આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !

Astrology Remedies : તમે તમારા ઘરના (Home) મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે. સાથે જ તે યશ અને કિર્તીની પણ પ્રાપ્તિ કરાવશે.

આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !
Shree Yantra (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:36 AM

શ્રીયંત્રને (Shree yantra) ઘર કે મંદિરમાં (Temple) રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે માતા લક્ષ્મીને (Goddess Lakshmi) પ્રિય છે શ્રીયંત્ર. એટલા માટે જ તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધન સંપન્નતામાં વધારો થવાની માન્યતા છે. શ્રીયંત્રની મહત્તા જ એ છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઇપણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો. વાસ્તુશાસ્ત્રમાં પણ શ્રીયંત્રની મહત્તા દર્શાવવામાં આવી છે. વાસ્તુમાં માનનાર વર્ગ શ્રીયંત્રને ગુડલક ચાર્મ માને છે. શ્રીયંત્ર એક બહુ જ મહત્વપૂર્ણ, લાભદાયી અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે ન માત્ર લાભ આપે છે, પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે.

જ્યોતિષાચાર્યોના મત અનુસાર શ્રીયંત્રની સૌથી ઉપરના ભાગને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થાન પર હિન્દુ ધર્મના દરેક દેવીદેવતા વાસ કરે છે. એટલા માટે શ્રીયંત્રનું આટલું મહત્વ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કેવી રીતે કરવી ?

શ્રીયંત્રની સ્થાપન વિધિ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ અને તમારા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવા ઇચ્છતા હોવ તો સૌપ્રથમ તમારે 24 કલાક સુધી શ્રીયંત્રને મીઠાવાળા (નમક) પાણીમાં મૂકી રાખવું. તેના પછી શ્રીયંત્રને વહેતા પાણીથી સ્વચ્છ કરી લો. ત્યારબાદ ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરો. તેનાથી આપના ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને હંમેશા આપના ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બનેલું રહેશે.

ભેટમાં આપવા માટે સૌથી શુભ શ્રીયંત્ર !

એવું માનવામાં આવે છે કે જો તમે કોઇને દિલથી ચાહતા હોવ અને તેમની સંપન્નતા ઇચ્છતા હોવ તો તેમને ભેટના રૂપમાં શ્રીયંત્ર આપવું જોઇએ. આ શ્રીયંત્ર એ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી સમસ્ત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ સાબિત થશે અને તેના જીવનની દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે.

કારકિર્દીમાં પ્રગતિ માટે મદદરૂપ થશે શ્રીયંત્ર !

ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાના કારણે તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તમે તમારા ઘરના મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે સાથે જ તે યશ અને કિર્તીની  પણ પ્રાપ્તિ કરાવશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">