શનિના ગોચરની વિવિધ રાશિ પર શું થશે અસર ? જાણો શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય !

|

Jan 17, 2023 | 7:17 AM

જે જાતકોની કુંડળીમાં સાડાસાતી ચાલી રહી છે, તેમણે શનિને (Saturn) ખુશ રાખવા ખૂબ જરૂરી છે. તેમણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઇએ. આ રાશિના જાતકોએ અહંકાર ન કરવો જોઇએ !

શનિના ગોચરની વિવિધ રાશિ પર શું થશે અસર ? જાણો શનિદેવને પ્રસન્ન કરવાના સરળ ઉપાય !
Shanidev (symbolic image)

Follow us on

આજે 17 જાન્યુઆરી 2023, મંગળવારે શનિદેવ રાશિ પરિવર્તન કરશે અને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવના આ પ્રકારના પરિવર્તનથી કેટલીક રાશિઓ પર સકારાત્મક અને કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ત્યારે આવો જાણીએ કે શનિના આ ગોચરની કઈ રાશિ પર શું અસર પડશે ? અને આ સમય દરમિયાન શનિદેવની કૃપા અકબંધ રાખવા કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

શનિનું ગોચર

શનિના પોતાના 2 ઘર હોય છે એક મકર અને બીજું કુંભ. શનિદેવ અત્યાર સુધી મકર રાશિમાં હતા. હવે તે 17 જાન્યુઆરી, મંગળવારે તેમના બીજા ઘર એટલે કે કુંભમાં પ્રવેશ કરશે. આ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 5, માર્ચ 1993માં આ સંયોગ બન્યો હતો. આ પરિવર્તનની દરેક રાશિ પર નાની-મોટી અસર ચોક્કસથી થશે. ખાસ તો એ જાતકો પ્રભાવિત થશે કે જેમને અત્યાર સુધી શનિની સાડાસાતી ચાલી રહી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સાડાસાતીમાં શું રાખશો ધ્યાન ?

જ્યોતિષીઓના મત પ્રમાણે અંતરિક્ષમાં શનિના આ પ્રકારના પરિવર્તનથી દરેક લગ્ન અને રાશિના જાતકો પર તેની અસર થશે. ધન રાશિના જાતકોની સાડાસાતી પૂર્ણ થશે. હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોની સાડાસાતી ચાલું થશે. જે પણ રાશિના જાતકોની સાડાસાતી અત્યાર સુધી ચાલી રહી હતી તેમણે 17 જાન્યુઆરીના દિવસે સર્વ પ્રથમ ગંગા સ્નાન કરવું જોઇએ. અત્યાર સુધી જે પ્રકારની ધીરજથી કાર્ય કર્યુ છે એ દરમ્યાન ઘટેલી ઘટનાઓમાંથી શીખ લઇને આગળ વધવું જોઇએ. શનિને સેવા ખૂબ પસંદ છે. એટલે જે જાતકોની રાશિમાં સાડાસાતીની શરૂઆત થઇ હોય તેમણે ગરીબો, દર્દીઓની મદદ કરવી જોઇએ. તેનાથી તેમને ફાયદો થશે.

શનિને ખુશ કરવાના ઉપાયો

જે જાતકોની કુંડળીમાં સાડાસાતી ચાલી રહી છે, તેમણે શનિને ખુશ રાખવા ખૂબ જરૂરી છે. તેમણે શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તલના તેલનો દીવો પ્રજ્વલિત કરવો જોઇએ. આ રાશિના જાતકોએ અહંકાર ન કરવો જોઇએ. તેમજ પોતાનાથી ઉપરી લોકોને પ્રસન્ન રાખવા જોઇએ અને આત્મવિશ્વાસની સાથે કાર્ય કરવું જોઇએ. હવે આવો, એ જાણીએ કે આ ગોચરની વિવિધ રાશિઓ પર શું થશે અસર !

મેષ રાશિ

આર્થિક દૃષ્ટિએ જોઇએ તો તમારા માટે આવકના નવા સ્તોત્ર ખુલશે. સાથે જ શારીરિક મહેનત કરવી પડશે.

વૃષભ રાશિ

કર્મક્ષેત્રમાં પરિવર્તનની શક્યતા છે. કારકિર્દીમાં ઉન્નતિ થશે. પરંતુ, કાર્યક્ષેત્રમાં ટ્રાન્સફરની (બદલીની) શક્યતા છે.

મિથુન રાશિ

નસીબના દરવાજા ખૂલી જશે. નવા અવસરો મળશે તેમજ પિતૃઓની સંપત્તિનો લાભ પણ મળશે.

કર્ક રાશિ

ભાગીદારીમાં વ્યાપાર કરી રહ્યા હોવ તો તેમણે તાલમેલ બનાવીને ચાલવું પડશે. દાંપત્યજીવનમાં પણ તાલમેલ સારો રાખવો જોઇએ.

સિંહ રાશિ

પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું. રોગ પ્રત્યે બેદરકારી ન રાખવી. અહંકારથી બચવું.

કન્યા રાશિ

પડકારો સામે વિજય મળશે. દેવું લેવાથી બચવું.

તુલા રાશિ

સમજદારી વધશે. પેટ સંબંધિત રોગોથી સાવધાની રાખવી પડશે. બહારનું ખાવાપીવાથી સાચવવું પડશે.

વૃશ્ચિક રાશિ

સુખમાં વૃદ્ધિ થશે. મકાન, વાહનનું સુખ મળશે. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થશે.

ધન રાશિ

પ્રતિભાનો વિકાસ થશે. નાની નાની યાત્રાઓ કરવી.

મકર રાશિ

બેન્ક બેલેન્સ વધશે. વાણીને મધુર રાખજો. કોઇનું મન દુભાય એવું કોઇ કાર્ય ન કરવું.

કુંભ રાશિ

માનસિક રીતે મજબૂત રહેવું પડશે. કઠોર પરિશ્રમ કરવાથી દૂર ન ભાગવું.

મીન રાશિ

યાત્રાઓ કરવી પડશે. ખર્ચ ઓછા કરવા પડશે. દુર્ઘટનાઓથી સાવધાની રાખવી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article