શમી પૂર્ણ કરશે શમણું ! જાણો, એક છોડ તમને કેવી રીતે બનાવશે ધનવાન ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ (Shami plant) ઘરના મુખ્યદ્વાર પર રાખવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો આપ ઇચ્છો તો ઘરના ઇશાન ખૂણામાં પણ શમીનો છોડ લગાવી શકો છો. શમીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

શમી પૂર્ણ કરશે શમણું ! જાણો, એક છોડ તમને કેવી રીતે બનાવશે ધનવાન ?
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 14, 2023 | 6:26 AM

શમીના છોડને વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વનો છોડ માનવામાં આવે છે. કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ છોડ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર શમીના છોડની યોગ્ય રીતે પૂજા કરવાથી તેના ગુણનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં, તે વ્યક્તિને વ્યવસાય અને નોકરીમાં આવનારી સમસ્યામાંથી છુટકારો અપાવી દે છે ! તો, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે પણ તે શ્રેષ્ઠ માધ્યમ મનાય છે. પણ, કઈ રીતે ? આવો, આજે તે સંદર્ભે વિગતે માહિતી મેળવીએ.

શમીનું ધાર્મિક મહત્વ

⦁ શમીને દેશના કેટલાક વિસ્તારોમાં ખીજડાના નામે ઓળખવામાં આવે છે. શમીના પાનને ખાસ પ્રકારની પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.

⦁ ધાર્મિક દૃષ્ટિએ જોઇએ તો શમીને શનિ મહારાજનો છોડ માનવામાં આવે છે. કહે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીના મત મુજબ જેમને શનિની સાડા સાતી, કે અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તેમણે તો નિયમિત રીતે શમીના વૃક્ષની પૂજા કરવી જોઇએ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

⦁ શમીના પાનને આસ્થા સાથે ગણેશજીને અર્પણ કરવાથી પણ શનિદોષનો પ્રભાવ ઓછો થઇ જાય છે !

⦁ માન્યતા અનુસાર ભગવાન શિવને શમીના પાન અર્પણ કરવાથી આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે !

⦁ કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી નોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિના યોગ સર્જાય છે ! અને ઘરમાં ધનનું આગમન થવા લાગે છે.

⦁ શમીનો છોડ જીવનમાં આવનારી તમામ પ્રકારની પરેશાનીઓથી વ્યક્તિને મુક્તિ અપાવી દે છે.

કઈ દિશામાં લગાવશો શમીનો છોડ ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરના મુખ્યદ્વાર પર રાખવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો આપ ઇચ્છો તો ઘરના ઇશાન ખૂણામાં પણ શમીનો છોડ લગાવી શકો છો. શમીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.

શું રાખશો ધ્યાન ?

શમીનો છોડ અત્યંત ફળદાયી મનાય છે. પરંતુ, તે ત્યારે જ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે કે જ્યારે તેની ગરિમા જળવાય અને તેની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રખાય ! એટલે, એક વાતનું ખાસ ધ્યાન રાખો, કે તમે ઘરમાં જ્યારે શમીનો છોડ લગાવો છો તો તેની આસપાસ ગંદકી સહેજ પણ ન રાખવી જોઈએ. સાથે જ તેની આસપાસમાં ચંપલ પણ ન રાખવા જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">