AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શમી પૂર્ણ કરશે શમણું ! જાણો, એક છોડ તમને કેવી રીતે બનાવશે ધનવાન ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ (Shami plant) ઘરના મુખ્યદ્વાર પર રાખવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો આપ ઇચ્છો તો ઘરના ઇશાન ખૂણામાં પણ શમીનો છોડ લગાવી શકો છો. શમીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

શમી પૂર્ણ કરશે શમણું ! જાણો, એક છોડ તમને કેવી રીતે બનાવશે ધનવાન ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 14, 2023 | 6:26 AM
Share

શમીના છોડને વાસ્તુશાસ્ત્રમાં એક મહત્વનો છોડ માનવામાં આવે છે. કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ છોડ સાથે ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. માન્યતા અનુસાર શમીના છોડની યોગ્ય રીતે પૂજા કરવાથી તેના ગુણનો લાભ પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં, તે વ્યક્તિને વ્યવસાય અને નોકરીમાં આવનારી સમસ્યામાંથી છુટકારો અપાવી દે છે ! તો, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે પણ તે શ્રેષ્ઠ માધ્યમ મનાય છે. પણ, કઈ રીતે ? આવો, આજે તે સંદર્ભે વિગતે માહિતી મેળવીએ.

શમીનું ધાર્મિક મહત્વ

⦁ શમીને દેશના કેટલાક વિસ્તારોમાં ખીજડાના નામે ઓળખવામાં આવે છે. શમીના પાનને ખાસ પ્રકારની પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે.

⦁ ધાર્મિક દૃષ્ટિએ જોઇએ તો શમીને શનિ મહારાજનો છોડ માનવામાં આવે છે. કહે છે કે આ છોડને ઘરમાં લગાવવાથી શનિ મહારાજની કૃપાની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીના મત મુજબ જેમને શનિની સાડા સાતી, કે અઢી વર્ષની પનોતી ચાલી રહી હોય તેમણે તો નિયમિત રીતે શમીના વૃક્ષની પૂજા કરવી જોઇએ.

⦁ શમીના પાનને આસ્થા સાથે ગણેશજીને અર્પણ કરવાથી પણ શનિદોષનો પ્રભાવ ઓછો થઇ જાય છે !

⦁ માન્યતા અનુસાર ભગવાન શિવને શમીના પાન અર્પણ કરવાથી આપને મોક્ષની પ્રાપ્તિ થાય છે !

⦁ કહે છે કે શમીનો છોડ ઘરમાં લગાવવાથી નોકરી અને વ્યવસાયમાં પણ પ્રગતિના યોગ સર્જાય છે ! અને ઘરમાં ધનનું આગમન થવા લાગે છે.

⦁ શમીનો છોડ જીવનમાં આવનારી તમામ પ્રકારની પરેશાનીઓથી વ્યક્તિને મુક્તિ અપાવી દે છે.

કઈ દિશામાં લગાવશો શમીનો છોડ ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરના મુખ્યદ્વાર પર રાખવો શુભ માનવામાં આવે છે. તેના સિવાય જો આપ ઇચ્છો તો ઘરના ઇશાન ખૂણામાં પણ શમીનો છોડ લગાવી શકો છો. શમીનો છોડ ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી વ્યક્તિને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળી જાય છે.

શું રાખશો ધ્યાન ?

શમીનો છોડ અત્યંત ફળદાયી મનાય છે. પરંતુ, તે ત્યારે જ પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવે છે કે જ્યારે તેની ગરિમા જળવાય અને તેની આસપાસ સ્વચ્છતાનું પણ ધ્યાન રખાય ! એટલે, એક વાતનું ખાસ ધ્યાન રાખો, કે તમે ઘરમાં જ્યારે શમીનો છોડ લગાવો છો તો તેની આસપાસ ગંદકી સહેજ પણ ન રાખવી જોઈએ. સાથે જ તેની આસપાસમાં ચંપલ પણ ન રાખવા જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">