AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2022: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો ઉપયોગ કરશો તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ

દિવાળી (Diwali) પૂજનમાં પાણીમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના પૂજનનું વિશેષ માહાત્મ્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં જળનો સંબંધ ચંદ્રદેવ સાથે માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઇ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા.

Diwali 2022: દિવાળીની પૂજામાં જો આ 6 વસ્તુઓનો ઉપયોગ કરશો તો ધન ધાન્યમાં થશે વૃદ્ધિ
Laxmi - Ganesh Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:25 PM
Share

દિવાળીના (Diwali) દિવસે માતા લક્ષ્મી (Laxmi) અને ભગવાન ગણેશની (Ganesh) પૂજાનું મહત્વ છે. સાથે જ દિવાળી પૂજનમાં પાણીમાં જોવા મળતી કેટલીક વસ્તુઓના પૂજનનું પણ વિશેષ માહાત્મ્ય છે. જ્યોતિષશાસ્ત્રમાં જળનો સંબંધ ચંદ્રદેવ સાથે માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રમાની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે થઇ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી જ પ્રગટ થયા હતા. એટલા માટે દિવાળીની રાત્રે પાણીમાં જોવા મળતી 6 વસ્તુઓનું વિશેષ મહત્વ છે. તમે પણ જાણી લો કે આ 6 વસ્તુઓ કઈ છે અને પૂજામાં તેના ઉપયોગથી કેવાં ફળની થશે પ્રાપ્તિ.

1. કમળનું ફૂલ

મહાલક્ષ્મીના પૂજનમાં કમળનું પુષ્પ વિશેષ મહત્વ ધરાવે છે. કમળ પાણીમાં ઉગે છે. દિવાળી પૂજનમાં મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું ખૂબ જ શુભ અને મંગળકારી મનાય છે. કમળને શુભ, સૌંદર્ય અને આર્થિક સંપન્નતાનું પ્રતિક માનવામાં આવે છે.

2. સમુદ્રનું જળ

જો તમને સમુદ્રનું જળ મળી જાય તો તેને દિવાળી પૂજનમાં જરૂર સામેલ કરો. માન્યતા છે કે મા લક્ષ્મી જળથી જ પ્રગટ થયા છે. પૂજન દરમિયાન જળને કળશમાં ભરી રાખવું અને પૂજા પછી ઘરમાં આ જળનો છંટકાવ કરી દેવો જોઇએ. લોકવાયકા અનુસાર આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જામાં વૃદ્ધિ થાય છે.

3. શંખ

દિવાળી પૂજનમાં શંખને સામેલ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે શંખ દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેને શંખ ખૂબ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઈએ તો શંખને માતા લક્ષ્મીનો ભાઇ માનવામાં આવે છે અને એટલે જ તેનું પૂજન ફળદાયી મનાય છે.

4. મોતી

દિવાળીની રાતે પૂજા સ્થળ પર મોતી રાખવું જોઇએ અથવા તો ધારણ કરવું જોઇએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

5. ગોમતી ચક્ર

દિવાળી પૂજનમાં ગોમતી ચક્રનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. ગોમતી નદીમાંથી છિપલા જેવી સફેદ વસ્તુઓ મળે છે જેના પર ચક્ર બનેલું હોય છે તેને ગોમતીચક્ર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ચક્ર પર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે. જે બધી જ નકારાત્મકતાઓનો નાશ કરે છે. લક્ષ્મી પૂજન પછી ગોમતી ચક્રને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. કહે છે કે આવું કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધે છે. ધ્યાનમાં રહે કે પૂજનમાં 11 ગોમતી ચક્ર રાખવા જોઇએ.

6. શિંગોડા

માતા લક્ષ્મીને મનગમતા ફળોમાં શિંગોડાનો પણ સમાવેશ થાય છે. માન્યતા છે કે દિવાળી પૂજનમાં શિંગોડાને સામેલ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને મા લક્ષ્મીની કૃપાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે !

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">