ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે આ રાધાષ્ટમી, જાણો દેવી રાધાને પ્રસન્ન કરવાની અત્યંત સરળ વિધિ

|

Sep 14, 2021 | 12:14 PM

વાસ્તવમાં તો દેવી રાધા એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. એટલે જેમ લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે, તે જ રીતે દેવી રાધાની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે.

ઋણમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે આ રાધાષ્ટમી, જાણો દેવી રાધાને પ્રસન્ન કરવાની અત્યંત સરળ વિધિ
ઋણમુક્તિના આશિષ પ્રદાન કરશે દેવી રાધા

Follow us on

ભાદરવા મહિનાની સુદ પક્ષની આઠમની તિથિ એ દેવી રાધાનો (Radha) પ્રાગટ્ય દિવસ મનાય છે. સમગ્ર ભારતમાં અને ખાસ તો વ્રજ ભૂમિમાં ભક્તો હર્ષોલ્લાસ સાથે તેની ઉજવણી કરે છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે, કે આ દિવસ એ રાધારાણીની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ સર્વોત્તમ મનાય છે. એટલું જ નહીં, એક માન્યતા અનુસાર આ દિવસે જો કેટલાંક વિશેષ ઉપાય અજમાવવામાં આવે, તો વ્યક્તિને દેવામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે સંદર્ભે જ વાત કરીએ.

વાસ્તવમાં તો દેવી રાધા એ લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. એટલે જેમ લક્ષ્મીને પ્રસન્ન કરવાથી ઘરમાં ધનનું, સમૃદ્ધિનું આગમન થાય છે, તે જ રીતે દેવી રાધાની આરાધના કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે કોઈ વિશેષ પૂજા પાઠ પણ નથી કરવાના. બસ, આસ્થા સાથે એક મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્ર નીચે મુજબ છે.

ફળદાયી મંત્ર
“ૐ હ્રીં રાધિકાયૈ નમઃ । ”
“ૐ હ્રીં શ્રીરાધાયૈ સ્વાહા ।”

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

માન્યતા અનુસાર ધનની પ્રાપ્તિ અર્થે ઉપરોક્ત બેમાંથી કોઈ પણ એક મંત્રનો આસ્થા સાથે જાપ કરી શકાય. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. રાધાષ્ટમીથી શરૂ કરી નિત્ય તેના જાપ થઈ શકે તો તે વિશેષ લાભદાયી બની રહેશે. જો તે શક્ય ન હોય તો અઠવાડિયે એક વાર જરૂર પ્રયોગ કરવો.

ફળપ્રાપ્તિ
માન્યતા અનુસાર રાધાષ્ટમીએ આસ્થા સાથે જ્યારે આ મંત્રના જાપ કરવામાં આવે છે, ત્યારે દેવી રાધા અત્યંત પ્રસન્ન થાય છે. આખરે, એવાં સંજોગોનું નિર્માણ થાય છે કે, વ્યક્તિ ઝડપથી તેનું દેવું ચૂકવી શકે અને સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ સ્થિર થશે. એક માન્યતા એવી છે કે જે રાધાષ્ટમીએ આસ્થા સાથે આ મંત્રના જાપ કરે છે, તેમના ઘરમાં ક્યારેય નાણાની ખોટ નથી વર્તાતી.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા
આ પણ વાંચોઃ રાધાષ્ટમી પર જાણો કોણ છે શ્રી રાધા ? આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો

Next Article