Bhakti : મંદિરમાં જવાના તો છે અનેક ફાયદા, કોઈ ભાગ્યે જ હશે તેનાથી માહિતગાર !

મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં જઈને માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિને એક અદભુત શક્તિનો અનુભવ થાય છે. મંદિરે જવાનું આ ધાર્મિક મહત્વ તો છે જ પણ સાથે જ તેની સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલા છે.

Bhakti : મંદિરમાં જવાના તો છે અનેક ફાયદા, કોઈ ભાગ્યે જ હશે તેનાથી માહિતગાર !
તન અને મનને સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ કરાવશે મંદિર !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 28, 2021 | 10:19 AM

મંદિર (Temple) એક પવિત્ર સ્થળ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે આસ્થાનું કેન્દ્ર હોય છે. એટલા માટે જ તો મંદિરની નજીકથી પસાર થતી વખતે પણ દરેક વ્યક્તિ એકવાર તો માથું નમાવે જ છે. સામાન્ય રીતે તો દરેક વ્યક્તિ ભગવાનના દર્શન અને મનોકામનાની પૂર્તિની પ્રાર્થના માટે જ મંદિર જતી હોય છે. ભક્તિ અને શ્રદ્ધાને કારણે જ લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે.

ગરીબ હોય કે શ્રીમંત, બધા મંદિરોની અંદર પોતાનું માથુ નમાવીને ભગવાનને નમસ્કાર કરે છે. તો, ઘણાં લોકો તો એવાં પણ હશે કે જે નિયમિતપણે મંદિરમાં દર્શને જતા જ હશે. દેશમાં સદીઓથી જ મંદિરમાં ભગવાનના દર્શન કરવાની પરંપરા ચાલતી આવી છે. પરંતુ શું તમે લોકો એ જાણો છો કે મંદિરે જવાથી કેવાં-કેવાં ફાયદા થાય છે ?

મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં જઈને માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિને એક અદભુત શક્તિનો અનુભવ થાય છે. મંદિરે જવાનું ધાર્મિક મહત્વ તો છે જ પણ સાથે જ તેની સાથે વૈજ્ઞાનિક તથ્યો પણ જોડાયેલા છે, કે જેનાથી ઘણાં ઓછાં લોકો માહિતગાર હશે. ત્યારે આવો આજે જાણીએ મંદિરે જવાના ચમત્કારિક ફાયદાઓ વિશે વાત કરીએ. જેને જાણ્યા પછી તમને પણ નિત્ય મંદિરે દેવદર્શને જવાની ઈચ્છા થઈ જશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

મંદિર નિર્માણ

મંદિરનું નિર્માણ વૈજ્ઞાનિક રીતે થતું હોય છે. મંદિર એવી રીતે બનાવાય છે કે જ્યાં શાંતિ અને દિવ્યતા ઉત્પન્ન થાય છે. મંદિરમાં મૂર્તિની સ્થાપના હંમેશા ગુંબજની નીચે કરવામાં આવે છે. જે ધ્વનિ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી બનાવાય છે. ગુંબજને કારણે મંદિરમાં થતા મંત્રોચ્ચારનો સ્વર ગુંજે છે અને મંદિરમાં આવતી દરેક વ્યકિતને પ્રભાવિત કરે છે.

ગુંબજ અને મૂર્તિનું મધ્યબિંદુ એક હોવાથી મૂર્તિમાં નિરંતર ઊર્જા પ્રવાહિત થાય છે. એટલા માટે જ જ્યારે મૂર્તિને સ્પર્શ કરી તેની સામે માથું નમાવીએ છીએ, ત્યારે તે સકારાત્મક ઊર્જા આપણી અંદર પણ પ્રવાહિત થાય છે. તેનાથી આપણી અંદર શક્તિ, ઉત્સાહનો સંચાર થાય છે.

ખુલ્લા પગે મંદિર પ્રવેશ

આપણે બધા જાણીએ છીએ કે મંદિરમાં પ્રવેશતા પહેલા આપણે આપણા પગરખાં કે ચંપલ બહાર ઉતારી દઈએ છીએ. ખુલ્લા પગે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. જ્યારે આપણે મંદિરની અંદર ખુલ્લા પગે ચાલીએ છીએ અને ભગવાનની આસપાસ પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણા પગમાં રહેલા પ્રેશર પોઇન્ટ ઉપર દબાણ પડે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. મંદિરની અંદર ખુલ્લા પગે જવાથી સકારાત્મક ઊર્જા પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે.

ઘંટારવ અને શંખનાદ

મંદિરની પવિત્રતા પણ આપણાં અંતરમનને પ્રભાવિત કરે છે. વ્યક્તિને પોતાની અંદર અને બહાર પવિત્રતા રાખવાની પ્રેરણા મંદિર આપે છે. મંદિરમાં વગાડવામાં આવતો શંખ અને ઘંટનો અવાજ પણ વાતાવરણમાંથી નકારાત્મકતાને દૂર કરે છે. તમે દરેક દર્શનાર્થીને ઘંટ વગાડીને મંદિરમાં પ્રવેશ કરતાં જોયા હશે. ઘંટનો અવાજ દેવમૂર્તિને જાગૃત કરે છે, જેથી તે આપણી પ્રાર્થના સાંભળી શકે.

ભગવાનની મૂર્તિ

જ્યારે આપણે મંદિરે જઈએ છીએ અને મંદિરમાં રહેલા ભગવાનની મૂર્તિની સામે ઊભા રહીને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે તેનાથી આપણા મગજના ખાસ ભાગ ઉપર દબાણ પડવા લાગે છે. જેથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આપણી આસ્થા અને વિશ્વાસનું પ્રતિક છે.

આપણે મૂર્તિની સામે બેસી હાથ જોડી, આંખ બંધ કરી એકાગ્ર થઈએ છીએ. આ એકાગ્રતા જ વ્યક્તિને ભગવાન સાથે એકાકાર કરે છે. તે સમય આપણે આપણી અંદર જ ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ કરીએ છે. આવી રીતે જ એકાગ્ર થઈ ચિંતન-મનન કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.

ભગવાનની આરતી, હવન

મંદિરની અંદર ભગવાનની આરતી કરવામાં આવે છે. આરતી આપણી મગજની પ્રવૃત્તિને યોગ્ય કરે છે અને તાણ પણ દૂર કરી દે છે. આ સિવાય મંદિરમાં હવન જેવા કાર્ય થતા રહે છે. હવનમાંથી નીકળતો ધુમાડો દૂષિત જીવાણુઓને મારી નાખે છે. અને તેનાથી વાયરલ ચેપનું જોખમ પણ દૂર થઇ જાય છે.

તાલીનું રહસ્ય

મંદિરની અંદર ભક્તો આરતી સમયે તાળીઓ વગાડે છે. તાળીઓ વગાડવાથી આપણા શરીરના જુદા જુદા ભાગો યોગ્ય રીતે કાર્ય કરે છે. તેનાથી આપણી આંતરિક શક્તિ પણ મજબૂત બને છે.

તિલક લગાવવું

જ્યારે આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ભગવાનના દર્શન કર્યા પછી કપાળ ઉપર તિલક લગાવીએ છીએ. જ્યારે કપાળ ઉપર તિલક લગાવતા હોઈએ છીએ, ત્યારે આપણા મગજના કોઈ ખાસ ભાગ ઉપર દબાણ પડે છે. તેનાથી આપણી એકાગ્રતા વધે છે. એટલે કે મંદિર એ માત્ર મનોકામનાઓની પૂર્તિનું ધામ જ નથી પણ, તન-મનની શુદ્ધિનું કેન્દ્ર પણ છે. જે વ્યક્તિને કરાવે છે સકારાત્મક ઊર્જા અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ.

આ પણ વાંચો : લગ્ન થવામાં વારંવાર નડે છે કોઈ વિઘ્ન ? તો અજમાવો આ ખાસ ઉપાય

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">