેલ નાણાકીય અને વેરાની જોગવાઈઓને કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંધી થશે.  નાણાકીય વર્ષ 2022-2023ના બજેટમાં શુ થયુ મોંધુ તેના પર કરીએ એક નજર.

 

આયાતી દવા

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

દેશમાં બનતી દવાઓને પ્રોત્સાહન આપવા માટે નાણાપ્રધાને આયાતી દવાઓ ઉપર વેરાભારણ લાદયુ છે. જેના કારણે આવનારા નાણાકીય વર્ષ 2022-2023માં આયાતી દવા સ્વદેશી દવાની સરખામણીએ વધુ મોંધી થશે.

આયાતી છત્રી

 

કેન્દ્ર સરકાર શરૂઆતથી જ મેક ઈન ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરતી યોજના અને વેરામાળખુ રચતી આવી છે. ભારતના છત્રી ઉત્પાદકોને રક્ષણ આપવાના ભાગરૂપે વિદેશથી આયાત કરાનાર છત્રીઓ મોંધી બનશે. નાણાપ્રધાને બજેટમાં કરેલી જાહેરાત મુજબ નાણાકીય વર્ષ 2022-2023ના વર્ષમાં આયાતી છત્રીઓ મોંધી થશે.

ઇમિટેશન જ્વેલરી

 

નાણાપ્રધાન નિર્મલા સિતારમણે અંદાજપત્રની રજૂઆત કરતા ઈમિટેશન જ્વેલરી મોંધી થશે તેમ જણાવ્યુ હતું. નાણાકીય વર્ષ 2022-2023ના અંદાજપત્રનો આગામી પહેલી એપ્રિલ 2022થી અમલ થતા, ઈમિટેશન જ્વેલરી વર્તમાન ભાવની સરખામણીએ મોંધી થશે.

ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટકા વેરો

ક્રિપ્ટો કરન્સીની આવક પર 30 ટકા વેરો લાદવામાં આવશે. જેના કારણે ક્રિપ્ટો કરન્સીથી જે લોકો આવક મેળવે છે તેમણે આ બજેટની જોગવાઈ લાગુ પડશે ત્યારથી તેમણે ક્રિપ્ટો કરન્સીથી જે કોઈ આવક થાય તેના પર 30 ટકા વેરો ભરવો પડશે.

આગામી નાણાકીય વર્ષનુ અંદાજપત્ર રજુ કરતા નાણાપ્રધાન નિર્મલા સિતારમણે કરેલ કેટલીક જોગવાઈઓને કારણે, કેટલીક ચીજવસ્તુઓ સસ્તી પણ થશે. જાણો કઈ કઈ વસ્તુઓ થશે વધુ સસ્તી.

ચામડાનો સામાન અને કપડાં સસ્તા થશે

બજેટમાં આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં ચામડાનો સામાન અને કપડાં સસ્તા થશે, દેશમાં અત્યારે ચામડાંની આયાત પર ઉંચી ડ્યૂટી લાગે છે જેના કારણે તેના ઉત્પાદનો મોંધા બને છે હવે ડ્યૂટીમાં ઘટાડો કરાંતા તે સસ્તાં થશે. આ સાથે ઇન્પોર્ટેડ કપડાંનો વપરાશ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. ટ્યૂટી ઘટતાં તેની કિંમત પણ ઓછી થશે જેનો સીધા ફાયદો ગ્રાહકોને મળશે.

કૃષિ સાધનો અને વિદેશી મશીનો સસ્તા થશે

દેશના કૃષિ ક્ષેત્રમા આધુનિકિકરણને વધી આગળ વધારવા માટે સરકાર નવી નવી યોજનાઓ લાવતી રહી છે. આમ છતાં હજુ કૃષિ યાંત્રિકરણમાં જોઈએ તેટલો વિકાસ થઈ રહ્યો નથી. કૃષિમાં યાંત્રિકરણ વધારવા માટે આયાત કરાતાં કૃષિ સાધનો પરની ડ્યૂટીમાં વધાટો કરવામાં આવ્યો છે તેથી તેના ભાવમાં ઘટાડો થશે.

આયાત ડ્યૂટી ઘટતાં ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને મોબાઈલ એસેસરીઝ સસ્તી થશે

આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાંતા ડાયમંડની જ્વેલરી સસ્તી થશે, રાજ્યમાં હીરા ઉદ્યોગ દ્વારા સરકારના વારંવાર રાહતો આપવાની રજૂઆતો કરાતી હતી. બજેટમાં ડાયમંડ જ્વેલરી પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરતાં તે સસ્તાં થશે. આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઈલેકટ્રોનિક સામાન સસ્તો થશે. આ ઉપરાંત મોબાઈલ એસેસરીઝ અને મોબાઈલના સ્પેર પાર્ટ્સ સસ્તા થશે.

મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટશે

મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર અને કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે. આની શું અસર થશે? ડ્યુટીમાં ધટાડો થવાને કારણે ઘરેલુ મોબાઈલ ફોન ચાર્જર સસ્તા થશે.  દેશમાં એસેમ્બલ થયેલા મોબાઈલ પણ સસ્તા હોઈ શકે છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે

 

અંદાજપત્ર 2022-2023ને લગતા વધુ સમાચાર માટે tv9gujarati.com પર  ક્લિક કરો.

 

આ પણ વાંચોઃ

Tax Slab 2022 : નિર્મલા સિતારમણે જાહેર કર્યો 2022 માટેનો નવો ટેક્સ સ્લેબ, જાણો મધ્યમ વર્ગને કેટલી મળી છૂટ ?

આ પણ વાંચોઃ

Budget 2022: બજેટમાં ટેક્નોલોજી અને આઈટી સેક્ટર માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ જાહેરાત

Published On - 2:24 pm, Tue, 1 February 22

Next Article