શનિ ગ્રહનું રાશિ પરિવર્તન, કઈ રાશિના જાતકોએ રાખવું વિશેષ ધ્યાન ?

પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ (Karma) પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

શનિ ગ્રહનું રાશિ પરિવર્તન, કઈ રાશિના જાતકોએ રાખવું વિશેષ ધ્યાન ?
Saturn
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 13, 2023 | 10:57 AM

લેખક : ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશિમા લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ મકર રાશિમાંથી તા. 17-1-23 ના રોજ કુંભ રાશિમા પ્રવેશ કરશે જે તા. 29/03/25 સુધી ભ્રમણ કરશે.

કર્ક અને વૃશ્ચિક રાશિને નાની પનોતી અઢી વર્ષની રહશે અને મકર રાશિને સાડાસાતીનો છેલ્લો તબ્બકો, કુંભ રાશિને સાડાસાતીનો બીજો તબ્બકો અને મીન રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો જે અઢી વર્ષ તબક્કે મુજબ રહશે .જે હાલ મિથુન અને તુલા રાશિને ચાલતી અઢી વર્ષની નાની પનોતી પૂરી થશે જયારે ધન રાશિને ચાલતી સાડાસાતી પૂરી થશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

શનિનું ભ્રમણ પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે જે મુજબ કુંભ રાશિના ભ્રમણ મુજબ મિથુન, વૃશ્ચિક, મકર રાશિને સોનાનો પાયો, વૃષભ, કન્યા, કુંભ રાશિને તાંબાનો પાયો, કર્ક, તુલા, મીન રાશિને ચાંદીનો પાયો, મેષ, સિંહ, ધન રાશિને લોઢાનો પાયો ગણતરીમાં આવશે, કુંડળીમા ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.

શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજા ને રંક અને રંક ને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

કુંભ રાશિમાં શનિના ભ્રમણ દરમિયાન બાર રાશિ પર એક સામાન્ય ફળકથન :

મેષ : ઉતાવળ અને ગુસ્સાની પ્રકૃતિ કરાવે માટે ધીરજ રાખવી.

વૃષભ : મહેનત મુજબ ફળ મળશે માટે આયોજન પૂર્વક કામકાજ કરવું.

મિથુન : કામકાજમાં પ્રગતિ કરાવે, ધીરજ અને વ્યવહારુ અભિગમ રાખવો.

કર્ક : ઉતાવળ પ્રકૃતિ વધુ રહે, ધીરજ અને શાંતિ રાખવી.

સિંહ : નાની નાની વાતમાં વ્યસ્ત રખાવે, ઉશ્કેરાટ ના રાખવો.

કન્યા : અટકેલા કાર્ય આગળ વધે, ઉત્સાહ રહે.

તુલા : સંબંધ સુધારવાની તક મળે, નવી દિશા દેખાય.

વૃશ્ચિક : ગણતરી પૂર્વક આયોજન અને ધીરજ રાખી કાર્ય કરવું.

ધન : નવા સંબંધ બને, નવું કાર્ય થાય.

મકર : કામકાજમાં ચોકસાઈ રાખવી, શાંતિ જાળવવી.

કુંભ : વિવાદ ટાળવો, ધીરજ, ચોકસાઈ રાખવી.

મીન : ઉતાવળ ન કરવી, વ્યવહારુ અભિગમ રાખવો.

દરેક રાશિના જાતકોએ નિત્ય શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય.

(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">