AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: આ વસ્તુઓ ઘરમાં રાખો, નહીં રહે વાસ્તુ દોષ, થશે ધન વર્ષા

Vastu tips : વાસ્તુ અનુસાર તમે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવીને પૈસાની કમી દૂર કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને ઘરમાં રાખીને તમે પૈસાની કમી અને નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો.

Vastu Tips: આ વસ્તુઓ ઘરમાં રાખો, નહીં રહે વાસ્તુ દોષ, થશે ધન વર્ષા
Vastu tip
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 10:04 PM
Share

ઘણા પ્રયત્નો કરવા છતાં પણ જીવનમાં સફળતા અને શાંતિનું સુખ નથી મળી શકતું. જેઓ મહેનત અને ખંતથી કામ કરે છે, તેઓ પણ મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. એવું માનવામાં આવે છે કે તેની પાછળ વાસ્તુ દોષ ( Vastu dosh) હોઈ શકે છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર ( Jyotish shastra)માં જીવનને સરળ રીતે ચલાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેને અવગણવાથી સમસ્યાઓ થઈ શકે છે. આના કારણે વાસ્તુ દોષો ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં પૈસાની સમસ્યાઓ (Money problem in life) જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે પૈસા આવે છે અને તે ઝડપથી જતા રહે છે.

પૈસાની અછત એક એવી સમસ્યા છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. જો કે વાસ્તુ અનુસાર તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવીને પૈસાની કમી દૂર કરી શકો છો. અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને ઘરમાં રાખીને તમે પૈસાની કમી અને નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો.

નાળિયેર

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા નારિયેળ ચઢાવવામાં આવે છે અથવા તેની પૂજા કરવામાં આવે છે. નારિયેળનું ધાર્મિક મહત્વ હોવાની સાથે તે ધન સંબંધિત વાસ્તુ દોષોને પણ દૂર કરવાનું કામ કરે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે અને તેને ઘરમાં રાખવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેને રાખવાથી ધનની કમી નથી રહેતી અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

શંખ

સનાતન ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. તે ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં નિયમિત રીતે શંખ ફૂંકવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. ઘરની મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ રહે છે. ભગવાન નારાયણ પોતાના હાથમાં શંખ ​​ધારણ કરે છે. આ સિવાય દેવી લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય છે કારણ કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. એટલા માટે શંખને દેવી લક્ષ્મીનો ભાઈ કહેવામાં આવે છે. જો તમે ઘરમાં શંખ ​​લાવો છો તો તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓ દૂર થઈ શકે છે.

મા લક્ષ્મી અને કુબેરનું ચિત્ર

જીવનમાં આર્થિક સંકટને દૂર કરવા માટે ઘરમાં મા લક્ષ્મી અને કુબેરની એક સાથે તસવીર લગાવો. આવકના દેવતા ગણાતા કુબેરનું ચિત્ર ધનની કમી તો દૂર કરશે જ સાથે જ પ્રગતિના નવા આયામો પણ ખુલશે. ધન સાથે મા લક્ષ્મી અને કુબેરના સંબંધને કારણે એવું કહેવાય છે કે આ બંને દેવતાઓ એકબીજાના પૂરક છે. તસવીર લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
g clip-path="url(#clip0_868_265)">