AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરતી પછી દીવાની જ્યોત પર હાથ ફેરવી આંખોને સ્પર્શ કેમ કરાય છે? જાણો તેના પાછળનું ધાર્મિક કારણ !

ભગવાનની આરતી પૂર્ણ થયા પછી, ઘણા ભક્તો દીવાની જ્યોત પર બંને હાથ ફેરવીને તે પોતાની આંખો, કપાળ અથવા માથાને સ્પર્શ કરે છે. પણ શું તમે જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે?

આરતી પછી દીવાની જ્યોત પર હાથ ફેરવી આંખોને સ્પર્શ કેમ કરાય છે? જાણો તેના પાછળનું ધાર્મિક કારણ !
Aarti RitualImage Credit source: AI Generated
| Updated on: Aug 08, 2026 | 2:40 PM
Share

મોટભાગે ઘરોમાં ભગવાનની આરતી કરવા માટે ખાસ ઉત્સાહ હોય છે. હિન્દુ ધર્મમાં, ભગવાનની આરતીને પૂજાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. પૂજા, અભિષેક, જાપ અથવા ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી દેવતા સામે દીવો, કપૂર અથવા ઘીનો દીવો પ્રગટાવે છે. ત્યારબાદ ભગવાનની આરતી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આરતી દ્વારા, ભક્તો તેમના પ્રિય દેવતા પ્રત્યે કૃતજ્ઞતા, ભક્તિ અને સમર્પણ વ્યક્ત કરે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે આરતી પૂર્ણ થયા બાદ અનેક ભક્તો દીવાની જ્યોત પરથી બંને હાથ ફેરવીને તે હાથ આંખો, કપાળ અથવા માથા પર લગાવે છે.

આરતી પછી લોકો દીવાની જ્યોત પર હાથ ફેરવીને આંખોને કેમ સ્પર્શ કરે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આરતીની જ્યોતને ભગવાનનું તેજ અને દૈવી ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આરતી પછી હાથથી આંખો અને કપાળ પર આરતી ફેરવી એ ભગવાનના આશીર્વાદ, કૃપા અને સકારાત્મક ઉર્જા સ્વીકારવાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં, એવું પણ માનવામાં આવે છે કે આરતી દરમિયાન દીવો, કપૂર અથવા ઘીની જ્યોતથી બનેલું સાત્વિક વાતાવરણ ભક્તના મનમાં શાંતિ અને ભક્તિ જાગૃત કરે છે. ઉપરાંત, આરતી દરમિયાન મંત્રોનો જાપ, ઘંટડી વગાડવી અને એકાગ્રતા માનસિક શાંતિ અને સકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરવામાં મદદ કરી શકે છે.

શા માટે અનુસરવામાં આવે છે આ પરંપરા ?

  • આ પરંપરા ભગવાનની કૃપાના પ્રતીક તરીકે અનુસરવામાં આવે છે
  • ભક્તિ અને નમ્રતા વ્યક્ત કરવા માટે
  • આરતીના પવિત્ર વાતાવરણ સાથે ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે જોડાવા માટે
  • પરિવારમાં ધાર્મિક પરંપરાને આગળ વધારવા માટે

દેશી ઘી અને કપૂરનો ચમત્કાર

ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂજા દરમિયાન આપણે ઘણીવાર કપૂર અથવા શુદ્ધ દેશી ગાયનું ઘી ધરાવતો દીવો પ્રગટાવીએ છે. જ્યારે આ ઘટકો બળે છે ત્યારે આસપાસની હવા શુદ્ધ થાય છે. દીવાનો ધુમાડો અને જ્યોત ઔષધીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે જ્યોત પર હાથ ફેરવીએ છે, ત્યારે શુદ્ધ હવા આપણા હાથને વળગી રહે છે. જ્યારે આપણે આપણા ચહેરાને સ્પર્શ કરીએ છે ત્યારે આ સકારાત્મક ઉર્જા આપણા શ્વાસમાં પ્રવેશ કરે છે. આ જંતુઓનો નાશ કરે છે અને મનને શાંત કરે છે.

મન અને આત્માની શાંતિ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આરતી પછી અપાર માનસિક શાંતિ મળી શકે છે. લાંબા દિવસની દોડધામ અને તણાવ પછી જ્યારે આપણે પૂજા માટે બેસીએ છે ત્યારે આ નાનું કાર્ય મનને આરામ આપે છે. ગરમ હાથનો સ્પર્શ આપણી આંખો અને ચહેરાને તરત જ શાંત કરે છે. આ એકાગ્રતા વધારવામાં મદદ કરી શકે છે. તે આપણને ઉર્જાવાન બનાવે છે અને ભય દૂર કરે છે.

ધાર્મિક શ્રદ્ધા, સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિનું પ્રતીક

આરતી કર્યા પછી તમારા હાથ દીવા પરથી ફરાવીને તમારી આંખો અથવા કપાળ પર રાખવાની પ્રથા ધાર્મિક શ્રદ્ધા, સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિનું પ્રતીક છે. આ પરંપરા દરેક વ્યક્તિ તેમની શ્રદ્ધા અને કૌટુંબિક પરંપરાઓ અનુસાર અનુસરે છે.

નોંધ: ઉપરોક્ત માહિતી મુખ્યત્વે હિંદુ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, શિવલિંગ અને જ્યોતિર્લિંગમાં શું તફાવત છે ? જાણો બંને વચ્ચેનો મોટો ફરક

Follow Us
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
g clip-path="url(#clip0_868_265)">