Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રી ગણેશજી પૂર્ણ કરશે તમામ મનોકામના, જો આવી રીતે આ સંકષ્ટિ ચતુર્થીએ કરશો ગણેશજીની આરાધના !

સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ કહેવાય છે. માનવામાં આવે છે કે આજના દિવસે કરવામાં આવતી ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

શ્રી ગણેશજી પૂર્ણ કરશે તમામ મનોકામના, જો આવી રીતે આ સંકષ્ટિ ચતુર્થીએ કરશો ગણેશજીની આરાધના !
સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: May 29, 2021 | 3:17 PM

શ્રી ગણેશ (GANESH) એટલે તો સૌનું શુભ કરતા દેવ. તમામ પરેશાનીને વિઘ્નોને દુર કરનારા દેવ એટલે વિઘ્નહર. આમ તો દરેક શુભ કાર્યની શરુઆત ગજાનના સ્મરણથી જ થાય છે. દર મંગળવારે લોકો ગણેશજીની વિશેષ પૂજા કરતા હોય છે. પણ આજનો સંકષ્ટિ ચતુર્થીનો દિવસ તો કઈંક વધારે જ ખાસ મનાય છે. પૂનમના દિવસે આવતી ચોથને સંકષ્ટિ ચતુર્થી કહે છે. સંકષ્ટિ ચતુર્થી એ વિઘ્નહરની આરાધના માટેનો સર્વોત્તમ દિવસ કહેવાય છે. માનવામાં આવે છે કે આજના દિવસે કરવામાં આવતી ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. લોકો આજના દિવસે શ્રી ગણેશને પ્રસન્ન કરવાના ઉપાયો પણ કરતાં હોય છે તો કોઈ તો આજે વિશેષ વ્રત ધારણ કરતાં હોય છે. ત્યારે આવો આજે આપને જણાવીએ કે, શું કરવાથી થશે ગજાનન પ્રસન્ન ? એવું તે શું કરશો આજની સંકષ્ટિ ચતુર્થીએ કે જેનાથી લંબોદર આપના તમામ કષ્ટોને દુર કરશે ? આવો જાણીએ

Shri Ganeshji will fulfill all mental desires, if you do this Sankashti Chaturthi in such a way, worship Ganesha!

ગણેશજીની પૂજા સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

⦁ સૌથી પહેલાં તો સંકષ્ટિએ વહેલી સવારી જાગી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. ⦁ આજે જે વ્યક્તિએ ખાસ વ્રત કરવું છે તેમણે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. લાલ રંગ એ શ્રી ગણેશનો પ્રિય રંગ માનવામાં આવે છે. ⦁ ત્યારબાદ ગણેશજીના પૂજનનો પ્રારંભ કરવો જોઈએ. યાદ રહે પૂજા પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોં રાખી કરવી. ⦁ પૂજાના પ્રારંભમાં ગણેશજીની પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. ⦁ ત્યારબાદ ધુપ-દિપથી ગણેશજીની આરતી ઉતારવી જોઈએ. ⦁ ગજાનના પ્રિય એવા મોદકનો ભોગ અવશ્ય તેમને અર્પણ કરવો જોઈએ. ઋતુ અનુસાર કોઈ ફળનો ભોગ પણ આપ લગાવી શકો છો. ⦁ દિવસ દરમિયાન વ્યક્તિએ શક્ય હોય તો ફળાહાર ગ્રહણ કરવું. ⦁ સાંજના સમયે સંકષ્ટિ ગણેશ ચતુર્થીની કથા વાંચવી અથવા સાંભળવી. ⦁ રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ ફરી ગણેશજીની આરતી ઉતારવી, તેમનું પૂજન કરવું. ⦁ શક્ય હોય તો 108 વાર ૐ ગણેશાય નમ : અથવા ૐ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો. ⦁ ત્યારબાદ વ્યક્તિ તેનું વ્રત ખોલી શકે છે. ⦁ શક્ય હોય તો આજે એટલે કે સંકષ્ટિ ચોથના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર દાન કરવું.

આજના દિવસે કરેલી ગણેશજીની ખાસ પૂજા વ્યક્તિના તમામ મનોરથને પૂર્ણ કરે છે. ત્યારે વિઘ્નહર આપના પણ વિઘ્નોને દુર કરે તે જ અભ્યર્થના.

"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી
આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?

આ પણ વાંચો : કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">