Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય

શાલીગ્રામના નિત્ય પૂજનથી તન, મન, અને ધનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દરેક પ્રકારની નબળાઇ અને દોષ દૂર થાય છે. કહે છે કે જે ઘરમાં શાલીગ્રામ હોય તે ઘર તીર્થોથી પણ વધુ શ્રેષ્ઠ મનાય છે. શાલીગ્રામના તો દર્શન અને પૂજન માત્રથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.

ઘરના મંદિરમાં શાલીગ્રામની હાજરી માત્રથી પ્રાપ્ત થશે અનેક તીર્થોનું પુણ્ય ! જાણો પૂજન માહાત્મ્ય
Shaligram (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:28 AM

શાલીગ્રામ એ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું જ સ્વરૂપ મનાય છે. શ્યામ પત્થર જેવું સ્વરૂપ ધરાવતા શાલીગ્રામમાં ચક્રનું નિશાન બનેલું હોય છે. જે શિલા પર આ ચિન્હ ન હોય તે પૂજા માટે યોગ્ય નથી ગણાતી. શાલીગ્રામ એ બધાં પ્રકારની મૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ છે અને તેની પૂજાનું વિધાન છે. કહે છે કે શાલીગ્રામના ઘરમાં હોવા માત્રથી જ વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે.

શાલીગ્રામને ઘરમાં રાખવાથી થતા લાભ

શાલીગ્રામનો રંગ શ્યામ હોય છે અને તેનો આકાર લંબગોળ જેવો હોય છે. સાથે જ તેની સપાટી લીસ્સી હોય છે. શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો એક અવતાર માનવામાં આવે છે. તુલસીના છોડમાં શાલીગ્રામ રાખવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં શાલીગ્રામની પૂજા થતી હોય છે તે ઘરમાં તમામ પ્રકારના વાસ્તુદોષ નાશ પામે છે. ઘરની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવે છે.

શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો
ભારતના 100 રૂપિયા બેંગકોકમાં જઈ કેટલા થઈ જાય ?
Cheapest Mobile : 15 હજારથી ઓછી કિંમતમાં કયા સ્માર્ટફોન આવે?
યામી ગૌતમ બોલિવૂડમાં કેમ આવી? ખુદ જણાવ્યું કારણ
વિરાટ-ધોની ભાઈ-ભાઈ... જુઓ દોસ્તીના આ ખાસ ફોટા
Jioનો સૌથી સસ્તો પ્લાન, મળશે 336 દિવસની વેલિડિટીમાં ઘણું બધુ

માતા લક્ષ્મીનો વાસ

જે ઘરમાં દરરોજ શાલીગ્રામની પૂજા થાય છે તે ઘરમાં મા લક્ષ્મીનો વાસ હોય છે. જે નિરંતર શાલીગ્રામ શીલાને જળાભિષેક કરે છે તે સંપૂર્ણ દાન-પુણ્યના ઉત્તમ ફળનો અધિકારી બને છે. શાલીગ્રામ સ્વયંભૂ હોવાના કારણે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી રહેતી અને ભક્તજન તેમના ઘર તેમજ મંદિરમાં સ્વયં પૂજા કરી શકે છે.

શાલીગ્રામનું રૂપ કેવું હોય છે ?

દરેક સ્થાન પર શાલીગ્રામના અલગ અલગ રૂપો પ્રાપ્ત થાય છે. કેટલાકમાં પત્થરોની અંદર જ શંખ, ચક્ર, ગદા કે પદ્મ જેવા આકાર બનેલા હોય છે. કેટલાક પત્થરોમાં સફેદ રંગની ગોળ ધારાઓ હોય છે જે ચક્ર સમાન હોય છે. કેટલાક દુર્લભ શાલીગ્રામ પર આ રેખાઓ પીળા રંગની પણ હોય છે.

ફળદાયી શાલીગ્રામ પૂજન

1. શાલીગ્રામની પૂજા તુલસી વિના અધૂરી છે. તુલસી અર્પણ કરેલ શાલીગ્રામ તરત જ પ્રસન્ન થાય છે.

2. શાલીગ્રામ અને તુલસીના વિવાહ કરાવવાથી રોગ અને દોષ દૂર થાય છે સાથે જ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એવું પુણ્યફળ કે જે કન્યાદાન કરવાથી પ્રાપ્ત થાય છે !

3. દરરોજની પૂજામાં શાલીગ્રામજીને સ્નાન કરાવીને ચંદન અને તુલસીદળ અર્પણ કરવામાં આવે છે. તેનું ચરણામૃત પણ ગ્રહણ કરવામાં આવે છે. આવું કરવાથી તન, મન, અને ધનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. દરેક પ્રકારની નબળાઇ અને દોષ દૂર થાય છે.

4. પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે શાલીગ્રામ જે ઘરમાં હોય છે તે ઘર તીર્થોથી પણ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમનું દર્શન અને પૂજન કરવાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : સવારે ઉઠતાની સાથે જ કરો આટલા કામ, ચમકી ઉઠશે તમારૂ કિસ્મત

આ પણ વાંચો : દેવી દેવતાઓ સાથે જોડાયેલું છે રુદ્રાક્ષનું બીજ, ધારણ કર્યા પહેલા જરૂર જપો તેનો આ મંત્ર

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">