Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે.

Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ
શુભ મુહૂર્તમાં શુદ્ધ ભાવ સાથે કરો વક્રતુંડના વધામણા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 11:57 AM

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ભગવાન ગણેશનો મહાન તહેવાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. તમામ દેવતાઓના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા અને પ્રસન્નતાનો આ તહેવાર આ વર્ષે શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

આ દિવસે ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવશે અને તેમને 19 સપ્ટેમ્બરે, અનંત ચતુર્દશી પર વિદાય આપવામાં આવશે. 10 દિવસના ગણેશોત્સવને લગતી ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો, આજે ગણેશ ચુતર્થીમાં મૂર્તિ સ્થાપનના શુભ મુહૂર્ત જાણીએ અને સાથે જ એ પણ જાણીએ કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ મનાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2021 સવારે 6:23 થી 11:02 સુધી (ચલ, લાભ, અમૃત) સવારે 11:21 થી બપોરે 01:50 સુધી

ગણેશ ચતુર્થી પૂજા વિધી ⦁ ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કરો, વહેલી સવારે ધ્યાન કરો અને ગણપતિ માટે ઉપવાસ કરવાનું વ્રત લો. ⦁ આ પછી બપોરે, ગણપતિની મૂર્તિ અથવા તેમના ચિત્રને લાલ કપડા પર મૂકો. ⦁ ગંગાજળનો છંટકાવ કર્યા પછી ભગવાન ગણેશનું આહવાન કરો. ⦁ ભગવાન ગણેશને ફૂલ, સિંદૂર, જનોઈ અને દુર્વા (ઘાસ) અર્પણ કરો. ⦁ આ પછી ગણપતિને મોદક લાડુ અર્પણ કરો, મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરો. ⦁ ગણેશજીની કથા વાંચો અથવા સાંભળો, ગણેશ ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો.

શું રાખશો ધ્યાન ? ⦁ ભગવાન ગણેશની કૃપાથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. આવી સ્થિતિમાં લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે. ⦁ ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. તે સંપત્તિ અને ગૌરવ લાવે છે. ⦁ ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે ભગવાન ગણેશે તેમને શ્રાપ આપ્યો હતો. ⦁ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે શેરડી અને બુંદીના લાડુ અર્પણ કરો. ⦁ આ સિવાય ગણેશ સ્થાપનની પૂજામાં નવી મૂર્તિનો જ ઉપયોગ કરો અને જૂની મૂર્તિનું વિસર્જન કરો. ⦁ ભગવાન ગણેશની બે મૂર્તિઓ પણ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ. ⦁ જો ભગવાન ગણેશની મૂર્તિની નજીક અંધારું હોય તો તેને ન જોવી જોઈએ. અંધારામાં ભગવાનની મૂર્તિ જોવી અશુભ મનાય છે.

ગણેશ વિસર્જનનું મુહૂર્ત રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021 સવારે 07:58 થી બપોરે 12:32 સુધી (ચલ, લાભ, અમૃત) બપોરે 02:04 થી 03:35 સુધી (શુભ) સાંજે 06:38 થી રાત્રે 11:04 સુધી (શુભ, અમૃત, ચલ) મધ્યરાત્રિએ 02:01 થી 03:30 સુધી (લાભ)

આ પણ વાંચો : લંબોદરને પસંદ છે પાંદડાની લીલાશ ! જે પૂર્ણ કરશે તમારી સઘળી આશ !

આ પણ વાંચો : તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">