AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્થિક સંકટોથી મુક્તિ અપાવશે વરુથિની એકાદશી ! જાણો, કેવી રીતે થશે લક્ષ્મીનારાયણની કૃપાની પ્રાપ્તિ ?

ઓફિસ કે કાર્યસ્થળ પર મહેનત કર્યા બાદ પણ જો શુભ ફળની પ્રાપ્તિ ન થઇ રહી હોય, એટલે કે પ્રગતિ ન મળી રહી હોય તો વરુથિની એકાદશીના (Varuthini Ekadashi ) દિવસે એક ખાસ ઉપાય અજમાવો. એકાક્ષી નારિયેળને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરી દો.

આર્થિક સંકટોથી મુક્તિ અપાવશે વરુથિની એકાદશી ! જાણો, કેવી રીતે થશે લક્ષ્મીનારાયણની કૃપાની પ્રાપ્તિ ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 15, 2023 | 6:25 AM
Share

વરુથિની એકાદશીનું વ્રત 16 એપ્રિલ 2023, રવિવારના દિવસે રાખવામાં આવશે. ચૈત્ર માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. કહે છે કે આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જતું હોય છે. વ્યક્તિને કારકિર્દીમાં સફળતાના આશિષ પ્રાપ્ત થાય છે તેમજ તેની તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ પણ ટળી જાય છે. આવો, આજે કેટલાંક આવા જ ફળદાયી ઉપાયો વિશે જાણીએ.

વાસ્તુદોષ મુક્તિ અર્થે

વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવા વરુથિની એકાદશીના અવસરે એક ખાસ ઉપાય અજમાવો. એકાદશીએ સવારે શુભ મુહૂર્તમાં દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને તેનો શ્રીવિષ્ણુની પ્રતિમા પર અભિષેક કરો. યાદ રાખો, આ જળમાં ગંગાજળ જરૂરથી ઉમેરવું. પૂજા પૂર્ણ થાય એટલે તે પવિત્ર જળનો ઘરમાં છંટકાવ કરવો. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને પરિવારમાં શાંતિનું આગમન થાય છે.

આર્થિક સંકટોથી મુક્તિ અર્થે

આર્થિક સંકટોથી મુક્તિ મેળવવા માટે વરુથિની એકાદશીએ 11 કન્યાઓને કેરી ભેટમાં આપવી જોઈએ. સાથે જ ઘરની બહાર પાણીની પરબ રાખવી જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી સર્જાતી.

કારકિર્દીમાં પ્રગતિ અર્થે

ઓફિસ કે કાર્યસ્થળ પર મહેનત કર્યા બાદ પણ જો શુભ ફળની પ્રાપ્તિ ન થઇ રહી હોય, એટલે કે પ્રગતિ ન મળી રહી હોય તો વરુથિની એકાદશીના દિવસે એક ખાસ ઉપાય અજમાવો. એકાક્ષી નારિયેળને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરી દો. ત્યારબાદ તે પોટલીને તમારા કાર્યસ્થળ પર કોઈ સુરક્ષિત અને સ્વચ્છ સ્થાન પર રાખી દો. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે કારકિર્દીમાં પ્રગતિ થશે અને તમને કાર્યોમાં સફળતા મળશે.

પ્રેમલગ્ન માટે

મનપસંદ પાત્ર સાથે જો લગ્નમાં અવરોધ સર્જાઈ રહ્યા હોય તો વરુથિની એકાદશીએ શ્રીવિષ્ણુને તુલસીની માળા અર્પિત કરવી. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી ઝડપથી વિવાહના યોગ સર્જાશે.

ફળદાયી મંત્ર

“દેવી ત્વં નિર્મિતા પૂર્વમર્ચિતાસિ મુનીશ્વરૈઃ નમો નમસ્તે તુલસી પાપં હર હરિપ્રિયે ।”

લક્ષ્મીનારાયણના આશીર્વાદ

કહેવાય છે કે વરુથિની એકાદશીના દિવસે સત્તુનું દાન કરવાથી તમામ બીમારીમાંથી મુક્તિ મળે છે. એટલે આ દિવસે કોઇ જરૂરિયાતમંદને સત્તુ અને જળનું દાન જરૂરથી કરવું જોઇએ. સાથે જ પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઇએ. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદની પણ આપને પ્રાપ્તિ થશે ! તેમજ ઘરમાં સુખ-શાંતિનું આગમન થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
g clip-path="url(#clip0_868_265)">