AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !

દેવશયની એકાદશી એ તો મનોકામનાની પૂર્તિ કરતી એકાદશી છે. આજના દિવસે શ્રીહરિ વિષ્ણુની આરાધનાનો મહિમા છે. અલબત, માત્ર એક ખાસ દ્રવ્ય સાથે ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદની પણ પ્રાપ્ત થાય છે.

Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !
દેવશયની એકાદશી એ તો મનોકામનાની પૂર્તિ કરતી એકાદશી
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:00 AM
Share

Bhakti: આજે દેવશયની એકાદશી(EKADASHI) છે. કહેવાય છે કે દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે પાતાળ લોક નિવાસ કરે છે. અને હવે પછીના ચાર માસ કોઈ જ શુભ કાર્યો થતાં નથી. પણ એવું કહેવામાં આવે છે કે જો આજના દિવસે ભક્તો કેટલાક ઉપાય કરી લે તો તેમની દરેક મનોકામના પૂરી થઈ જાય છે. શું તમે જાણો છો કે દેવશયની એકાદશી એ તો મનોકામના પૂર્તિ એકાદશી છે.

આમ તો એકાદશી એ ભગવાન વિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર છે. લોકો એકાદશી અને ખાસ તો દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુની આરાધના કરતાં હોય છે. તેમને પ્રસન્ન કરવાના ઉપાયો કરતાં હોય છે. પરંતુ આજે અમે આપને જણાવીશું એવા સરળ ઉપાય કે જેનાથી આપની મનોકામના તો પૂરી થશે જ સાથે જ આપના પર દેવી લક્ષ્મી પણ થશે મહેરબાન. આવો જાણીએ એ વિશેષ ઉપાય અને ખાસ વિધિ વિધાન કે જેનાથી શ્રીહરિની સાથે દેવી લક્ષ્મીના આશિષની પણ આપને થશે પ્રાપ્તિ.

⦁ દેવશયની એકાદશીના દિવસે સોથી પહેલાં સ્નાન કરો. ⦁ ત્યારબાદ સવારે ઉઠીને ઘરની સાફ સફાઈ કરી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ કે પછી હળદરથી જળ છંટકાવ કરો. ⦁ આપના ગૃહ મંદિરમાં ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ કે તાંબાની મૂર્તિને એક આસન પર બિરાજમાન કરો. ⦁ દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. ⦁ ધન-ધાન્ય અને  લક્ષ્‍મીની પ્રાપ્તિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુને કેસર યુક્ત જળથી અભિષેક કરો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુને કેસરના જળથી અભિષેક કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય નાણાંની ખેંચ રહેતી નથી. ⦁ વ્યક્તિએ દીર્ઘાયુના આશિષ પ્રાપ્ત કરવા તથા શત્રુ કે કોઈ અડચણથી મુક્તિ માટે સરસવના તેલનો અભિષેક કરવો. ⦁ જે દંપતીને સંતાનની પ્રાપ્તિ કરવી છે તેમણે ભગવાન વિષ્ણુ પર દૂધનો અભિષેક કરવો. ⦁ તો પાપ મુક્તિ માટે વ્યક્તિ એ આજનો ઉપવાસ ખાસ કરવો. કહેવાય છે કે દેવશયની એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવુ જોઈએ. જો તમે આવુ ન કરી શકતા હોય તો એક સમયે ફળાહાર કરીને પણ આ વ્રતને કરી શકો છો. ⦁ ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને ખીર, પીળા ફળ કે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો. ⦁ આ દિવસે ૐ નમો નારાયણાય નમ: કે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો 108 વાર જાપ કરો. ⦁ દેવશયની અગિયારસની સાંજે તુલસી સામે ગાયના શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરી તેની પરિક્રમા કરો. ⦁ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે વૃક્ષમાં તે પીપળો છે. એટલે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. તેથી એકાદશી પર પીપળાના ઝાડ પર જળ અવશ્ય ચઢાવવું. ⦁ શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ ઘઉં, ચોખા વગેરે ધાન્યનું દાન કરવું. અને શક્ય હોય તો ધાન્યને ગરીબોમાં પણ વહેચવું. કહેવાય છે કે આસ્થા સાથે દેવશયની એકાદશીએ આ તમામ સરળ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો સાથે જ ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત કરે છે. અને વ્યક્તિના જીવનમાં રહેલા આર્થિક પ્રશ્નો પણ દુર થાય છે.

આ પણ વાંચો : જાણો ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનું ધાર્મિક મહત્વ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">