Bhakti : શા માટે લાગે છે પિતૃદોષ ? પિતૃદેવને તૃપ્ત કરવા અજમાવો સરળ ઉપાય

|

Jul 22, 2021 | 12:41 PM

કહેવાય છે કે પિતૃદોષ વ્યક્તિના જીવનમાં અનેક પરેશાનીઓને લઈને આવે છે. ત્યારે આ સમસ્યાઓને સમાપ્ત કરવી ખૂબ જરૂરી બની જાય છે. દાન, ધર્મ અને જપથી આ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે.

Bhakti : શા માટે લાગે છે પિતૃદોષ ? પિતૃદેવને તૃપ્ત કરવા અજમાવો સરળ ઉપાય
દાન, ધર્મ અને જપથી મળશે પિતૃદોષથી મુક્તિ!

Follow us on

જો કોઈની કુંડળીમાં (KUNDLI) પિતૃદોષ હોય, તો તેના જીવનમાં મુશ્કેલીઓનું ચક્ર સમાપ્ત જ નથી થતું. કેટલીકવાર બધી સમસ્યાઓ એકસાથે વ્યક્તિને ઘેરી લે છે. કહેવાય છે કે પિતૃદોષની કેટલીક અશુભ અસર વ્યક્તિના જીવન પર પડે છે. જેની કુંડળીમાં પિતૃદોષ હોય છે, તેમનું કાર્ય સરળતાથી પાર નથી થતું.

વ્યક્તિ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કરે છે. પૈસાની મુશ્કેલીઓનો અભાવ, પ્રગતિમાં અવરોધ આવે છે, સરળતાથી બાળક નથી થતું અથવા કસુવાવડ થાય છે. એકંદરે, જો પિતૃદોષ હોય તો કુટુંબ સારી રીતે વિકસતું નથી.

સૌથી પહેલાં તો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પિતૃદોષ શા માટે થાય છે? એવું માનવામાં આવે છે કે જેમણે જીવનપર્યંત તેમના માતા-પિતાનો અનાદર કર્યો હોય અથવા જેમણે મૃત્યુ પછી તેમના પૂર્વજોનું શ્રાદ્ધ નથી કર્યું, એવા લોકોને કુંડળીમાં પિતૃદોષ સાથે ફરી જન્મ લેવો પડે છે. જો તમને પણ તમારા જીવનમાં એકસાથે ઘણી મુશ્કેલીઓ આવે છે, લાંબા સમયથી તમારું કોઈ કાર્ય સરળતાથી પૂર્ણ નથી થઇ રહ્યું, તો તમારે કોઈ જ્યોતિષીને તમારી કુંડળી બતાવવી જોઈએ અને પિતૃદોષની મુશ્કેલીઓને દૂર કરવાના પગલાં લેવા જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પિતૃદોષમાંથી મુક્ત થવા અને પિતૃદોષથી પડતી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા કેટલાક ખાસ ઉપાય કરવા પડે છે. આવો, આજે અમે આપને કેટલાક ખુબ પ્રચલિત, સરળ અને લૌકિક ઉપાયો જણાવીએ.

1. દરરોજ એવા મંદિરમાં જાઓ જ્યાં પીપળાનું વૃક્ષ હોય. તે વૃક્ષ પર દૂધ અને પાણી સાથે ભેળવીને ચડાવો. સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાયથી પિતૃઓ ખુશ થાય છે અને પિતૃદોષની અસર ધીમે ધીમે પૂરી થવા લાગે છે.

2. ભગવાન ભોલેનાથની તસવીર અથવા મૂર્તિ સામે બેસીને, ‘ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત્’ આ મંત્રનો દરરોજ જાપ કરો અને પૂર્વજોની મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો. આવું કરવાથી પણ પિતૃદોષ શાંત થાય છે અને તેની અસરો ધીમે ધીમે સમાપ્ત થાય છે.

3. અમાસ જેવી તિથિ પર પૂર્વજો માટે ખાસ પૂજા વિધિ કરાવવામાં આવે છે. અમાસના દિવસે પૂર્વજો માટે શુદ્ધતા સાથે ભોજન તૈયાર કરો અને એક ગાય, શ્વાન અને કાગડાને ચોખા, ઘી અને એક રોટલી ખવડાવો. તથા કોઈપણ મંદિરમાં જઇને અથવા જરૂરિયાતમંદોને દૂધ, ખાંડ, સફેદ કાપડ, દક્ષિણા વગેરે પૂર્વજોના નામે આપો. પૂર્વજો પણ આવું કરવાથી રાજી થાય છે અને પિતૃદોષ શાંત થવા માંડે છે.

4. દરેક નોમની તિથી પર ગાયોને પાંચ પ્રકારના ફળો ખવડાવો અને સાંજે વૃક્ષ નીચે ભોજન લો. આવું કરવાથી, પૂર્વજો પ્રસન્ન થાય છે અને પિતૃદોષ સમાપ્ત થતો હોવાની માન્યતા છે.

5. જે રીતે તમે નિયમિત પૂજા કર્યા પછી તમારા ભગવાનને ભૂલોની ક્ષમા માટે અર્ચન કરો છો, તે જ રીતે, ભૂલો માટે દરરોજ પૂર્વજો પાસેથી પણ માફી માંગશો તો પણ પિતૃદોષની અસર ઓછી થાય છે અથવા દૂર થાય છે.

 

આ પણ વાંચો : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણીલો આ ખાસ વાત

Next Article