AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે ઘરના મંદિરની નિત્ય સફાઈ કરો છો કે નહીં ? પૂજાઘરના સંદર્ભમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી !

અનેક પ્રશ્નોથી ઘેરાયેલા લોકો જ્યારે ઘરના પૂજાઘર (Puja ghar) સન્મુખ બેસીને તેમના આરાધ્યને નતમસ્તક થાય છે, ત્યારે તેમનામાં નવી ઊર્જાનો સંચાર થાય છે. પણ, તેનાથી વિપરીત જ્યારે તમે આ જ પૂજાઘર સંબંધી કેટલીક બાબતોની અવગણના કરો છો, ત્યારે તમારે અનેકવિધ મુસીબતોનો સામનો કરવાનો વારો આવે છે !

તમે ઘરના મંદિરની નિત્ય સફાઈ કરો છો કે નહીં ? પૂજાઘરના સંદર્ભમાં આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી !
Puja ghar
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 21, 2023 | 6:24 AM
Share

દરેક ઘરનો સૌથી પવિત્ર ખૂણો કે સ્થાન જો કોઈ હોય તો તે ઘરનું પૂજાઘર હોય છે ! એ ઘરનું પૂજાસ્થાન કે મંદિર જ તો છે કે વ્યક્તિને નવી ચેતના પ્રદાન કરે છે. અનેક પ્રશ્નોથી ઘેરાયેલા લોકો જ્યારે ઘરના પૂજાઘર સન્મુખ બેસીને તેમના આરાધ્યને નતમસ્તક થાય છે, ત્યારે તેમનામાં નવી ઊર્જાનો અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.

પણ, તેનાથી વિપરીત જ્યારે તમે આ જ પૂજાઘર સંબંધી કેટલીક બાબતોની અવગણના કરો છો, ત્યારે તમારે અનેકવિધ મુસીબતોનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે, આવો આજે એ જ જાણીએ કે ઘરના પૂજાઘર સંદર્ભે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે અત્યંત જરૂરી ?

શું રાખશો ધ્યાન ?

⦁ તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, પણ નિત્ય જ ઘરના મંદિરમાં સાફ-સફાઈ કરવી જોઈએ અને ત્યારબાદ જ પ્રભુની પૂજા કરવી જોઈએ. જેમ નિત્ય ઘરની સફાઈ જરૂરી છે, તે જ રીતે નિત્ય ઘરના મંદિરની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જો તેમ કરવામાં ન આવે તો દેવતાઓ નારાજ થઈ શકે છે !

⦁ પર્વજો પણ દેવતા સમાન છે અને એટલે જ આપણે તેમને પિતૃદેવ કહીએ છીએ. પણ, યાદ રાખો કે, ઘરના પૂજાઘરમાં પૂર્વજોની તસવીર ક્યારેય પણ ન રાખવી જોઈએ. નહીંતર તમે દોષના ભાગીદાર બની જશો.

⦁ ઘરના પૂજાઘરમાં ક્યારેય શનિદેવની તસવીર કે મૂર્તિ પણ ન જ રાખવી જોઈએ. તેને શુભ માનવામાં નથી આવતું.

⦁ પૂજા સ્થાનમાં અગરબત્તી ન પ્રગટાવો. તેના બદલે ધૂપ પ્રજ્વલિત કરો. તે વધુ ફળદાયી બની રહેશે.

⦁ ઘરના પૂજાસ્થાનનો દરવાજો ક્યારેય પણ બંધ ન રાખવો જોઈએ.

⦁ હંમેશા એ વાત ધ્યાનમાં રાખો કે પૂજાઘરની પાસે ક્યારેય સ્ટોર રૂમ કે રસોડું ન જ હોવું જોઈએ. જો આવું કંઈ હોય તો તમારે વાસ્તુદોષનો સામનો કરવો પડી શખે છે.

⦁ ઘરનું મંદિર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ હોવું જોઇએ. મંદિરનું પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોવું અશુભ ફળ પ્રદાન કરે છે.

⦁ ઘરના મંદિરની આસપાસ ક્યારેય પણ શૌચાલય ન જ હોવું જોઈએ. નહીંતર, પરિવારને અનેક મુસીબતો સહન કરવાનો વારો આવે છે.

⦁ જ્યાં ઘર ખૂબ જ નાના હોય છે, ત્યાં ઘણાં લોકો રસોડામાં જ મંદિર બનાવી દેતા હોય છે. પણ, આવું કરવું બિલ્કુલ પણ યોગ્ય નથી. તેનાથી તમારે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે !

⦁ યાદ રાખો, કે ઘરમાં માત્ર એક જ મંદિર હોવું જોઈએ. વધારે મંદિર ન સ્થાપવા જોઈએ. નહીંતર તેના લીધે માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

⦁ મંદિરની તરફ પગ રાખીને ક્યારેય ન સૂવું જોઇએ. તે અશુભદાયી મનાય છે. એટલું જ નહીં, પૂજાનું શુભફળ પણ આપને પ્રાપ્ત નથી થતું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">