AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો હિન્દુ ધર્મમાં શા માટે પહેરવા માટે આવે છે જનોઈ, જાણો તેનું મહત્વ, નિયમો અને લાભ

જનોઈને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પવિત્રતા જાળવી રાખવા માટે જનોઈના કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

જાણો હિન્દુ ધર્મમાં શા માટે પહેરવા માટે આવે છે જનોઈ, જાણો તેનું મહત્વ, નિયમો અને લાભ
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:39 PM
Share

યજ્ઞોપવીત સંસ્કાર (Yagyopaveet Sanskar) ને હિંદુ ધર્મ (Hinduism) ના મુખ્ય સંસ્કારોમાંથી એક માનવામાં આવે છે. યજ્ઞોપવીતને જનોઈ કહે છે. જનોઈ એ ત્રણ દોરા વાળું સૂત્ર છે જે પુરુષો તેમના ડાબા ખભાના ઉપરથી જમણા હાથની નીચે સુધી પહેરે છે. જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેના તમામ નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે, જેનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.

કેટલાક લોકોના ઘરમાં જનોઈ વિધિ બાળપણમાં કરવામાં આવે છે તો કેટલાક લોકો લગ્ન પહેલા કરે છે. જનોઈ ધારણ કર્યા પછી જ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાય કરવાનો અધિકાર મળે છે. જનોઈ પહેરવાના ઘણા ફાયદા છે. ચાલો અહીં જાણીએ તેના મહત્વ, નિયમો અને ફાયદાઓ વિશે.

આ કારણે જનોઈ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જનોઈ ત્રણ સૂત્રોથી બનેલી છે. તે દેવરુણ, પિતૃરુણ અને ઋષિરુણનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેને સત્વ, રજ અને તમનું પ્રતીક પણ કહેવામાં આવે છે. યજ્ઞોપવીતના દરેક સૂત્રમા ત્રણ તાર છે. આ રીતે, જનોઈ નવ તારથી બનેલી છે. આ નવ તારને શરીરના નવ દ્વાર માનવામાં આવે છે. તેમાં મૂકેલી પાંચ ગાંઠ બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. આથી હિંદુ ધર્મમાં જનોઈને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પવિત્રતા જાળવવા માટે તેના નિયમોનું પાલન કરવું જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ છે નિયમો મળમૂત્રના વિસર્જન પહેલા જમણા કાન પર યજ્ઞોપવીત ચઢાવવું જોઈએ અને હાથ સાફ કર્યા પછી જ કાનમાંથી કાઢી નાખવું જોઈએ.

જો યજ્ઞોપવીતનો (જનોઈ) કોઈ તાર તૂટી જાય અથવા 6 મહિનાથી વધુ હોય તો તેને બદલવો જોઈએ.

તેને ધારણ કર્યા પછી, જ્યારે તમે નવી જનોઈ પહેરો છો ત્યારે જ તેને ઉતારવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિએ જનોઈ ત્યારે જ પહેરવી જોઈએ જ્યારે તે તેના નિયમોનું સંપૂર્ણ પાલન કરી શકે.

તેના સ્વાસ્થ્ય લાભો પણ જાણી લો શૌચ સમયે કાન પર જનોઈ વીંટાળવાનો વૈજ્ઞાનિક આધાર છે. વાસ્તવમાં, જ્યારે તેને કાન પર વીંટાળવામાં આવે છે, ત્યારે કાનમાંથી પસાર થતી ચેતાઓ પર દબાણ આવે છે. આ ચેતા આંતરડા સાથે સંબંધિત છે. આ સ્થિતિમાં વ્યક્તિને કબજિયાત જેવી સમસ્યા નથી થતી અને પેટ પણ સારી રીતે સાફ થાય છે.

જનોઈ ધારણ કરવાથી અને તેના સંપૂર્ણ નિયમોનું પાલન કરવાથી ખરાબ સપના આવતા નથી. જનોઈ ધારણ કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો રહે છે. આ સ્થિતિમાં હૃદય રોગ અને બ્લડ પ્રેશરની કોઈ સમસ્યા નથી રહેતી અને વ્યક્તિની યાદશક્તિ સારી રહે છે. આ સાથે વિચારોમાં શુદ્ધતા આવે છે.

આ પણ વાંચો: શ્રદ્ધાળુઓ માટે ખુશખબર : 118 વર્ષ બાદ ખુલશે કોણાર્ક મંદિરનું ગર્ભગૃહ, જાણો આ ગર્ભગૃહનો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો: Uttarayan 2022 : ખીચડા વગર કેમ અધૂરો માનવામાં આવે છે મકરસંક્રાંતિનો તહેવાર, જાણો તેનું મહત્વ

g clip-path="url(#clip0_868_265)">