રાહુ-શુક્રની યુતિ રચશે ક્રોધ યોગ ! જાણો કઈ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની ?
છાયા ગ્રહ રાહુ (Rahu) સાથે શુક્રનો સંયોગ વ્યક્તિને ખોટી આદતો તરફ ઝુકાવી શકે છે. આ કારણે રાહુ ધીમે ધીમે વ્યક્તિની અંદરથી નૈતિકતાની અધોગતિ કરવા લાગે છે. આ સંયોગી પ્રભાવોને કારણે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. આ સંયોગ તમામ 12 રાશિઓને અસર કરશે. પરંતુ 5 રાશિના જાતકોને આ સંયોગથી સૌથી વધુ પરેશાની ભોગવવી પડી શકે છે !
લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા
સૌ પ્રથમ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય ગ્રહોની (Grah) તુલનામાં રાહુ (Rahu) સૌથી ધીમો ગ્રહ છે. જો કુંડળીના ઉર્ધ્વગૃહમાં રાહુ સાથે શુક્ર (Venus) હોય તો તે કુંડળીમાં ‘ક્રોધ યોગ’ બનાવશે. પરિણામે વ્યક્તિ સ્વભાવે ગુસ્સાવાળો થશે અને હંમેશા ઝઘડા અને વિવાદોમાં ફસાયેલો રહેશે. શુક્ર ‘સ્ત્રી’ ગ્રહ છે. પુરુષોની કુંડળીમાં લગ્ન, પત્ની અને આનંદ માટે શુક્ર જવાબદાર છે. તેથી જો શુક્ર સાથે રાહુનો સંયોગ હોય તો તે વ્યક્તિ વૈભવમાં વ્યસ્ત રહેશે.
રાહુ-શુક્ર જોડાણ
છાયા ગ્રહ રાહુ સાથે શુક્રનો સંયોગ વ્યક્તિને ખોટી આદતો તરફ ઝુકાવી શકે છે. આ કારણે રાહુ ધીમે ધીમે વ્યક્તિની અંદરથી નૈતિકતાની અધોગતિ કરવા લાગે છે. આવી વ્યક્તિઓ પોતાની ઈચ્છા વગર ખોટો રસ્તો પસંદ કરે છે. આ સંયોગી પ્રભાવોને કારણે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. રાહુ કુંડળીમાં શુક્ર સાથે આવતા તમામ શુભ પરિણામોનો અંત લાવે છે. આ સંયોગ તમામ 12 રાશિઓને અસર કરશે. પરંતુ, 5 રાશિના જાતકોને આ સંયોગથી સૌથી વધુ પરેશાની ભોગવવી પડી શકે છે. તો ચાલો, આ રાશિઓ વિશે વધુ માહિતગાર કરીએ.
મેષ રાશિ
રાહુ-શુક્રની યુતિ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે બંને ગ્રહો તમારી રાશિમાં તમારા ઉર્ધ્વગૃહમાં મળશે. આ કારણે તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો જોવા મળી શકે છે અને તમારી આસપાસના લોકો સાથે નાની-નાની બાબતો પર વિવાદ થશે. તમારા સ્વભાવમાં આવતો નકારાત્મક પ્રભાવ તમારા જીવનસાથીને એટલે કે તમારા અંગત જીવનને પણ મુશ્કેલીમાં મૂકશે. જેના કારણે તે તમારાથી અલગ થવાનો પ્રયત્ન કરશે.
ઉપાય
રસ્તા પર રહેતા શ્વાનને દૂધ અને રોટલી ખવડાવવી તમારા માટે ફળદાયી રહેશે.
વૃષભ રાશિ
તમારા બીજા ઘરમાં રાહુ-શુક્રની યુતિ બનશે. આના કારણે તમે બિન-ઇચ્છિત વસ્તુઓ પર મોટી રકમ ખર્ચ કરશો. આનાથી તમારી ઈમેજ તો બગડશે જ, પરંતુ ભવિષ્યમાં તમારે પૈસાની અછતનો પણ સામનો કરવો પડશે.
ઉપાય
શનિવારે વહેતા પાણીમાં 5 નારિયેળ વહેતા મૂકવા.
સિંહ રાશિ
આ સંયોગ તમારા પાંચમા ઘરમાં બનશે. આ કારણે તમારું વૈવાહિક જીવન પ્રભાવિત થશે. આ સમય દરમિયાન તમે તમારા સંબંધોને આગળ વધારવા જીવનસાથીની નજીક જવાનો પ્રયાસ કરશો, અને આ સંયોગ તમારા બંનેના સંબંધમાં અસ્વસ્થતા લાવી શકે છે. તેથી, જીવનસાથીની ઇચ્છા વિરુદ્ધ કંઈપણ કરવાનું ટાળો.
ઉપાય
દરરોજ તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો અને શરીર પર ચંદનની સુગંધનો ઉપયોગ કરો.
તુલા રાશિ
આ સંયોગ તમારા સાતમા ઘરમાં બનશે. આ કારણોસર મોટાભાગના પરિણીત લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે રાહુનો પ્રભાવ તમારા દાંપત્યજીવનમાં ઘણી ચિંતાજનક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. એવો ડર પણ છે કે કેટલાક લોકો તેમના સંબંધને અહીં જ અટકાવી શકે છે અને કેટલાક લોકો થોડા સમય માટે અલગ થવાનો નિર્ણય લઇ શકે છે.
ઉપાય
રાહુની શાંતિ પૂજાની મદદથી રાહુના ક્રોધથી પોતાને બચાવો.
કુંભ રાશિ
રાહુ-શુક્રની યુતિ તમારા અગિયારમાં ભાવમાં થશે. જેના કારણે તમારા મનમાં આનંદ-વિલાસને લઈને ઘણી ઈચ્છાઓ રહેશે અને આ કારણે તમે અન્ય કોઈ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી સિવાય વિજાતીય વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વધી શકે છે.
ઉપાય
રાહુ ગ્રહ અને શુક્ર ગ્રહના બીજ મંત્રનો દરરોજ 108 વાર જાપ કરો.
રાહુનો બીજ મંત્ર – “ૐ ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમ:”
શુક્ર ગ્રહના બીજ મંત્ર – “ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમ:” તેમજ “ૐ શું શુક્રાય નમ:”
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)