AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ

દિવાળીની (Diwali) ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં શોધી શકાય છે, જ્યારે તે લણણીના તહેવાર તરીકે શરૂ થઈ હોવાનું કહેવાય છે. જો કે, તેના ઇતિહાસ સાથે વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. જ્યારે કેટલાક માને છે કે તે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના લગ્નની ઉજવણી છે, તો કેટલાક તેને દેવી લક્ષ્મીના જન્મની ઉજવણી તરીકે પણ માને છે.

Diwali: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ
Diwali
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:23 PM
Share

દિવાળી (Diwali) એ વ્યક્તિના અંતરને પ્રકાશિત કરવાનો અને અંદરના તમામ અંધકારને દૂર કરવાનો દિવસ છે. આ તહેવાર ઘરોને દિપક અને રોશનીથી પ્રકાશિત કરવા, મીઠાઈઓ ખાવા, નવા કપડાં પહેરવા અને ફટાકડા ફોડવા માટે જાણીતો છે. તે હિંદુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે. આ તહેવારને દીપાવલી (Deepavali) તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ‘પ્રકાશની પંક્તિ’ થાય છે અને તે પાંચ દિવસના સમયગાળામાં ઉજવવામાં આવે છે.

દિવાળીની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં શોધી શકાય છે, જ્યારે તે લણણીના તહેવાર તરીકે શરૂ થઈ હોવાનું કહેવાય છે. જો કે, તેના ઇતિહાસ સાથે વિવિધ દંતકથાઓ જોડાયેલ છે. જ્યારે કેટલાક માને છે કે તે દેવી લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના લગ્નની ઉજવણી છે, તો કેટલાક તેને દેવી લક્ષ્મીના જન્મની ઉજવણી તરીકે પણ માને છે.

બંગાળમાં, આ તહેવાર શક્તિશાળી દેવી કાલીની પૂજાને સમર્પિત છે અને કેટલાક ઘરોમાં શુભ અને શાણપણના પ્રતીક તરીકે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. કેટલાક જૈન ઘરોમાં, દિવાળી ભગવાન મહાવીરના નિર્વાણ પ્રાપ્ત કરવાની મહાન ઘટનાને પણ ચિહ્નિત કરે છે. હિંદુઓ માટે, આ તહેવાર ભગવાન શ્રી રામ પ્રભુના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા અને રાવણ પર વિજય મેળવ્યો તેની ઉજવણી છે. એવું કહેવાય છે કે અયોધ્યાના લોકોએ સમગ્ર રાજ્યમાં દીવાઓની પંક્તિઓ સાથે શ્રી રામનું સ્વાગત કર્યું.

દિવાળી તહેવારનું મહત્વ દિવાળી એ બુરાઈ પર સારાની જીતનું પ્રતીક છે. અંધકાર અને દુષ્ટતાના નાશના સંકેત આપતા પ્રકાશ અને દિવડાઓ દરેક જગ્યાએ હાજર છે. બધા લોકો સાથે મળીને ઉજવણી કરે છે અને પ્રાર્થના કરે છે, પ્રેમ અને પવિત્રતાનું વાતાવરણ બનાવે છે. ભૂતકાળ પર ચિંતન કરવાનો અને આવનારા વર્ષમાં વધુ સારા નિર્ણયો લેવાનો આ દિવસ છે.

આ દિવસ ક્ષમા અને ભૂલી જવાનો સંકેત આપે છે, તે તમારી આસપાસ અને તમારી જાતને નવી શરૂઆત આપવા જેવું છે. તે સમૃદ્ધિની ઉજવણી છે જેમાં લોકો પરિવાર, મિત્રો અને કર્મચારીઓને ભેટ આપે છે. દિવાળી આપણી અંદરના તમામ અંધકારને દૂર કરીને આપણા અંતરને પ્રકાશિત કરવાનો સંદેશ આપે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
g clip-path="url(#clip0_868_265)">