Devshayani Ekadashi 2026 : ભગવાન વિષ્ણુ 4 મહિના કેમ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે? જાણો
હિન્દુ ધર્મમાં ચાતુર્માસનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જે અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં કેમ જાય છે? ચાલો આજે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના ઊંઘ પાછળના કારણો વિશે જાણીએ.

ચાતુર્માસનો સમય હિન્દુ ધર્મમાં ખુબ વિશેષ માનવામાં આવે છે. જે અષાશ શુકલ એકાદશી થી કાર્તિક શુકલ એકાદશી સુધી ચાલે છે. સરળ શબ્દોમાં જો કહીએ તો ચાતુર્માસ 4 મહિનાનો હોય છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આષો, કારતક મહિનો આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે, ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં કેમ જાય છે? તો ચાલો આ લેખમાં ભગવાન વિષ્ણુ 4 મહિના કેમ સુઈ જાય છે. તેના વિશે વિસ્તારથી જાણીએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચાતુર્માસ શરુ થયા પછી શુભ અને માંગલિક કાર્ય જેમ કે લગ્ન, મુંડન સંસ્કાર,તિલક, સગાઈ અને યજ્ઞોપવીત વગેરે 16 સંસ્કાર બંધ થઈ જાય છે. દેવશયની એકાદશીથી લઈ દેવઉઠી એકાદશી સુધી શ્રીહરિ વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ત્યારબાદ દેવશયની એકાદશી દિવસ ભગવાન વિષ્ણુ યોગ યોગ નિદ્રામાંથી બહાર આવે છે. ત્યારબાદ તમામ શુભ અને માંગલિક કાર્યો ફરી શરુ થાય છે.
ભગવાન વિષ્ણુ નિદ્રામાં કેમ જાય છે?
ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી ક્ષીર સાગરમાં 4 મહિના સુધી સુઈ જાય છે. ત્યારબાદ 4 મહિના પછી ઉઠે છે. ભગવાન વિષ્ણુની આ નિદ્રા 4 મહિના પછી દેવઉઠી એકાદશીના દિવસે ખુલે છે.
વિષ્ણુજીની યોગ નિદ્રા શું છે?
વિષ્ણુની યોગ નિદ્રા બ્રહ્માંડીય નિષ્ક્રિયતાનો સમય માનવામાં આવ્યો છે. જ્યાં તે પોતાની ઉર્જા પરત લઈ લે છે. ભગવાન વિષ્ણુની ગેરહાજરીને કારણે, આ સમય દરમિયાન કોઈપણ શુભ કે શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ સૂતા હોય ત્યારે દુનિયા કોણ ચલાવે છે?
જ્યારે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગિક નિદ્રામાં જાય છે, ત્યારે અન્ય દેવતાઓ સાથે મળીને પૃથ્વીનો ભાર ઉઠાવે છે. જોકે, એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ સૂતા હોય ત્યારે ભગવાન શિવ દુનિયા ચલાવે છે.
Disclaimer ( આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.)
