AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ

પ્રબોધિની એકાદશીએ (Prabodhini Ekadashi ) એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ
Lord Vishnu (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 02, 2022 | 6:34 AM
Share

હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી તેમજ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે ! ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના સૂતા હોવાથી આ સમય દરમ્યાન કોઇપણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. દેવઊઠી એકાદશીએ પ્રભુ જાગે છે અને તે પછી જ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે દેવઊઠી એકાદશીએ ઘરે કઈ વિધિ સાથે શ્રીહરિને નિંદ્રામાંથી જગાડવા જોઈએ !

વ્રતની પૂજાવિધિ 

⦁ એકાદશીએ બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિકાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.

⦁ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.

⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

⦁ પૂજામાં ફળ, પુષ્પ, ધૂપ, દીપ, કપૂર, નૈવેદ્ય તેમજ પીળા રંગની મીઠાઇ અર્પણ કરવી.

⦁ આરતી કરીને પરિવારના સભ્યોની શુભતાની કામના કરીને આશીર્વાદ લેવા.

⦁ દિવસભર ઉપવાસ કરવો.

⦁ સાંજે આરતી કર્યા બાદ ફળ આરોગવા.

⦁ શક્ય હોય તો દિવસમાં એક જ વખત ફળ અને જળ ગ્રહણ કરવું.

⦁ બ્રાહ્મણોને દાન અવશ્ય આપવું.

શ્રીહરિ વિષ્ણુને કેવી રીતે જગાડશો ? 

⦁ એકાદશીની રાત્રીએ શુભ મુહૂર્તમાં શ્રીહરિની પૂજા કરવી.

⦁ આંગણાંમાં ગેરુ અને ચૂનાથી રંગોળી બનાવવી. તેના પર શેરડીના સાંઠાનો મંડપ બનાવવો.

⦁ મંડપ નીચે બાજોઠ મૂકી તેના પર ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની સ્થાપના કરવી અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

⦁ શાલીગ્રામજીને નવા વસ્ત્ર અને જનોઇ અર્પણ કરવા. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો.

ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રાં જગત્પતયે ।

ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્ ।।

⦁ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

શું રાખશો ધ્યાન ?

એકાદશી દરમ્યાન તામસિક ભોજન વર્જિત ગણાય છે. આમ તો એકાદશીમાં તો ઉપવાસ જ કરવાનો હોય છે. પરંતુ, આ ઉપવાસનો પ્રારંભ દશમની સાંજથી જ કરી દેવાનો હોય છે. એટલે દશમના રોજ ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">