Shravan 2022 : ત્રણ શિવલિંગ અને ત્રિદેવના આશીર્વાદ ! જાણો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 26માં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ (Trimbakeshwar Jyotirlinga) દર્શન માત્રથી પાપોનો નાશ કરનારું છે ! લોકમાન્યતા એવી છે કે આ એક જ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારું છે.

Shravan 2022 : ત્રણ શિવલિંગ અને ત્રિદેવના આશીર્વાદ ! જાણો ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા
Trimbakeshwar Jyotirlinga
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 07, 2022 | 6:27 AM

સહ્યાદ્રિશીર્ષે વિમલે વસન્તં ગોદાવરીતીરપવિત્રદેશે ।

યદ્દર્શનાત્પાતકમાશુ નાશં પ્રયાતિ તં ત્ર્યમ્બકમીશમીડે ।।

શિવભક્તોને અત્યંત પ્રિય એવો પવિત્ર શ્રાવણ (Shravan2022) મહિનો ચાલી રહ્યો છે. દેશભરના દરેક નાના મોટા શિવાલયોમાં અત્યારે શિવલિંગની પૂજા કરવા લોકોનો ભારે ધસારો રહેતો હોય છે. પણ, આ શ્રાવણમાં જ્યોતિર્લિંગના દર્શન અને તેની કથાનું શ્રવણ અત્યંત પુણ્યદાયી મનાય છે. સમગ્ર 12 જ્યોતિર્લિંગમાં (12 jyotirlinga) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના (Trimbakeshwar Jyotirlinga) દર્શન અને પૂજન અર્ચનનું એક આગવું જ મહત્વ છે. કારણ કે, આ એક શિવલિંગના દર્શન કરવાથી ત્રિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે !

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શિવલિંગમાં ત્રિદેવનો વાસ !

મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં ત્ર્યંબકેશ્વર નામે એક ગામ આવેલું છે. અહીં આવેલો બ્રહ્મગિરિ પર્વત ગોદાવરી નદીનું પ્રાગટ્ય સ્થાન મનાય છે. અને આ પાવની નદીના આરે જ દેવાધિદેવ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે વિદ્યમાન થયા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ત્ર્યંબકેશ્વર મહાદેવ દસમું સ્થાન ધરાવે છે. વાસ્તવમાં અહીં એક શિવ સ્વરૂપમાં ત્રણ નાના-નાના શિવલિંગ વિદ્યમાન છે. માન્યતા એવી છે કે અહીં મહેશ્વર સાથે બ્રહ્મા અને વિષ્ણુ પણ શિવલિંગ સ્વરૂપે પ્રસ્થાપિત છે. એટલે કે એક શિવલિંગના દર્શનથી ભક્તોને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશિષની પ્રાપ્તિ થાય છે ! અને એટલે જ તો અહીં મહાદેવના આ દિવ્ય રૂપના દર્શનનો સવિશેષ મહિમા છે.

પ્રાગટ્ય ગાથા 

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 24 થી 26માં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું વર્ણન મળે છે. જે અનુસાર પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત પર દેવી અહિલ્યા અને તેમના પતિ ઋષિ ગૌતમનું નિવાસસ્થાન હતું. આ વિસ્તારમાં રહેતાં અન્ય ઋષિઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા અને તેમને અપમાનિત કરવાનો પ્રયાસ કરતા રહેતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર એક આરોપ લગાવ્યો. આ આરોપ હતો ગૌ હત્યાનો. બધાએ કહ્યું કે જો ઋષિ ગૌતમ ગૌ હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતા હોય તો તેમણે દેવી ગંગાને આ ભૂમિ પર લાવવા પડશે. આખરે, પોતાને લાગેલા કલંકને દૂર કરવા ગૌતમ ઋષિએ એક શિવલિંગની સ્થાપના કરીને તેની પૂજાનો પ્રારંભ કર્યો.

ઋષિ ગૌતમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવ-પાર્વતી બ્રહ્મગિરિમાં પ્રગટ થયા. દેવાધિદેવે ગૌતમ ઋષિને વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમ ઋષિએ શિવજી પાસે દેવી ગંગાને બ્રહ્મગિરિમાં મોકલવા માટે પ્રાર્થના કરી. અલબત્ દેવી ગંગાએ કહ્યું કે જો આ ભૂમિ પર દેવાધિદેવ વિદ્યમાન થશે તો જ તેઓ અહીં રહેશે. અને તે પછીથી જ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં આ સ્થાન પર બિરાજમાન થયા. જ્યારે દેવી ગંગા ગોદાવરી નદીના સ્વરૂપમાં અહીં પધાર્યા. ગૌદાવરી એ ગૌતમીના નામે પણ પ્રસિદ્ધ છે.

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના 26માં અધ્યાયમાં ઉલ્લેખ અનુસાર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ પાપોનો નાશ કરનારું છે. કહેવાય છે કે જે ભક્તિભાવથી આ ત્ર્યંબક જ્યોતિર્લિંગના દર્શન, પૂજન, સ્તવન અને વંદન કરી લે છે, તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. અને મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">