દુઃખને પણ સુખમાં બદલી દેશે મંગળવારની હનુમાન પૂજા ! જાણો કેવી રીતે કરશો પ્રભુની આરાધના ?

જે લોકોના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેમણે મંગળવારના દિવસે અચૂક કેટલાક ઉપાયો કરવા જોઇએ. હનુમાનજી સંબંધીત આ ઉપાયોથી વ્યક્તિને ખૂબ ઝડપથી સારા સમાચાર મળે છે. તે કુંડળીમાં રહેલ ગ્રહોની સ્થિતિ મજબૂત કરીને સારું ફળ પ્રદાન કરે છે.

દુઃખને પણ સુખમાં બદલી દેશે મંગળવારની હનુમાન પૂજા ! જાણો કેવી રીતે કરશો પ્રભુની આરાધના ?
Hanuman Puja (Symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 22, 2022 | 6:38 AM

પવનસુત હનુમાન (hanuman) એટલે તો સંકટોના હરનારા દેવ. કહે છે કે પોતાના ભક્તોના સંકટોને દૂર કરવામાં હનુમાનજી ક્યારેય પણ મોડું નથી કરતા. એમાં પણ મંગળવારના રોજ જો હનુમાનજી સંબંધી કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો, વ્યક્તિને તમામ દુઃખોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જતી હોય છે.સંકટમોચન હનુમાન તેમના ભક્તો પર જલ્દી જ પોતાની કૃપા વરસાવતા હોય છે અને તેમના દરેક સંકટોને દૂર કરી દે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે કેટલાંક ઉપાય અજમાવવા જોઈએ. કારણ કે મંગળવારનો દિવસ એ ભગવાન હનુમાનજીને સમર્પિત છે.

જે લોકોના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેમણે મંગળવારના દિવસે અચૂક કેટલાક ઉપાયો કરવા જોઇએ. હનુમાનજી સંબંધીત આ ઉપાયોથી વ્યક્તિને ખૂબ ઝડપથી સારા સમાચાર મળે છે. તે કુંડળીમાં રહેલ ગ્રહોની સ્થિતિ મજબૂત કરીને સારું ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને શનિની સમસ્યાને દૂર કરવા માટે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તેનાથી ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે. આ આરાધના અત્યંત પ્રભાવી પણ માનવામાં આવે છે. આવો આવાં જ ઉપાયો વિશે વિગતે માહિતી મેળવીએ.

દુઃખ નિવારણ અર્થે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો આપના જીવનમાં ખૂબ જ પરેશાનીઓ હોય, આપને ડગલે ને પગલે મુસીબતોનો સામનો કરવો પડતો હોય તો હનુમાનજીને મંગળવારના દિવસે સિંદૂર અર્પણ કરીને પૂજા કરવી જોઇએ. આ ઉપાય જો આપ દર મંગળવારે કરશો તો ધીરે ધીરે આપના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને આપના જીવનમાં ખુશીઓ આવવા લાગશે.

નોકરી અર્થે

જો નોકરી ધંધામાં આપને પરેશાનીનો સામનો કરવો પડતો હોય, જો યોગ્ય મહેનત કરવા છતાં પણ સારું પરિણામ ન મળતું હોય તો મંગળવારના દિવસે હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવું જોઇએ. આ ઉપાય દ્વારા આપને નોકરીમાં બઢતી, બદલીની તકો વધી જશે.

જો પૈસા ટકતા ન હોય તો ?

કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સારું કમાતા હોવા છતાં તેમની પાસે પૈસા બચતા નથી. આવી સ્થિતિમાં મંગળવારના દિવસે વડના ઝાડના એક પાનને સાફ કરીને પાણી વડે ધોઇ લો. પછી આ પાન પર કેસર વડે શ્રીરામ લખીને પોતાના પર્સમાં રાખી લો. આ કાર્ય કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે. આપને પૈસાની તંગી પણ ક્યારેય નહીં વર્તાય.

સુખ શાંતિ અર્થે

ઘર પરિવારમાં સુખ શાંતિ અર્થે મંગળવારના રોજ હનુમાનજી સામે સરસવના તેલનો એક દીપ પ્રજ્વલિત કરવો. આ સિવાય મંગળવાર કે શનિવારના દિવસથી શરૂ કરીને સળંગ 21 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં જઇને ગોળ-ચણા અવશ્ય અર્પણ કરવા. તેનાથી આપને રાહત મળશે.

કુંડળીમાં રહેલ શનિદોષ અર્થે

હનુમાનજીની આરાધના કરવાથી ન માત્ર મંગળ ગ્રહ મજબૂત બને છે પરંતુ શનિ દોષ પણ દૂર થાય છે. મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં જઇને હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરવાથી શનિ ગ્રહની ખરાબ અસર દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ! જાણો રસપ્રદ કથા

આ પણ વાંચો : લઈ લો શ્રીરામનું નામ, હનુમાનજી પૂર્ણ કરશે તમારા દરેક કામ !

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">