Yogini Ekadashi : એક ભૂલ તમને એકાદશીના પુણ્યથી કરી દેશે દૂર ! જાણો યોગિની એકાદશીએ શું ભૂલથી પણ ન કરવું ?

યોગિની એકાદશીના (Yogini Ekadashi) દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ પૂર્વકનું વર્તન કરવું જોઇએ. મનમાં કોઇના માટે દ્વેષ કે ધૃણાની ભાવના ન રાખવી જોઇએ. કહેવાય છે કે વ્રતના દિવસે મન, કર્મ અને વચનની શુદ્ધિ હોવી જરૂરી છે.

Yogini Ekadashi : એક ભૂલ તમને એકાદશીના પુણ્યથી કરી દેશે દૂર ! જાણો યોગિની એકાદશીએ શું ભૂલથી પણ ન કરવું ?
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 23, 2022 | 6:32 AM

જેઠ માસના વદ પક્ષમાં આવતી એકાદશીની (Ekadashi) તિથિ એ યોગિની એકાદશી (Yogini Ekadashi) તરીકે ઓળખાય છે. યોગિની એકાદશીનું વ્રત (Fast) તમામ પાપકર્મનો નાશ કરનારું મનાય છે. માન્યતા અનુસાર જે મનુષ્ય આસ્થા સાથે યોગિની એકાદશીનું વ્રત કરી લે છે, તેના જીવનના (Life) તમામ સંકટોનું શ્રીહરિ (ShreeHari) શમન કરી દે છે. આ વખતે 24 જૂન, શુક્રવારના રોજ આ જ ફળદાયી વ્રતની તિથી છે. અલબત્, આ વ્રત કરનારે કેટલાંક ખાસ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. તો જ તેને વ્રતથી મળનારા પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

યોગિની એકાદશી વ્રતના ઉપાય

⦁ એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરવો. ખીરમાં તુલસી દળ અવશ્ય મૂકવું. તેનાથી ભગવાન વિષ્ણુ આપની પર પ્રસન્ન થશે અને આપની મનોકામના જલ્દી પૂર્ણ કરશે. ધ્યાન એ વાતનું રાખવું કે એકાદશીના દિવસે ચોખાની ખીર ન બનાવવી. એ જ રીતે તુલસીનું પાન પણ ન તોડવું. એટલે કે પ્રભુના પ્રસાદ માટે આગલા દિવસે જ તુલસીદળ તોડીને રાખી દેવું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

⦁ ભગવાન વિષ્ણુને પંચામૃત ખૂબ પ્રિય છે. યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. સાથે પંચામૃતને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવું જોઇએ. માન્યતા અનુસાર તેનાથી આપની પર ભગવાન વિષ્ણુની કૃપા રહેશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે સાથે જ આપની મનોકામનાની પૂર્તિ થશે.

⦁ એકાદશીના વ્રતના દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુની સાથે દક્ષિણાવર્તી શંખની પણ પૂજા કરવી જોઇએ. પૂજા કરતાં પૂર્વે હળદરવાળા અક્ષત, ચણાની દાળ, ગોળ, પીળા રંગના વસ્ત્રનું દાન અવશ્ય કરવું. આ દાનથી ભગવાન વિષ્ણુની કૃપા આપની પર સદૈવ રહેશે અને આપની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

⦁ કશું જ ન થઈ શકે તો પણ, યોગિની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ ત્યાં એક દીપ પ્રગટાવવો જોઇએ. પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. માન્યતા એવી છે કે આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદૈવ આપની પર રહેશે.

⦁ એકાદશીના દિવસે સાંજે તુલસીક્યારાની પૂજા કરવી. તુલસીક્યારે ઘીનો દીવો પ્રજવલિત કરવો અને તેની ઓછામાં ઓછી 5 થી 11 પરિક્રમા કરવી. આ કાર્યથી આપના ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે અને આપનું જીવન સુખમય રહેશે.

યોગિની એકાદશી વ્રતમાં કઈ બાબતોનું રાખશો ધ્યાન ? 

⦁ જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેણે પાપકર્મ ન કરવા અને અસત્ય ન બોલવું જોઇએ. જો આપ એકાદશીનું વ્રત કરો છો તો પણ તમારા અસત્ય વચનોને કારણે આપને પુણ્યની પ્રાપ્તિ નથી થતી.

⦁ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે તમે અધર્મ કરતા રહો. અધર્મની સાથે કરવામાં આવેલ યોગિની એકાદશીના વ્રતને કારણે આપને મૃત્યુ પછી પણ આપના આ કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે.

⦁ એકાદશીના વ્રતના દિવસે વાળ ન ધોવા જોઇએ. આ તિથિએ સાબુ તેમજ તેલનો ઉપયોગ નિષેધ છે. જો તમે આ વસ્તુઓનો ઉપયોગ એકાદશીના દિવસે કરો છો તો તમને ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી.

⦁ એકાદશીના વ્રતના દિવસે ગુસ્સો ન કરવો તેમજ કોઇના પણ વિશે ઉતરતી વાત ન કરવી.

⦁ આ દિવસે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ પૂર્વકનું વર્તન કરવું જોઇએ. મનમાં કોઇના માટે દ્વેષ કે ધૃણાની ભાવના ન રાખવી જોઇએ. કહેવાય છે કે વ્રતના દિવસે મન, કર્મ અને વચનની શુદ્ધિ હોવી જરૂરી છે.

⦁ હિન્દુ ધર્મમાં જીવહત્યાને અપરાધ માનવામાં આવે છે. એકાદશીના દિવસે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઇએ. એટલે કે, એક દિવસ પહેલા જ ઘરની સાફ-સફાઇ કરી લેવી જોઇએ. કારણ કે ઝાડુ લગાવવાથી કોઇપણ પ્રકારના નાના જીવજંતુઓ મૃત્યુ પામતા હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">