AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે. કારણ કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે.

Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ
ફળદાયી એકાદશી
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:00 AM
Share

કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ઉત્પત્તિ એકાદશીના (Utpatti Ekadashi) નામે પ્રસિદ્ધ છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં આ એકાદશીનું (Ekadashi) આગવું જ મહત્વ છે. પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ તિથિ છે કે જે દિવસે શ્રીહરિ વિષ્ણુના દેહમાંથી કન્યારૂપ એકાદશીનું પ્રાગટ્ય થયું હતું. અને દેવીએ અસુર મુરનો વધ કરી દેવતાઓના તેમજ સ્વયં વિષ્ણુના મનોરથને સિદ્ધ કર્યું હતું. એ જ કારણ છે કે તમામ એકાદશીમાં આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે.

ઉત્પત્તિ એકાદશી એ ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશીના નામે પણ પ્રસિદ્ધ છે. આ વર્ષે અગિયારસની આ તિથિ 30 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી થશે સવિશેષ ફળની પ્રાપ્તિ ? અને કેવાં કેવાં પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ એકાદશી.

વ્રતની વિધિ ⦁ એકાદશીએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, સ્વચ્છ કપડા પહેરી વ્રતનો આરંભ કરવો. ⦁ આ દિવસે શ્રીહરિની પૂજા કરવી. ઉલ્લેખનીય છે કે આ તિથિએ લક્ષ્મીનારાયણની એકસાથે આરધના કરવી પણ વિશેષ ફળદાયી બની રહેશે. ⦁ બાજોઠ પર લક્ષ્મીનારાયણનું સ્થાપન કરી તેમને પીળુ ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા ફૂલ, ફળ અને તુલસીદળ અર્પણ કરો. ⦁ ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો. ⦁ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા વાંચી પ્રભુની આરતી ઉતારો. ⦁ આ દિવસે શક્ય હોય તો અચૂક ગાયને લીલું ઘાસ નીરવું તેમજ પક્ષીઓને ચણ નાંખવું. ⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતના પારણાં કરવા.

ઉલ્લેખનીય છે કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એટલે એવી માન્યતા પ્રવર્તમાન છે કે જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે.

ફળદાયી એકાદશી ⦁ માન્યતા અનુસાર જે જીવ ઉત્પત્તિ એકાદશીએ ઉપવાસ કરે છે તે વૈકુંઠધામમાં નિવાસ કરે છે, કે જ્યાં સ્વયં ભગવાન ગરુડધ્વજ શ્રીહરિ વિદ્યમાન થયા છે. ⦁ જે મનુષ્ય એકાદશીના માહાત્મ્યનું પઠન કરે છે તેને હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ⦁ જે દિવસે અથવા તો રાત્રિએ પણ આ એકાદશીના મહત્વનું શ્રવણ કરે છે, તે વિવિધ પ્રકારના પાપકર્મથી મુક્તિ મેળવી લે છે. ⦁ માન્યતા અનુસાર આ એકાદશીની સમાન પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. તે આ જન્મના જ નહીં, પૂર્વ જન્મના પાપોનો પણ નાશ કરી દે છે. ⦁ આ એકાદશી એ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. ⦁ પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર આ એકાદશીથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ⦁ મુશ્કેલમાં મુશ્કેલ તપસ્યા, તીર્થસ્નાન તેમજ દાનકર્મથી પણ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારું છે આ એકાદશીનું વ્રત.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

આ પણ વાંચોઃ જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">