AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાસંયોગ અપાવશે સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો, હોળી પર કેવી રહેશે ગ્રહોની ચાલ ?

કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) બુધાદિત્ય રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ આ વખતે વૃષભ, શુક્ર અને કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

મહાસંયોગ અપાવશે સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો, હોળી પર કેવી રહેશે ગ્રહોની ચાલ ?
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 04, 2023 | 6:13 AM
Share

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન એવી ચાર રાત્રી આવે છે, કે જે રાત્રીએ સાધનાનું અને પૂજાનું માહાત્મ્ય રહેલું છે. આ ચાર રાત્રીમાં નવરાત્રી, જન્માષ્ટમી, શિવરાત્રી અને દારુણરાત્રી એટલે કે હોળીનો સમાવેશ થાય છે. હોળીની સાધના અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આ વખતે હોળી અત્યંત શુભ સંયોગ સાથે આવી છે. જે સવિશેષ લાભદાયી મનાઈ રહી છે. ત્યારે આવો જાણીએ કે આ હોળી પર કયો મહાસંયોગ સર્જાયો છે ? અને આ શુભ સંયોગ કેવાં લાભની પ્રાપ્તિ કરાવશે ?

ત્રણ શુભ સંયોગ !

આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઇને ખૂબ જ અસમંજસ છે. પરંતુ, 6 માર્ચ, સોમવારે સાંજે 4:17 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પૂનમ 7 માર્ચ, મંગળવારે સાંજે 6:09 કલાકે સમાપ્ત થશે. સંધ્યાકાળ સોમવારે મળી રહ્યો હોઇ ગુજરાતના દ્વારકા, સોમનાથ જેવાં મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. તો, કેટલાંક સ્થાન પર 7 માર્ચે હોળી પ્રાગટ્યનું આયોજન થયું છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે, બંન્નેમાંથી જે પણ દિવસે હોલિકા દહન થાય, પણ, તે સમયે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. જે વિશેષ ફળદાયી મનાય છે. આ શુભ સંયોગ નીચે અનુસાર છે.

શનિ, સૂર્ય અને બુધનો ત્રિગ્રહી યોગ !

હોળીના અવસર પર શનિની રાશિ કુંભમાં શનિ, સૂર્ય અને બુધની યુતિ બની રહી છે. આ 3 ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ સર્જાયો છે. આવો સંયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં વર્ષ 1993માં હોળીના અવસર પર આ 3 ગ્રહ કુંભ રાશિમાં હતા.

બુધાદિત્ય રાજયોગ

કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધાદિત્ય રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ આ વખતે વૃષભ, શુક્ર અને કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

સ્વરાશિમાં ગુરુ ગ્રહ !

ગુરુ ગ્રહ પણ તેની સ્વરાશિ મીનમાં છે. જે 12 વર્ષ બાદ થઇ રહ્યું છે. આ પહેલાં હોળીના અવસર પર વર્ષ 2011માં ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં હતા. ગ્રહોની આ પ્રકારની શુભ અને અદભુત સ્થિતિ દુર્લભ યોગ માનવામાં આવે છે. જેની મોટી અસર 12 રાશિઓ પર થશે.

શુક્ર કરાવશે સમૃદ્ધિમાં વૃદ્ધિ !

ધન, વિલાસ, વૈભવ, પ્રેમના દાતા મનાતા શુક્ર ગ્રહ વર્તમાનમાં ગુરુની સાથે મીન રાશિમાં બિરાજમાન છે. ગુરુ ભાગ્યમાં વૃદ્ધિ કરનાર ગ્રહ છે. આ 2 શુભ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોવાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રેમમાં વધારો કરશે. મીન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિ ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">