નાગપંચમીએ જાણો પાલનપુરના નાગણેજી માતાનો મહિમા, વર્ષમાં બે જ વખત ભક્તોને માતાના દર્શન !

એક શ્રાવણ વદ પંચમી અને બીજું આસો સુદ અષ્ટમી એટલે કે નાગપંચમી અને શારદીય નવરાત્રીની આઠમના રોજ અહીં ભક્તો નાગણેજી માતાના (Naganechi Mata) દર્શન કરી શકે છે. આ બે દિવસ સિવાય મંદિર બંધ જ રહે છે !

નાગપંચમીએ જાણો પાલનપુરના નાગણેજી માતાનો મહિમા, વર્ષમાં બે જ વખત ભક્તોને માતાના દર્શન !
Naganechi Mata
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:34 AM

સમગ્ર શ્રાવણ માસ (shravan2022) એ ઉત્સવનો માસ બની રહેતો હોય છે. ત્યારે આ શ્રાવણ માસના વદ પક્ષમાં આવતી પંચમી તિથિનું પણ એક આગવું જ મહત્વ છે. આ તિથિ નાગપંચમી (Nag Panchami) તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસે નાગ દેવતાની પૂજા-આરાધનાનો મહિમા છે. ત્યારે અમારે આજે આપને ગુજરાતના પાલનપુરમાં વિદ્યમાન નાગણેજી માતાજીનો (Naganechi Mata) મહિમા જણાવવો છે. જેમના દર્શન માટે ભક્તો સમગ્ર વર્ષ આતુર રહેતા હોય છે. કારણ કે, આ મંદિર વર્ષમાં માત્ર બે જ વખત માતાજીના દર્શનાર્થે ખુલ્લુ મૂકાય   છે !

500 વર્ષ પ્રાચીન સ્થાનક

પાલનપુરના રાજગઢી વિસ્તારમાં નાગણેજી માતાજીનું અત્યંત સુંદર મંદિર શોભાયમાન છે. એક શ્રાવણ વદ પંચમી અને બીજું આસો સુદ અષ્ટમી એટલે કે નાગપંચમી અને શારદીય નવરાત્રીની આઠમના રોજ અહીં ભક્તો નાગણેજી માતાના દર્શન કરી શકે છે. આ મંદિર 500 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. કહે છે કે દેવી નાગણેજી તો અહીં નવાબોના કાળથી વિદ્યમાન થયા છે. એટલું જ નહીં, પાલનપુરના નવાબોને પણ નાગણેજી માતામાં આસ્થા હોવાની દંતકથા પ્રચલિત છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

પાલનપુરમાં નાગણેજી માતાનું આગમન

પ્રચલિત કથા અનુસાર પાલનપુરનાં નવાબ મુઝાહીત ખાનના જાલૌરના રાજપૂત કુટુંબની દિકરી માનબાઇ સાથે લગ્ન થયેલા. જાલૌરથી માનબાઇ આણામાં અન્ય સામાન સાથે નાગણેજી માતાજીનું પુસ્તક પેટીમાં લાવેલા. પાલનપુરના નવાબે તે વખતના રાજમહેલના મધ્યભાગે રાજગઢીમાં ઘરમંદિર બનાવી માતાજીની સ્થાપના કરી. તે સમયે આસો મહિનાની આઠમના દિવસે રાત્રે યજ્ઞ કરતા અને રાજમહેલના રાણીવાસના જાળીવાળા ઝરૂખેથી રાણીઓ યજ્ઞના દર્શન અને પૂજન નિહાળતા. પૂર્વે આ મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર આસો સુદ આઠમના દિવસે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાતું.

સંતાનના શુભાશિષ !

આ નાગણેજી માતાના પૂજન અર્ચન માટે સિદ્ધપુરથી એક બ્રાહ્મણવર્યની નવાબશ્રીએ નિયુક્તિ કરેલ. જે વંશ પરંપરાથી વિસનગર નિવાસી આચાર્ય ઇશ્વરભાઇ સંભાળી રહ્યા હતા. આ બ્રાહ્મણ કુટુંબને નવાબશ્રી તરફથી વર્ષાસન આપવામાં આવતું. આસો સુદ આઠમના દિવસે રાત્રે 21 નાળિયેરનો હવન હોમાદિ આચાર્ય પરિવાર તરફથી આજે પણ કરવામાં આવે છે. કહે છે કે જેને સંતાન ન થતુ હોય તેમને શુભાશિષ મળે તે માટે આચાર્ય ઈશ્વરભાઈએ તેમના ભાવદર્શનથી માતાજીને પ્રાર્થના કરી તેમની રજા લીધી. અને નાગપંચમીના રોજ સવારથી સાંજ સુધી મંદિર ખુલ્લુ મૂકવાની પ્રણાલી શરૂ થઈ. આ રીતે મંદિર વર્ષમાં બે વાર ખુલ્લુ રહેવા લાગ્યું.

જેમને સંતાન ન હોય તેવાં દંપતિ અતૂટ શ્રદ્ધા સાથે મા નાગણેજીના ચરણોમાં ભાવદર્શન કરે છે. અને કહે છે કે આસ્થા સાથે આવનારા શ્રદ્ધાળુઓના અધૂરાં કોડની મા પૂર્તિ પણ કરે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">