AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંકટમોચન હનુમાનજીને કરો પ્રસન્ન, રામરક્ષા સ્તોત્ર કરશે તમારા જીવનના તમામ કષ્ટોને દૂર

જીવનમાં આવનાર તમામ સમસ્યાઓથી તમને દૂર રાખશે હનુમાનજીના (Hanumanji) આશીર્વાદ. જીવનની કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ. આવા નાના નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં સર્જાય.

સંકટમોચન હનુમાનજીને કરો પ્રસન્ન, રામરક્ષા સ્તોત્ર કરશે તમારા જીવનના તમામ કષ્ટોને દૂર
Lord Hanuman (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Nov 26, 2022 | 6:26 AM
Share

જીવનમાં કોઇપણ સંકટ કે પરેશાની હોય આવા સમયમાં મનુષ્યની સકારાત્મક ઊર્જાને હાનિ થાય છે. માન્યતા અનુસાર સંકટગ્રસ્ત વ્યક્તિ સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરીને પોતાની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકે છે. શનિવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા કેટલાક ખાસ ઉપાયો અજમાવવામાં આવશે તો પરેશાની તો દૂર થશે સાથે જ કિસ્મત ચમકી જશે. હનુમાનજીની કૃપા મેળવવા માટે ભગવાન રામજીના નામનો જાપ પણ મહત્વનો છે. નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઇએ. હનુમાનજીને પ્રસન્ન કરવા આજના દિવસે ભક્તો તેમને કેટલાય પ્રકારના ભોગ અર્પણ કરે છે અને કેટલાય પ્રકારની વસ્તુઓ ભેટ કરે છે. આવું કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

મનોકામનાપૂર્તિ અર્થે

હનુમાનજીના શ્રીરૂપના મસ્તકમાં રહેલ સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઇને માતા સીતાજીના શ્રીરૂપ તેમના ચરણોમાં લગાવવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

નકારાત્મક ઊર્જાના નાશ અર્થે

શનિવારના દિવસે વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી. આવું કરવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ હોય તો તે દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર શરૂ થાય છે

નજરદોષમાંથી મુક્તિ અર્થે

કાળા તલ, જવનો લોટ અને તેલ મેળવીને મિક્સ કરેલ કણક લઇને તેમાથી રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગાવીને જેને નજર લાગી હોય તે વ્યક્તિની ઉપરથી સાત વાર ઉતારીને ભેંસને આ રોટલી ખવડાવી દેવી. શનિવારના દિવસે આ ઉપાય કરવો. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇ અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લઇને નજર લાગી હોય તે વ્યક્તિના કપાળ પર તેનાથી તિલક કરવાથી એક અઠવાડિયામાં જ ખરાબ નજરનો પ્રભાવ દૂર થઇ જાય છે. નાના બાળકો જો વધુ રડતા હોય તો શનિવારના દિવસે નિલકંઠનું પીંછું લઇને જે પલંગ પર બાળક સૂતુ હોય ત્યાં લગાવી દો . તુરંત જ બાળકનું રડવાનું બંધ થઇ જશે.નાના બાળકો સૂતા સમયે ડરતા હોય તો શનિવારના દિવસે એક ફટકડી બાળકના માથા નીચે મૂકી દેવી.

સમસ્યામાંથી મુક્તિ અર્થે

જીવનમાં કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ

હનુમાનજીને શું અર્પણ કરવું ?

⦁ હનુમાનજીને શનિવારે બુંદીનો ભોગ અર્પણ કરવો જોઇએ.

⦁ શનિવારના દિવસે હનુમાનજીને બેસનના લાડુનો ભોગ પણ અર્પણ કરવો જોઇએ.

⦁ હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે એટલે શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઇએ.

⦁ સિંદૂરમાં ચમેલીનું તેલ મેળવીને હનુમાનજીને લગાવવામાં આવે છે જેને ચોલા કહેવાય છે.

⦁ હનુમાનજીને તમે કોઇપણ પુષ્પની માળા અર્પણ કરી શકો છે પરંતુ તેમને આંકડાના પુષ્પ ખૂબ પ્રિય છે.

⦁ હનુમાનજીના ચરણોમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઇએ.

⦁ શનિવારના દિવસે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઇએ.

⦁ બજરંગબલીને લાલ રંગ ખૂબ પ્રિય છે.  તેમને લાલ વસ્ત્ર કે ચુંદડી અર્પણ કરી શકો છો.

⦁ શનિવારે અવશ્યપણે રામ મંદિરમાં જવું જોઇએ.

⦁ શનિવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો. હનુમાનજીને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે.

⦁ શનિવારની સાંજે હનુમાનજીના મંદિરમાં જઇ અને એક સરસીયાના તેલ અને એક શુદ્ધ ઘીનો દિવો અવશ્ય પ્રગટાવવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનું પઠન કરવું.

હનુમાનજીની કૃપા મેળવવા માટેના આ કેટલાક ઉપાયો હતો જેના દ્વારા તમે તમારી સમસ્યા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકશો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">