Hanuman Puja : આ એક ભોગ કરી દો અર્પણ, મિલકત અને નોકરીનું સુખ પ્રદાન કરશે મહાવીર હનુમાન

|

May 31, 2022 | 8:49 AM

ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો (Luck) સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.

Hanuman Puja : આ એક ભોગ કરી દો અર્પણ, મિલકત અને નોકરીનું સુખ પ્રદાન કરશે મહાવીર હનુમાન
Lord Hanuman Puja

Follow us on

હનુમાનજી (Hanumanji) એ કષ્ટભંજન દેવ (Kashtbhanjan dev) તરીકે પ્રસિદ્ધ છે. મંગળવાર (Tuesday) અને શનિવારના રોજ હનુમાન ઉપાસનાનો સવિશેષ મહિમા છે. આ દિવસોમાં ભક્તો આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે. પરંતુ, શું આપ જાણો છો, કે પવનસુતને મનભાવન મહાભોગ અર્પણ કરીને તમે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકો છો ? આવો, આજે એ જાણીએ કે કયા દ્રવ્યથી અંજનીનંદનના પગ ધોવા જોઈએ અને તેમને નૈવેદ્યમાં એવું તો શું અર્પણ કરવું જોઈએ કે જેનાથી તે ઝડપથી પ્રસન્ન થાય અને તમામ કામનાઓને સિદ્ધ કરી દે !

સંપત્તિનું સુખ

⦁ સંપત્તિના સુખની ઈચ્છા કે મિલકત વધારવાની મનશા ભલાં કોને નથી હોતી ! કહે છે કે અભિષેક અને મહાભોગ દ્વારા મહાવીર હનુમાનજીને પ્રસન્ન કરીને મિલકતના આશિષ પ્રાપ્ત કરી શકાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

⦁ મંગળવાર કે શનિવારના રોજ શુદ્ધ જળ, દૂધ અને મધથી હનુમાન પ્રતિમાનું પગ પ્રક્ષાલણ કરવું.

⦁ પ્રભુને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરવી.

⦁ પિત્તળની થાળીમાં 11 લવિંગ, 11 ઇલાયચી, 11 નાગરવેલના પાન, એક દાડમના દાણાં રાખીને હનુમાનજીને ભોગ અર્પણ કરો.

⦁ 2 આચમની જળ મૂકો.

⦁ શક્ય હોય તો નિત્ય જ આ કાર્ય કરવું. દરરોજ ન થઈ શકે તો મંગળવાર કે શનિવારે જરૂરથી કરવું.

⦁ કહે છે કે પવનસુતને આ ભોગ લગાવવાથી વ્યક્તિની મિલકત માટેની મનશા પરિપૂર્ણ થાય છે.

નોકરી અને ધંધા-રોજગાર

⦁ નોકરી ન મળી રહી હોય, વ્યવસાયમાં નુકસાની આવી રહી હોય કે પ્રગતિ અટકી ગઈ હોય ત્યારે હનુમાનજી સંબંધી આ ઉપાય ફળદાયી બની શકશે.

⦁ ઉત્તર દિશામાં મુખ રાખીને લાલ રંગના વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ઉપાસના કરવા બેસવું.

⦁ ગાયના દૂધમાં દહીં, સાકર અને ખૂબ જ થોડું જળ ઉમેરવું. ત્યારબાદ તે દ્રવ્યથી હનુમાન પ્રતિમાના પગ ધોવા.

⦁ હનુમાનજીને સફેદ ધોતી અને લાલ વસ્ત્ર ધારણ કરાવો.

⦁ પ્રભુને પિત્તળની થાળીમાં બુંદીના લાડુ, પતાશા, પાન, સોપારી, લવિંગ અને ઇલાયચીનો ભોગ લગાવો.

⦁ હનુમાનજીને ભોગની સાથે તુલસીદળ અવશ્ય અર્પણ કરો.

⦁ કહે છે કે આ પૂજા સુંદર અને ઉત્તમ ફળ આપનારી છે. અને તે વ્યક્તિના નોકરી કે ધંધા-રોજગાર સંબંધી સઘળા મનોરથોને સિદ્ધ કરી દે છે.

ભાગ્યોદય અર્થે

⦁ ઘણીવાર એવું બને કે ખૂબ મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ ન મળે, કિસ્મતનો સાથ જ ન મળે ! આ સંજોગોમાં ભાગ્યોદય અર્થે મંગળવારે કે શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી.

⦁ હનુમાનજીને લાલ રંગના વસ્ત્ર અને હળદરથી રંગેલી જનોઇ અર્પણ કરો. તેમજ પીળા સિંદૂરનું તિલક લગાવો.

⦁ કેરી, પીપળ, ગૂલેરના પાન પર શ્રીરામ લખીને માળા બનાવીને તે માળા હનુમાનજીને અર્પણ કરો.

⦁ પ્રભુને ચાંદીની થાળીમાં સીતાફળ કે દાડમનો ભોગ અર્પણ કરો.

⦁ 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.

⦁ કપૂરથી હનુમાનજીની વિધિવત્ આરતી કરો.

⦁ માન્યતા અનુસાર આ દરેક ઉપાય દરિદ્રતા દૂર કરનાર, સંપન્નતા આપનાર અને સુવિચાર આપનાર છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article