Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ

પ્રબોધિની એકાદશીએ (Prabodhini Ekadashi ) એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 02, 2022 | 6:34 AM

હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી તેમજ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે ! ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના સૂતા હોવાથી આ સમય દરમ્યાન કોઇપણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. દેવઊઠી એકાદશીએ પ્રભુ જાગે છે અને તે પછી જ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે દેવઊઠી એકાદશીએ ઘરે કઈ વિધિ સાથે શ્રીહરિને નિંદ્રામાંથી જગાડવા જોઈએ !

વ્રતની પૂજાવિધિ 

⦁ એકાદશીએ બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિકાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

⦁ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.

⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

⦁ પૂજામાં ફળ, પુષ્પ, ધૂપ, દીપ, કપૂર, નૈવેદ્ય તેમજ પીળા રંગની મીઠાઇ અર્પણ કરવી.

⦁ આરતી કરીને પરિવારના સભ્યોની શુભતાની કામના કરીને આશીર્વાદ લેવા.

⦁ દિવસભર ઉપવાસ કરવો.

⦁ સાંજે આરતી કર્યા બાદ ફળ આરોગવા.

⦁ શક્ય હોય તો દિવસમાં એક જ વખત ફળ અને જળ ગ્રહણ કરવું.

⦁ બ્રાહ્મણોને દાન અવશ્ય આપવું.

શ્રીહરિ વિષ્ણુને કેવી રીતે જગાડશો ? 

⦁ એકાદશીની રાત્રીએ શુભ મુહૂર્તમાં શ્રીહરિની પૂજા કરવી.

⦁ આંગણાંમાં ગેરુ અને ચૂનાથી રંગોળી બનાવવી. તેના પર શેરડીના સાંઠાનો મંડપ બનાવવો.

⦁ મંડપ નીચે બાજોઠ મૂકી તેના પર ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની સ્થાપના કરવી અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

⦁ શાલીગ્રામજીને નવા વસ્ત્ર અને જનોઇ અર્પણ કરવા. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો.

ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રાં જગત્પતયે ।

ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્ ।।

⦁ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

શું રાખશો ધ્યાન ?

એકાદશી દરમ્યાન તામસિક ભોજન વર્જિત ગણાય છે. આમ તો એકાદશીમાં તો ઉપવાસ જ કરવાનો હોય છે. પરંતુ, આ ઉપવાસનો પ્રારંભ દશમની સાંજથી જ કરી દેવાનો હોય છે. એટલે દશમના રોજ ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">