AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા

શનિદેવ સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે ? જાણો શા માટે કરવામાં આવે છે તેની પૂજા
Shami Plant Significance
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:01 PM
Share

Shami Plant Significance: એવું કહેવાય છે કે દરેક છોડનું પોતાનું વિશેષ મહત્વ હોય છે. દરેક છોડ પોતાનામાં એક ખાસ ગુણ ધરાવે છે. કેટલાક છોડ સુંદરતા વધારે છે જ્યારે કેટલાક રંગ, સુગંધ, ફળ અને ફૂલ ધરાવે છે. પરંતુ કેટલાક છોડ પૂજન માટે પણ ખાસ હોય છે. તેમાંથી એક શમી વૃક્ષ છે.

શનિદેવ (Shanidev) સાથે સંબંધિત આ છોડનું નામ શમી છે. શમીનો છોડ જીવનના તમામ દુઃખો અને પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે. આ છોડની રોજ પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

શમીના છોડનું ધાર્મિક મહત્વ શું છે પુરાણો અનુસાર ભગવાન શ્રી રામ પ્રભુએ લંકા પર હુમલો કરતા પહેલા આ છોડની પૂજા કરી હતી. એટલું જ નહીં, પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ વૃક્ષ પર તેમના અસ્ત્રો અને શસ્ત્રો પણ છુપાવ્યા હતા. એટલા માટે આ છોડને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે.

શમીની સ્થાપના ક્યારે અને ક્યાં કરવી 1. શમીનો છોડ ઘરમાં રાખવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ તેને વિજયાદશમી પર લગાવવો શ્રેષ્ઠ છે. 2. જો તમે શનિવારે આ ખાસ છોડ લગાવો તો તે પણ સારું છે. 3. આ શુભ છોડને ઘરમાં કુંડામાં અથવા ઘરના મુખ્ય દરવાજાની નજીક જમીન પર રોપવું સારું માનવામાં આવે છે. 4. જો તમારા ઘરમાં આ છોડ છે, તો પ્રયાસ કરો કે તે ક્યારેય સુકાઈ ન જાય.

આ છોડની પૂજા કેવી રીતે કરવી 1. દર શનિવારે ઘરમાં રાખેલા શમીના છોડ પાસે દીવો પ્રગટાવો. 2. ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 3. દરરોજ સ્નાન કર્યા પછી શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. 4. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે. 5. કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય માટે ઘરેથી નીકળતા પહેલા આ છોડના દર્શન કરીને જ નીકળવું જોઈએ. 6. દરરોજ આ છોડની પૂજા કરવાથી તમામ પ્રકારના દુ:ખનો નાશ થાય છે. 7. આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને ધન-સંપત્તિમાં વધારો થાય છે. 8. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: જાણો ચાચરિયામાં વિદ્યમાન માતા મહાકાળીના દિવ્ય સ્વરૂપનો મહિમા

આ પણ વાંચો : Horoscope Today 25 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">