Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ

પ્રબોધિની એકાદશીએ (Prabodhini Ekadashi ) એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 02, 2022 | 6:34 AM

હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી તેમજ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે ! ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના સૂતા હોવાથી આ સમય દરમ્યાન કોઇપણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. દેવઊઠી એકાદશીએ પ્રભુ જાગે છે અને તે પછી જ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે દેવઊઠી એકાદશીએ ઘરે કઈ વિધિ સાથે શ્રીહરિને નિંદ્રામાંથી જગાડવા જોઈએ !

વ્રતની પૂજાવિધિ 

⦁ એકાદશીએ બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિકાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

⦁ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.

⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

⦁ પૂજામાં ફળ, પુષ્પ, ધૂપ, દીપ, કપૂર, નૈવેદ્ય તેમજ પીળા રંગની મીઠાઇ અર્પણ કરવી.

⦁ આરતી કરીને પરિવારના સભ્યોની શુભતાની કામના કરીને આશીર્વાદ લેવા.

⦁ દિવસભર ઉપવાસ કરવો.

⦁ સાંજે આરતી કર્યા બાદ ફળ આરોગવા.

⦁ શક્ય હોય તો દિવસમાં એક જ વખત ફળ અને જળ ગ્રહણ કરવું.

⦁ બ્રાહ્મણોને દાન અવશ્ય આપવું.

શ્રીહરિ વિષ્ણુને કેવી રીતે જગાડશો ? 

⦁ એકાદશીની રાત્રીએ શુભ મુહૂર્તમાં શ્રીહરિની પૂજા કરવી.

⦁ આંગણાંમાં ગેરુ અને ચૂનાથી રંગોળી બનાવવી. તેના પર શેરડીના સાંઠાનો મંડપ બનાવવો.

⦁ મંડપ નીચે બાજોઠ મૂકી તેના પર ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની સ્થાપના કરવી અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

⦁ શાલીગ્રામજીને નવા વસ્ત્ર અને જનોઇ અર્પણ કરવા. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો.

ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રાં જગત્પતયે ।

ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્ ।।

⦁ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

શું રાખશો ધ્યાન ?

એકાદશી દરમ્યાન તામસિક ભોજન વર્જિત ગણાય છે. આમ તો એકાદશીમાં તો ઉપવાસ જ કરવાનો હોય છે. પરંતુ, આ ઉપવાસનો પ્રારંભ દશમની સાંજથી જ કરી દેવાનો હોય છે. એટલે દશમના રોજ ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">