AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !

Astrology Remedies : તમે તમારા ઘરના (Home) મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે. સાથે જ તે યશ અને કિર્તીની પણ પ્રાપ્તિ કરાવશે.

આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !
Shree Yantra (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:36 AM
Share

શ્રીયંત્રને (Shree yantra) ઘર કે મંદિરમાં (Temple) રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે માતા લક્ષ્મીને (Goddess Lakshmi) પ્રિય છે શ્રીયંત્ર. એટલા માટે જ તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધન સંપન્નતામાં વધારો થવાની માન્યતા છે. શ્રીયંત્રની મહત્તા જ એ છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઇપણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો. વાસ્તુશાસ્ત્રમાં પણ શ્રીયંત્રની મહત્તા દર્શાવવામાં આવી છે. વાસ્તુમાં માનનાર વર્ગ શ્રીયંત્રને ગુડલક ચાર્મ માને છે. શ્રીયંત્ર એક બહુ જ મહત્વપૂર્ણ, લાભદાયી અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે ન માત્ર લાભ આપે છે, પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે.

જ્યોતિષાચાર્યોના મત અનુસાર શ્રીયંત્રની સૌથી ઉપરના ભાગને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થાન પર હિન્દુ ધર્મના દરેક દેવીદેવતા વાસ કરે છે. એટલા માટે શ્રીયંત્રનું આટલું મહત્વ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કેવી રીતે કરવી ?

શ્રીયંત્રની સ્થાપન વિધિ

જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ અને તમારા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવા ઇચ્છતા હોવ તો સૌપ્રથમ તમારે 24 કલાક સુધી શ્રીયંત્રને મીઠાવાળા (નમક) પાણીમાં મૂકી રાખવું. તેના પછી શ્રીયંત્રને વહેતા પાણીથી સ્વચ્છ કરી લો. ત્યારબાદ ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરો. તેનાથી આપના ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને હંમેશા આપના ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બનેલું રહેશે.

ભેટમાં આપવા માટે સૌથી શુભ શ્રીયંત્ર !

એવું માનવામાં આવે છે કે જો તમે કોઇને દિલથી ચાહતા હોવ અને તેમની સંપન્નતા ઇચ્છતા હોવ તો તેમને ભેટના રૂપમાં શ્રીયંત્ર આપવું જોઇએ. આ શ્રીયંત્ર એ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી સમસ્ત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ સાબિત થશે અને તેના જીવનની દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે.

કારકિર્દીમાં પ્રગતિ માટે મદદરૂપ થશે શ્રીયંત્ર !

ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાના કારણે તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તમે તમારા ઘરના મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે સાથે જ તે યશ અને કિર્તીની  પણ પ્રાપ્તિ કરાવશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">