ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા

લૌકિક માન્યતા અનુસાર કનક ભવન જ સીતારામજીનું નિવાસસ્થાન હતું. કહે છે કે ત્રેતાયુગમાં કનક ભવનથી સુંદર અને વધારે ભવ્ય અન્ય કોઈ જ ભવન ન હતું. તેના નામની જેમ જ કનક ભવન એ કનક એટલે કે સુવર્ણથી મઢાયેલું હતું !

ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા
kanak bihari
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 24, 2022 | 3:24 PM

અયોધ્યા એટલે તો શ્રીરામની (shri ram) જન્મભૂમિ. એ ભૂમિ કે જેના કણ-કણમાં શ્રીરામચંદ્રજીના સ્પંદનોની અનુભૂતિ આજે પણ વર્તાઈ રહી છે. તે આ જ ધરા છે કે જેને ‘રામરાજ્ય’ના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આજે આજ ભૂમિ પર શ્રીરામચંદ્રજીના અનેકવિધ સ્થાનકોના દર્શન માત્ર શ્રદ્ધાળુઓને પરમ સૌભાગ્યની અનુભૂતિ કરાવી રહ્યા છે. જેમાંથી જ એક છે અયોધ્યામાં આવેલું અત્યંત મનોહારી કનક ભવન. (Kanak Bhawan) કનક ભવનની આભા જ કંઈક એવી છે કે તેને બસ નિહાળતા જ રહી જઈએ.

કનક ભવન એ અયોધ્યાના સૌથી સુંદર મંદિરોમાંથી એક છે! આ મનોહારી મંદિરની શોભા ખરેખર જ કોઈ ભવ્ય મહેલ જેવી ભાસે છે. તે કલાકારીગરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું પાડે છે. પરંતુ, તેનાથીયે વધુ સર્વોત્તમ તો છે આ કનક ભવનમાં વિદ્યમાન સિયારામની પ્રતિમાઓ. અહીં મંદિરમાં ભક્તોને સિયારામની અત્યંત મનોહારી મૂરતના દર્શન થઈ રહ્યા છે. આ પ્રતિમાઓની આભા જ કંઈક એવી છે કે બસ, નિરખ્યા જ કરીએ. શ્રીરામચંદ્રજી અહીં પદ્માસનમાં આરુઢ થયા છે અને દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે.

કનક ભવનમાં બિરાજમાન હોઈ શ્રીરામ અહીં કનક બિહારી અને દેવી સીતા કનક બિહારીનીના નામે પૂજાય છે. લૌકિક માન્યતા અનુસાર કનક ભવન જ સીતારામજીનું નિવાસસ્થાન હતું. કહે છે કે ત્રેતાયુગમાં કનક ભવનથી સુંદર અને વધારે ભવ્ય અન્ય કોઈ જ ભવન ન હતું. તેના નામની જેમ જ કનક ભવન એ કનક એટલે કે સુવર્ણથી મઢાયેલું હતું અને તેમાં વિવિધ પ્રકારના રત્ન જડવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભક્તોને ઘેલું લગાવે છે અયોધ્યાના કનક ભવનની આ પ્રતિમા! જાણો કનક બિહારીનો મહિમા

પ્રચલિત કથા અનુસાર ત્રેતાયુગમાં રાજા દશરથે તેમની પત્ની કૈકયી માટે વિશ્વકર્મા પાસે કનક ભવનનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ, શ્રીરામના વિવાહ બાદ કૈકયીએ જ્યારે પ્રથમવાર સીતાજીને જોયા, ત્યારે આ ભવન તેમને ભેટમાં આપી દીધો. આ રીતે કનક ભવન સીતાજીનું અંતઃપુર બન્યું. દંતકથા અનુસાર સિયારામ અહીં જ નિવાસ કરતા.

અહીં દેવી સીતાનું સિંદૂર કુંવારી કન્યાઓને પ્રસાદ રૂપે અપાય છે. માન્યતા અનુસાર તેનાથી ખૂબ જ જલ્દી કન્યાના વિવાહનો યોગ સર્જાય છે અને તેમને મનના માણીગરની પ્રાપ્તિ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ આ છોડને ઘરમાં લગાવવાની ના કરશો ભૂલ, નહીંતર થઈ શકે છે નુકસાન

આ પણ વાંચોઃ લીલો રંગ કેવી રીતે કરશે તમારો ભાગ્યોદય ? જાણો, બુધવાર સાથે જોડાયેલું લીલા રંગનું રહસ્ય !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">