Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.

Bhakti : સુંદરકાંડનો પાઠ શું એક જ વારમાં પૂર્ણ કરવાનો હોય છે ?
હનુમાનજી
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 07, 2021 | 6:29 AM

પવનપુત્ર હનુમાનજીનું આમ તો સ્મરણ કરોને હનુમાનજી પ્રસન્ન થઇ જતા હોય છે. જાણે કે બધી જ ચિંતાઓનું શમન તે પોતે જ કરી લે છે. જે લોકો નિત્ય તેમના નામનું સ્મરણ કરે છે તેમને આધિ, વ્યાધિ, ઉપાધિથી છુટકારો મળે છે. એટલું જ નહીં પણ જો તમે સુંદરકાંડનો નિત્ય પાઠ કરશો તો તો તમારી સઘળી સમસ્યાઓ દૂર થશે. તેમજ તમને જીવનમાં દરેક પ્રકારની સુખ, શાંતિની પ્રાપ્તિ થશે.

1) હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુંદરકાંડનો પાઠ સૌથી અચૂક માનવામાં આવે છે. આ તુલસીદાસકૃત રામચરિત માનસનો પાંચમો કાંડ છે. તો ચાલો જાણીએ સુંદરકાંડના પાઠ વિશેની માહિતી કે સુંદરકાંડનો પાઠ એક જ વારમાં પૂર્ણ કરવો જોઇએ કે અડધો અડધો પાઠ કરીએ તો ચાલે ? 2) સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનજીની વિજયનો કાંડ છે. સુંદરકાંડનો પાઠ બધી મનોકામનાઓ પૂર્ણ કરવાવાળો માનવામાં આવે છે. કોઇપણ પ્રકારની પરેશાની કે સંકટ હોય સુંદરકાંડના પાઠથી આ સંકટ તરત જ દૂર થઇ જાય છે. 3) હનુમાનજીના સુંદરકાંડનો પાઠ સપ્તાહમાં એકવાર જરૂર કરવો જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષીઓના મત મુજબ વિષમ પરિસ્થિતિઓમાં સુંદરકાંડના પાઠની સલાહ આપવામાં આવે છે.સપ્તાહમાં એકવાર પાઠ કરવાથી ગૃહકલેશ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે. 40 સપ્તાહ સુધી સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં ખૂબ જ સુંદર હકારાત્મક બદલાવ જોવા મળે છે. 4) જાણકારોના મત મુજબ તો સુંદરકાંડનો પાઠ એક જ વારમાં કરવો જોઇએ પરંતુ જો તમે એવું નથી કરી શકતા તો એક જ દિવસમાં આ પાઠ ટુકડે ટુકડે પૂર્ણ કરવો જોઇએ. આ પાઠમાં કોઇપણ પ્રકારનો અંતરાલ ન થવો જોઇએ 5) સુંદરકાંડના નિયમિત પાઠ કરવાથી દેવા અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની ભક્તિ કરનાર અને નિયમિત સુંદરકાંડનો પાઠ કરનાર વ્યક્તિને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને પ્રગતિ થતી રહે છે. 6) સુંદરકાંડના પાઠની શરૂઆત મંગળવાર કે શનિવારના દિવસથી કરવો જોઇએ. તેમાં સ્વસ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. હનુમાનજીની સાથે સાથે સીતા-રામની મૂર્તિઓની પૂજા પણ કરવી જોઇએ તેના પછી જ સુંદરકાંડના પાઠની શરૂઆત કરવી જોઇએ. હનુમાનજીની પૂજા ફળ, પુષ્પ, મિઠાઇ અને સિંદૂરથી કરવી જોઇએ. સુંદરકાંડનો પાઠ શરૂ કરતાં પહેલા ગણેશ વંદના અવશ્ય કરવી.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : રામચરિત માનસમાં તુલસીદાસજી ચોપાઇ દ્વારા સમગ્ર માનવજાતને બોધ આપતા કહે છે

આ પણ વાંચો : રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા શ્રી રામે કર્યો હતો આ સ્ત્રોતનો પાઠ, તમે પણ જાણો તેનો અદ્ભુત મહિમા

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">