Shravan2023: પંચકેદાર યાત્રામાં મદમહેશ્વરની પૂજાનું શું છે મહત્વ, જાણો આ શિવ મંદિર સાથે જોડાયેલી 7 મોટી વાતો

|

Aug 18, 2023 | 12:01 PM

Sawan 2023: દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલા પંચકેદાર પૈકીના એક મદમહેશ્વર મંદિરનું ધાર્મિક મહત્વ શું છે? મહાદેવના આ પવિત્ર ધામની મુલાકાત, દર્શન અને પૂજાના ગુણો જાણવા આ લેખ અવશ્ય વાંચવો.

Shravan2023: પંચકેદાર યાત્રામાં મદમહેશ્વરની પૂજાનું શું છે મહત્વ, જાણો આ શિવ મંદિર સાથે જોડાયેલી 7 મોટી વાતો
uttrakhand

Follow us on

Sawan:ઉત્તરાખંડમાં આવેલા પંચકેદાર(Panchakedar)માંના એક મદમહેશ્વર અથવા કહો કે મધ્ય મહેશ્વરની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે પંચ કેદારમાં બીજા કેદાર તરીકે પૂજાય છે. દેવોના દેવ મહાદેવનું આ મંદિર ઉત્તરાખંડના મુખ્ય શિવ મંદિરોમાંનું એક છે, જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે કારણ કે અહીં ભગવાન શિવના નાભિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર મહાભારત કાળ દરમિયાન પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. આવો જાણીએ મદમહેશ્વર મંદિર સાથે જોડાયેલી 7 મોટી બાબતો વિશે.

આ પણ વાંચો : શ્રાવણમાં આ બાબતનું રાખો ધ્યાન, મહાદેવ થશે પ્રસન્ન, જલદી મળશે શિવ સાધનાનું પરિણામ

  1. મદમહેશ્વર મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ચૌખંબા પર્વતની તળેટીમાં આવેલું છે. ત્યાં પહોંચવા માટે ઉખીમઠથી કાલીમઠ અને પછી મનસુના ગામ થઈને 26 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.
  2. ઉત્તરાખંડના પંચકેદારમાં ભગવાન શિવના પાંચ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભોલેના ભક્તો કેદારનાથમાં બળદના રૂપમાં ભગવાન શિવના કૂંધ, તુંગનાથમાં હાથ, રુદ્રનાથમાં માથું, મદમહેશ્વરમાં નાભિ અને કલ્પેશ્વરમાં જટાની પૂજા કરે છે.
  3. રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
    જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
    ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
    ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
    ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
    આજનું રાશિફળ તારીખ : 07-09-2024
  4. હિંદુ માન્યતા અનુસાર, જે વ્યક્તિ મદમહેશ્વર મંદિરમાં જઈને ભગવાન શિવની નાભિના દર્શન કરે છે અને પૂજા કરે છે, તેના પર મહાદેવના આશીર્વાદ વરસે છે, જેના કારણે તે સુખી જીવન જીવે છે અને અંતે શિવલોકને પ્રાપ્ત કરે છે.
  5. હિંદુ માન્યતા અનુસાર, મહાદેવ અને માતા પાર્વતીએ એક વખત પ્રકૃતિની ગોદમાં આવેલા આ મંદિરમાં રાત વિતાવી હતી. મદમહેશ્વર મંદિરમાં ભગવાન શિવની પૂજા માટે દક્ષિણ ભારતના લિંગાયત બ્રાહ્મણોને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
  6. મદમહેશ્વર મંદિરની સાથે સાથે આ પવિત્ર ધામની નજીક સ્થિત જૂના મદમહેશ્વર મંદિર, લિંગમ મદમહેશ્વર, અર્ધનારીશ્વર અને ભીમ મંદિરની પૂજા અને દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
  7. ભગવાન શિવનું આ મંદિર ખૂબ જ ઊંચાઈ પર છે, જ્યાં સુધી પહોંચવા માટે ઘણા કિલોમીટર ચાલીને જવું પડે છે. મદમહેશ્વર મંદિર શિયાળામાં નવેમ્બરથી એપ્રિલ સુધી બંધ રહે છે.
  8. મધ્યમહેશ્વર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મે થી જૂન વચ્ચેનો છે કારણ કે આ સમય દરમિયાન અહીંનું હવામાન ખુશનુમા હોય છે અને તમે અહીંયા મુસાફરી કરતી વખતે પ્રકૃતિનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો.

નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article