AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ

જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે. કારણ કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે.

Bhakti: કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે ઉત્પત્તિ એકાદશીનું વ્રત ? જાણો વિષ્ણુકૃપા પ્રાપ્ત કરવાની ફળદાયી વિધિ
ફળદાયી એકાદશી
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:00 AM
Share

કારતક મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ઉત્પત્તિ એકાદશીના (Utpatti Ekadashi) નામે પ્રસિદ્ધ છે. વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીમાં આ એકાદશીનું (Ekadashi) આગવું જ મહત્વ છે. પ્રચલિત માન્યતા અનુસાર આ એ જ તિથિ છે કે જે દિવસે શ્રીહરિ વિષ્ણુના દેહમાંથી કન્યારૂપ એકાદશીનું પ્રાગટ્ય થયું હતું. અને દેવીએ અસુર મુરનો વધ કરી દેવતાઓના તેમજ સ્વયં વિષ્ણુના મનોરથને સિદ્ધ કર્યું હતું. એ જ કારણ છે કે તમામ એકાદશીમાં આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે.

ઉત્પત્તિ એકાદશી એ ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશીના નામે પણ પ્રસિદ્ધ છે. આ વર્ષે અગિયારસની આ તિથિ 30 નવેમ્બર, મંગળવારના રોજ છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી થશે સવિશેષ ફળની પ્રાપ્તિ ? અને કેવાં કેવાં પુણ્યની પ્રાપ્તિ કરાવશે આ એકાદશી.

વ્રતની વિધિ ⦁ એકાદશીએ સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, સ્વચ્છ કપડા પહેરી વ્રતનો આરંભ કરવો. ⦁ આ દિવસે શ્રીહરિની પૂજા કરવી. ઉલ્લેખનીય છે કે આ તિથિએ લક્ષ્મીનારાયણની એકસાથે આરધના કરવી પણ વિશેષ ફળદાયી બની રહેશે. ⦁ બાજોઠ પર લક્ષ્મીનારાયણનું સ્થાપન કરી તેમને પીળુ ચંદન, હળદર મિશ્રિત ચોખા, પીળા ફૂલ, ફળ અને તુલસીદળ અર્પણ કરો. ⦁ ધૂપ, દીપ, દક્ષિણા અને નૈવેદ્ય અર્પણ કરો. ⦁ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા વાંચી પ્રભુની આરતી ઉતારો. ⦁ આ દિવસે શક્ય હોય તો અચૂક ગાયને લીલું ઘાસ નીરવું તેમજ પક્ષીઓને ચણ નાંખવું. ⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશીએ વ્રતના પારણાં કરવા.

ઉલ્લેખનીય છે કે, ઉત્પત્તિ એકાદશી એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એટલે એવી માન્યતા પ્રવર્તમાન છે કે જો કોઈ એકાદશીના વ્રતનો પ્રારંભ કરવા માંગતું હોય તો તેણે આ જ તિથિથી તેની શરૂઆત કરવી જોઈએ. તે વિશેષ ફળદાયી બની રહેશે.

ફળદાયી એકાદશી ⦁ માન્યતા અનુસાર જે જીવ ઉત્પત્તિ એકાદશીએ ઉપવાસ કરે છે તે વૈકુંઠધામમાં નિવાસ કરે છે, કે જ્યાં સ્વયં ભગવાન ગરુડધ્વજ શ્રીહરિ વિદ્યમાન થયા છે. ⦁ જે મનુષ્ય એકાદશીના માહાત્મ્યનું પઠન કરે છે તેને હજાર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ⦁ જે દિવસે અથવા તો રાત્રિએ પણ આ એકાદશીના મહત્વનું શ્રવણ કરે છે, તે વિવિધ પ્રકારના પાપકર્મથી મુક્તિ મેળવી લે છે. ⦁ માન્યતા અનુસાર આ એકાદશીની સમાન પાપનાશક વ્રત બીજું કોઈ જ નથી. તે આ જન્મના જ નહીં, પૂર્વ જન્મના પાપોનો પણ નાશ કરી દે છે. ⦁ આ એકાદશી એ મોક્ષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. ⦁ પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર આ એકાદશીથી અશ્વમેધ યજ્ઞના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ⦁ મુશ્કેલમાં મુશ્કેલ તપસ્યા, તીર્થસ્નાન તેમજ દાનકર્મથી પણ શ્રેષ્ઠ ફળ પ્રદાન કરનારું છે આ એકાદશીનું વ્રત.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

આ પણ વાંચોઃ જાણો છો શિવાલયમાં કેમ હોય છે કાચબો ? ફટાફટ જાણી લો આ રહસ્ય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">