ગણેશજીની થશે પૂજા અને મા લક્ષ્મી વરસાવશે કૃપા ! આ ઉપાય ખોલી દેશે બંધ નસીબનું તાળું !

આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને (Ganeshaji) 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટ દૂર થાય છે. સાથે જ દેવામાંથી ઝડપથી છૂટકારો મળતો હોવાની માન્યતા પણ પ્રચલિત છે.

ગણેશજીની થશે પૂજા અને મા લક્ષ્મી વરસાવશે કૃપા ! આ ઉપાય ખોલી દેશે બંધ નસીબનું તાળું !
Lord ganesh (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 04, 2023 | 6:17 AM

મંગળવારની જેમ જ બુધવારનો દિવસ પણ ગણપતિ દાદાને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ગણેશજીના કેટલાક ઉપાયો અજમાવીને તમે ગણેશજીની સાથે માતા લક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો, આજે કેટલાંક એવાં જ ઉપાયો વિશે વાત કરીએ.

હિન્દુ ધર્મમાં ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ કરવામાં આવે છે. ગણેશજીની પૂજા સાથે કાર્યની શરૂઆત કરવાથી વ્યક્તિના કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. તો, બુધવારના દિવસે ગણેશજીની પૂજાનું ખાસ વિધાન છે. આ દિવસે ગણેશજીની પૂજા સાથે તેમની કૃપા મેળવવા માટેના કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોના દરેક કષ્ટોને હરી લે છે. તો ચાલો જાણીએ બુધવારના દિવસે કરવાના ખાસ ઉપાયો કે જેના દ્વારા આપના ઘરના ધન-ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે.

ગણેશ પૂજાથી લક્ષ્મીકૃપા !

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે ગણેશ મંદિરમાં જઇને ગણેશજીને ગોળનો ભોગ અર્પણ કરવો જોઇએ. આ ઉપાયથી ગણેશજીની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ વરસશે. કહે છે કે આવું કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી. તો, આજના દિવસે તમે ગણેશજીને ગોળની સાથે મોદકનો ભોગ પણ અર્પણ કરી શકો છો.

ઋણમાંથી મુક્તિ !

આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને 21 કે 42 જાવંત્રી અર્પણ કરવી. આ ઉપાય કરવાથી આપના આર્થિક સંકટ દૂર થાય છે. સાથે જ બુધવારના દિવસે આખા મગને બાફીને તેમાં ઘી અને ખાંડ ઉમેરીને ગાયને ખવડાવવાથી વ્યક્તિને દેવામાંથી ઝડપથી છૂટકારો મળતો હોવાની માન્યતા પ્રચલિત છે.

આર્થિક સમૃદ્ધિ !

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે મંદિરમાં જઇને ગણેશજીને દૂર્વા અને લાડુ અર્પણ કરવા જોઇએ. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં બુધવારના દિવસે 2 મુઠ્ઠી મગ લઇને પોતાની ઉપરથી ઉતારીને પોતાની મનોકામના બોલો અને પછી આ મગને વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી પણ આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

સમસ્યાનું નિવારણ !

બુધવારના દિવસે ગણેશ પૂજા પછી કિન્નરને દાન કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. દાન કર્યા પછી કિન્નર પાસેથી કેટલાક પૈસા આશીર્વાદના રૂપમાં લઇ લેવા. ત્યારબાદ આ પૈસાને પૂજા સ્થાનમાં રાખી દેવા અને તેને ધૂપ-દીપ અર્પણ કરવા. આ ઉપાય કરવાથી આપની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

અથર્વશીર્ષના પાઠ

જ્યોતિષીઓના જણાવ્યાનુસાર બુધવારના દિવસે અથર્વશીર્ષના પાઠ કરવાથી ગણેશજી જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. તેમજ ભક્તોના તમામ વિઘ્નો દૂર કરે છે.

સિંદૂરથી સફળતા !

બુધવારે પૂજા કર્યા બાદ ભગવાન ગણેશજીને મસ્તક પર સિંદૂર અર્પણ કરવું અને ત્યારબાદ તે સિંદૂર આપના મસ્તક પર લગાવવું. આ ઉપાયથી આપને દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">