AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: જાણતા કે અજાણતા થયેલી આ ભૂલો પણ બની શકે છે આર્થિક સંકટનું કારણ !

અહીં એ ભૂલો વિશે જાણો અને આજથી જ તેને સુધારવાનો પ્રયાસ કરો, જેથી તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે.

Vastu Tips: જાણતા કે અજાણતા થયેલી આ ભૂલો પણ બની શકે છે આર્થિક સંકટનું કારણ !
Vastu Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:45 PM
Share

શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને (Mata Lakshmi) ધનની દેવી કહેવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને જીવનમાં ધન અને સમૃદ્ધિ ત્યારે જ મળે છે જ્યારે તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. પરંતુ ઘણી વખત, સખત મહેનત કરવા છતાં, આપણે ઇચ્છિત પરિણામ મેળવી શકતા નથી, ઘરમાં સતત આર્થિક સંકટ રહે છે અને તેનું કારણ પણ આપણે સમજી શકતા નથી. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે, તો તેનું કારણ વાસ્તુ (Vastu Tips) સંબંધિત ભૂલો પણ હોઈ શકે છે, જે આપણે જાણતા-અજાણતા કરીએ છીએ. તેના કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે, ભાગ્ય સાથ આપતું નથી અને ઘરમાં આર્થિક અને અન્ય પરેશાનીઓ આવે છે. અહીં એ ભૂલો વિશે જાણો અને આજથી જ તેને સુધારવાનો પ્રયાસ કરો, જેથી તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે.

આ ભૂલોથી વાસ્તુ દોષ થાય છે

1. જો તમે ઘરની સફાઈ માટે સાવરણીને દરવાજા પર અથવા એવી કોઈ જગ્યાએ રાખો છો જ્યાં તેને વારંવાર પગ અડે છે, તો તરત જ તેની જગ્યા બદલી નાખો. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં વારંવાર પગ મુકવો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે અને તેનાથી ધનનો નાશ થાય છે. આ સિવાય સાવરણી પર ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખો.

2. તુલસીને પણ દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, સાથે જ તુલસીને વાસ્તુ દોષોને દૂર કરનાર છોડ કહેવામાં આવે છે. પરંતુ તેને રાખવાની દિશા હંમેશા સાચી હોવી જોઈએ, તો જ તેનો લાભ મળે છે. તેને ખોટી દિશામાં રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે. તુલસીના છોડને હંમેશા ઉત્તર-પૂર્વ કોણમાં રાખો અને દીવો કરો.

3. જો કોઈએ કોઈ ગુલદસ્તો આપ્યો હોય અથવા ઘરમાં ક્યાંક ફૂલ રાખ્યા હોય અને તે સુકાઈ ગયા હોય તો તેને તરત જ કાઢી નાખો. સૂકા ફૂલો હંમેશા નકારાત્મકતા લાવે છે. ઘરના કોઈપણ રૂમમાં સૂકા ફૂલ ન રાખવા.

4. ઘરના પૂજા સ્થાન પર દેવી-દેવતાઓની તસવીરો સામસામે ન રાખવી જોઈએ, તેનાથી બધી સમસ્યાઓ ઉભી થાય છે. દેવી-દેવતાઓને ચઢાવવામાં આવેલ ફૂલ અને હાર બીજા દિવસે ઉતારીને નવા ફૂલ અર્પણ કરવા જોઈએ.

5. ખોટી દિશામાં મૂકવામાં આવેલા ધાર્મિક પુસ્તકોથી પણ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેમને હંમેશા પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. આ સિવાય તેને પલંગની અંદર કે ગાદલા કે તકિયાની નીચે રાખવાની ભૂલ ક્યારેય ન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Holi 2022 : હોલિકા દહન કરતી વખતે આ વૃક્ષોના લાકડા બાળવા જોઈએ નહીં, જાણો શું છે તેની પાછળનુ કારણ

આ પણ વાંચો : Holi Festival: વિશેષ સંયોગ સાથે આવી હોળી, થશે તમામ મનોકામનાઓની પૂર્તિ

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">