ભારતના આ ગામમાં સંકટ મોચન હનુમાનની પૂજાને માનવમાં આવે છે એક મોટો અપરાધ ! જાણો કેમ ?

ભારતમાં, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી, તમે દરેક જગ્યાએ હનુમાનજીની પૂજા કરતા લોકોને જોશો, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે, જાણવા માટે આ લેખ વાંચો.

ભારતના આ ગામમાં સંકટ મોચન હનુમાનની પૂજાને માનવમાં આવે છે એક મોટો અપરાધ ! જાણો કેમ ?
Lord Hanumanji (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 6:31 PM

કળિયુગમાં ભગવાન હનુમાન (Lord Hanumanji) સૌથી વધુ પૂજાય છે. જેમને હનુમાન ભક્તો શક્તિ, સંકટમોચક (Sankatmochan), પવનપુત્ર અને બજરંગબલી (Bajrangbali) વગેરે નામોથી બોલાવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનું નામ લેવાથી મોટમા મોટી મુશ્કેલી ટળી જાય છે. અષ્ટસિદ્ધિ અને નવ નિધિના દાતા ભગવાન હનુમાનજી જ્યાં પણ ગયા, તે તમામ સ્થાનો એક મોટા તીર્થસ્થળ તરીકે ઓળખાય છે. જેમના દર્શન અને પૂજાને શુભ માનવામાં આવે છે, પરંતુ આનાથી આગળ ભારતમાં એક એવી જગ્યા છે. જ્યાં ભગવાન હનુમાનની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે. આવો જાણીએ હનુમાનજીથી નારાજ લોકો આજે પણ કઈ જગ્યાએ તેમની પૂજા નથી કરતા.

અહીં નથી થતી હનુમાનજીની પૂજા

ઉત્તરાખંડના ચમોલી સ્થિત દુનાગીરી ગામ વિશે એવું માનવામાં આવે છે કે આ તે જગ્યા છે જ્યાં રામાયણ (Ramayan) કાળમાં બેભાન થઈ ગયેલા લક્ષ્મણ (Laxman) ની સારવાર માટે ભગવાન હનુમાન એક વખત સંજીવની બુટી (Sanjeevni Booti) લેવા આવ્યા હતા. રામાયણ કાળમાં હનુમાનજીએ જ્યાં મુલાકાત લીધી હતી તે સ્થાનો આજે પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, પરંતુ આ સ્થાન પર આવવા છતાં અહીંના લોકો શ્રી રામના વિશિષ્ટ ભક્ત અને સેવક ગણાતા શ્રી હનુમાનજીની પૂજા કરતા નથી. આ ગામમાં તમને હનુમાનજીની પૂજા માટેનું મંદિર પણ જોવા મળશે. આ ગામમાં તમને કોઈ હનુમાન ભક્ત જોવા નહીં મળે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
Lord Hanuman is not worshiped in this place

આ તે જગ્યા છે જ્યાં રામાયણ (Ramayan) કાળમાં બેભાન થઈ ગયેલા લક્ષ્મણ (Laxman) ની સારવાર માટે ભગવાન હનુમાન એક વખત સંજીવની બુટી (Sanjeevni Booti) લેવા આવ્યા હતા.

તેથી જ હનુમાનજીની પૂજા થતી નથી

એવું માનવામાં આવે છે કે જ્યારે રામાયણ કાળમાં લક્ષ્મણજી મેઘનાથના તીરથી બેહોશ થઈ ગયા ત્યારે વૈદ્યએ તેમની સારવાર માટે તેમની પાસે સંજીવની બુટીની માંગણી કરી હતી. જે પછી શ્રી હનુમાનજી સંજીવની બુટીની શોધમાં હિમાલય પર્વતમાળામાં આ સ્થાન પર આવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે તે સમયે આ ગામની એક મહિલાએ તેમને સંજીવની બુટી સાથે જોડાયેલ પર્વતનો ભાગ બતાવ્યો હતો, જ્યાં તે મોટી માત્રામાં ઉગાડતી હતી. આ પછી પણ જ્યારે હનુમાનજીને અહીંની સંજીવની બૂટીની સમજ ન પડી તો તેમણે આખા પર્વતના તે ભાગને ઉખાડીને પોતાની સાથે લઈ ગયા. ત્યારથી અહીંના લોકો શ્રી હનુમાનજીથી ખૂબ નારાજ છે અને ક્યારેય તેમની પૂજા કરતા નથી. આજે પણ આ ગામમાં હનુમાનજીની પૂજા કરવી અપરાધ માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surya Ardhya: સૂર્યદેવને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલો, રાખો આ વાતોનું ખાસ ધ્યાન

આ પણ વાંચો: વેલેન્ટાઈન ડે પર તમારા પ્રિયપાત્રને કેવી રીતે કરશો ખુશ? રાશિ અનુસાર જાણી લો આ ઉપાય

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">