AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: ક્યાંક તમે તો નથી કરીને આ ભૂલ? પૂજા સ્થાન સંબંધી આ ભૂલ આપને નુક્શાન કરી શકે છે

શું તમારા ઘરનું મંદિર રસોડામાં કે ઘરની સીડી નીચે તો નથી ને ? તમારા મંદિર પર હંમેશા સૂર્યપ્રકાશ તો આવે છે ને ? આવી ભૂલ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારી શકે છે.

Bhakti: ક્યાંક તમે તો નથી કરીને આ ભૂલ? પૂજા સ્થાન સંબંધી આ ભૂલ આપને નુક્શાન કરી શકે છે
ઘરમાં મંદિરનું સ્થાપન તો વિશિષ્ટ રીતે જ થવું જોઈએ.
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 21, 2021 | 4:22 PM
Share

Bhakti: અત્યંત વ્યસ્તતા ભરેલી આ જિંદગીમાં નિત્ય મંદિરમાં (MANDIR) દર્શનાર્થે જવું મુશ્કેલ બન્યું છે. એમાં પણ આ મહામારી કે જેમાં ભક્તો માટે પ્રભુનાં મંદિર(Temple)માં દ્વાર મહિનાઓ સુધી બંધ રહ્યા. પણ આપણે ક્યારેય આપણાં આરાધ્યથી-આપણાં ઈષ્ટદેવથી દુર રહ્યા હોય એવી અનુભૂતિ આપણને ક્યારેય નથી થતી કારણકે આપણે ઘરમાં જ નાનકડાં મંદિરનું નિર્માણ કરી તેમાં આપણાં આરાધ્યને બિરાજમાન કરીએ છીએ.

મંદિરમાં બિરાજમાન દેવી દેવતાનાની પૂજા અર્ચના કરીએ છીએ અને આપણી સઘળી ચિંતાઓને ભૂલી જઈએ છીએ. તમારી તમામ કામનાઓની પૂર્તિ પણ તમારા ઘરનું મંદિર જ કરી શકે છે. અલબત, તેના માટે જરુરી એ છે કે તમારા મંદિરનું સ્થાપન યોગ્ય રીતે થયેલું હોય.

શું તમને ખબર છે કે જો આ સ્થાપન વિધિ શાસ્ત્રોક્ત રીતે અને કેટલાંક ખાસ નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ? કારણકે કેટલીક સામાન્ય ભૂલ તમારાં આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક વિકાસને અવરોધી શકે છે. ઘરમાં મંદિરનું સ્થાપન કોઈ ખાસ અને યોગ્ય જગ્યાએ હોવું જોઈએ. કારણકે તે આપના ઘરમાં રહેલું પૂજાસ્થાન જ છે કે જે આપના ઘરમાં સકારાત્મક ઉર્જાને બનાવી રાખે છે. એટલે કે જે સ્થાન પર આપના આખાંય ઘરની ઉર્જા નિર્ભર કરતી હોય તે સ્થાન પર મંદિરનું સ્થાપન પણ તો વિશિષ્ટ રીતે જ થવું જોઈએ.

કઈ રીતે કરવું સ્થાપન

⦁ કેટલાક લોકો મંદિરની દિશાને ખાસ મહત્વ નથી આપતાં પરંતુ તે તમારા મંદિરની દિશા ઉત્તર-પૂર્વ જ હોવી જોઈએ. ⦁ શું તમારા ઘરનું મંદિર રસોડામાં તો નથી ને ? ઘરનું પૂજા સ્થાન ક્યારેય રસોડામાં, સ્ટોર રૂમમાં કે સીડીની નીચે ન હોવું જોઈએ અને  શૌચાલયની નજીક પણ મંદિરનું સ્થાપન ક્યારેય ન કરવું, વાસ્તુશાસ્ત્ર મુજબ તે બિલકુલ યોગ્ય નથી. આવી ભૂલ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારી શકે છે. ⦁ ઘરનું મંદિર ક્યારેય ભોંયરામાં પણ ન હોવું જોઈએ. મંદિર હંમેશા સૂર્યપ્રકાશ આવે તે જ રીતે સ્થાપિત કરવું જોઈએ. ⦁ ઘરના શયન ખંડમાં પણ ક્યારેય પૂજા સ્થાન ન બનાવવું. અને એટલું જ નહીં, ઘરના મંદિર તરફ પગ રાખીને બિલકુલ ન સુવુ જોઈએ. ⦁ તો પૂજા સ્થાનની દિવાલ પર ક્યારેય ઘાટા રંગનો ઉપયોગ ન કરવો. મંદિરનો રંગ પીળો અથવા કેસરી રંગ હોય તો તે ઉત્તમ કહેવાય છે. જો આપ પણ આવી ભૂલ કરતાં હોવ તો ચેતી જજો. કારણકે મંદિરના સ્થાપન સમયે થયેલી ભૂલ આપને ભારે પડી શકે છે.

આ પણ વાંચો : કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા બનશે વિશેષ ફળદાયી ?

bhakવપોકૂગ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">