વિવિધ કામનાઓને પૂર્ણ કરશે શ્રીગણેશના આ 12 નામ ! જાણો, કેવી રીતે કરશો ફળદાયી નામનો જાપ ?

જે દંપતીની સંતાનની કામના અપૂર્ણ હોય તેમણે ભગવાન ગણેશનું (lord ganesha) શરણું જરૂરથી લેવું જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર દંપતીએ સવારે અને સાંજે ગણેશજી સમક્ષ બેસીને તેમના 12 નામનો જાપ કરવો જોઈએ. યાદ રાખો, આ જાપ પતિ-પત્નીએ એકસાથે કરવાના છે.

વિવિધ કામનાઓને પૂર્ણ કરશે શ્રીગણેશના આ 12 નામ ! જાણો, કેવી રીતે કરશો ફળદાયી નામનો જાપ ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 24, 2023 | 6:24 AM

શ્રીગણેશજીને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તે વિઘ્નોને હરનારા દેવ છે અને એટલે જ કોઇપણ કાર્યની શરૂઆત કરતાં પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશ જ દેવતાઓમાં પ્રથમ પૂજનીય દેવ મનાય છે. કહે છે કે ગણપતિની પૂજા કરવાથી મનુષ્યના દુઃખોનો નાશ થાય છે અને તેને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ, જાણો છો શ્રીગણેશ તેમના 12 નામના જાપથી સવિશેષ પ્રસન્ન થાય છે ? એટલું જ નહીં, માન્યતા અનુસાર જે વ્યક્તિ આ 12 નામના જાપ કરે છે, તેના અનેક મનોરથોને શ્રીગણેશ સિદ્ધ કરી લે છે. આવો, આજે તે વિશે જ વિગતે માહિતી મેળવીએ.

12 નામથી મેળવો ગણેશકૃપા

(1) ૐ સુમુખાય નમઃ, (2) ૐ એકદંતાય નમઃ (3) ૐ કપિલાય નમઃ (4) ૐ ગજકર્ણાય નમઃ (5) ૐ લંબોદરાય નમઃ (6) ૐ વિકટાય નમઃ (7) ૐ વિધ્નનાશાય નમઃ (8) ૐ વિનાયકાય નમઃ (9) ૐ ધૂમ્રકેતવે નમઃ (10) ૐ ગણાધ્યક્ષાય નમઃ (11) ૐ ભાલચંદ્રાય નમઃ (12) ૐ ગજાનનાય નમઃ

12 નામના જાપની વિધિ

વાસ્તવમાં શ્રીગણેશના આ 12 નામનો ઉલ્લેખ નારદપુરાણમાં મળે છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર જાતકે શ્રીગણેશને સિંદૂર અર્પણ કરીને આ 12 નામનો જાપ કરવો જોઈએ. કહે છે કે તેનાથી વ્યક્તિને દરેક કાર્યમાં સિદ્ધિની એટલે કે સફળતાની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ નામના જાપથી વ્યક્તિની નીચે અનુસારની અનેકવિધ કામનાઓ પણ સિદ્ધ થઈ જાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિદ્યાની પ્રાપ્તિ

ભગવાન ગણેશને વિદ્યા અને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમના સર્વ પ્રથમ આશીર્વાદ જ વિદ્યાના રૂપમાં વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પ્રચલિત માન્યતા અનુસાર જે બાળક આ 12 નામનો નિત્ય જાપ કરે છે, તેની યાદશક્તિ ખૂબ જ તીવ્ર બની જાય છે. બાળક અત્યંત મેઘાવી બને છે અને તેને વિદ્યાના શુભાશિષની પ્રાપ્તિ થાય છે.

ધનની પ્રાપ્તિ

ભગવાન ગણેશજીને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. રિદ્ધિ અને સિદ્ધિ તેમના પત્ની છે અને તે સદૈવ તેમની સેવામાં રહે છે. માન્યતા અનુસાર જે જાતક ગણેશજીના 12 નામનો જાપ કરે છે, તેના પર ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ત્યારબાદ તે વ્યક્તિને રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થતા વાર નથી લાગતી. શ્રીગણેશના આશિષથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે અને તેના ધનના ભંડાર ભરેલા રહે છે.

સંતાનની પ્રાપ્તિ

જે દંપતીની સંતાનની કામના અપૂર્ણ હોય તેમણે ગણેશજીનું શરણું જરૂરથી લેવું જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર દંપતીએ સવારે અને સાંજે ગણેશજી સમક્ષ બેસીને તેમના 12 નામનો જાપ કરવો જોઈએ. યાદ રાખો, આ જાપ પતિ-પત્નીએ એકસાથે કરવાના છે. કહે છે કે આ ઉપાયથી ગણેશજી પોતાના ભક્તોના દરેક સંકટને દૂર કરે છે અને તેમની ઝોળીમાં ખુશીઓ ભરી દે છે.

મોક્ષની પ્રાપ્તિ

એક માન્યતા અનુસાર ગણેશજીની આરાધના કરવાથી મનુષ્યને તમામ પાપકર્મથી મુક્તિ મળી જાય છે. વ્યક્તિ જીવતે જીવ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ કરવા લાગે છે અને અંતે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">