12 JUNE PANCHANG: આજે અભિજીત મુહૂર્ત ક્યારે છે ? જાણો 12 જૂન, સોમવારના પંચાંગ અનુસાર ક્યારે છે રાહુકાળ ?
કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત (Abhijit Muhurta) અત્યંત શ્રેષ્ઠ મનાય છે. એક માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્ત દરમિયાન દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતની વર્ષા કરતા હોય છે. એટલે આ સમય દરમિયાન કરવામાં આવતા કાર્યો સફળ થાય છે.

આજે 12 જૂન, 2023 સોમવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !
ગુજરાતી પંચાંગ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની નોમની તિથિ છે. જે સવારે 10:35 સુધી રહેશે. ત્યારબાદ દશમનો પ્રારંભ થશે. આજે વાર છે સોમવાર. આજનો યોગ છે આયુષ્યમાન. નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદા. અને કરણ છે વણિજ.
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 05:55 કલાકે
સૂર્યાસ્ત:- 07:24 કલાકે
આજની રાશિ
આજે ચંદ્રમાં મીન રાશિમાં જ રહેશે. જે અનુસાર આજની ચંદ્ર રાશિ છે મીન રાશિ. આ મીન રાશિના નામાક્ષર છે (દ, ચ, ઝ, થ). એટલે કે આજે જન્મેલા બાળકોના નામ આપ આ અક્ષરો પરથી રાખી શકશો.
અભિજીત મુહૂર્ત
આજે, 12 જૂન, સોમવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી 01:07 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈપણ કાર્ય કરવા માટે આ અભિજીત મુહૂર્ત અત્યંત શ્રેષ્ઠ મનાય છે. એક માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્ત દરમિયાન દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતની વર્ષા કરતા હોય છે. એટલે આ સમય દરમિયાન કરવામાં આવતા કાર્યો સફળ થાય છે અને વ્યક્તિને વિજયની પ્રાપ્તિ થાય છે.
રાહુ કાળ
આજે રાહુ કાળ સવારે જ છે. જે સવારે 07:07 થી 08:51 સુધી રહેશે. ઉલ્લેખનિય છે કે રાહુ કાળ એ અશુભ કાળ મનાય છે. આ એ સમય હોય છે કે જે સમય દરમિયાન કોઈપણ શુભ કાર્યનો પ્રારંભ કરવામાં નથી આવતો. માન્યતા અનુસાર આ કાળમાં કાર્ય કરવાથી તેનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું. તો, આજે આ સમય ખાસ ધ્યાનમાં રાખવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)