AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !

આદ્યશક્તિની કૃપાથી જ વ્યક્તિના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જો ચૈત્રી નવરાત્રી દરમિયાન કેટલીક સાવધાની સાથે જગદંબાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના તમામ ધાર્યા કામ પાર પડે છે.

Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !
Adhyahsakti (Symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Mar 31, 2022 | 12:17 PM
Share

આવી ગયો છે આદ્યશક્તિની આરાધનાનો પર્વ. 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી (Chaitri Navratriનો પર્વ શરૂ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં જે પણ વ્યક્તિ માતા દુર્ગાની ઉપાસના સાચા મન અને ભક્તિભાવ સાથે કરે છે તેની દરેક મનોકામના માતા દુર્ગા પૂર્ણ કરે છે. સાથે જ માતા ભગવતીને પ્રસન્ન કરવા માટે આ નવ દિવસો ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ નવ દિવસ જગદંબાની આરાધના કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે સાથે જ ઘરની નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આદ્યશક્તિનું આહ્વાન કરવામાં આવે છે. માતાનું અનુષ્ઠાન કરવામાં આવે છે અને આ અનુષ્ઠાન આપ ઘટસ્થાપન દ્વારા કરી શકો છો. આવો જાણીએ કે ઘટસ્થાપન અને સંપૂર્ણ ચૈત્રી નવરાત્રી દરમિયાન કઈ કઈ બાબતોનું રાખશો વિશેષ ધ્યાન ?

⦁ ચૈત્રી નવરાત્રી દરમ્યાન પૂજામાં રાખવાની સાવધાની

1. લાલ કે સફેદ ઊનના આસન પર બેસીને જ નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરવી જોઇએ.

2. ઘરમાં ભગવતી માતાની  3 પ્રતિમા એકસાથે ન હોવી જોઇએ.

3. સાથે જ મા દુર્ગાના પૂજનમાં દૂર્વા, તુલસી અને આંબળાનો ઉપયોગ ન કરવો.

4. માતાજીને  પુષ્પમાં માત્ર સુગંધિત પુષ્પ જ અર્પણ કરવા.

5. માતાજીને આંકડો કે મંદારના પુષ્પ ક્યારેય અર્પણ ન કરવા.

6. ચૈત્રી નવરાત્રીમાં ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું

7. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે મા દુર્ગાની પૂજા, ઉપાસના, આરાધના  કરતી વખતે સ્વચ્છ અને રેશમી કપડા અવશ્ય પહેરવા.

8. દેવીના મંદિરની માત્ર એક જ પરિક્રમા કરવી જોઇએ.તેનાથી માતાજીની પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે.

9. ચૈત્રી નવરાત્રી દરમ્યાન જો કોઇએ ઘરમાં નવરાત્રીના અનુષ્ઠાન કર્યા હોય તો  ઘરમાં કંકાશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

10. ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીને ધરાવવામાં આવતા ભોગમાં ગાયના દૂધ અને ગાયના ઘીનો ઉપયોગ કરવાથી માતાજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઈન્દ્રને કેવી રીતે મળી ભયંકર શ્રાપમાંથી મુક્તિ ? જાણો જૂનાગઢના ઈન્દ્રેશ્વર મહાદેવનો મહિમા

આ પણ વાંચો : જયપુરના મોતી ડુંગરી ગણેશજી એટલે તો લડ્ડુપ્રિય ગણેશજી ! તમને ક્યાંય જોવા નહીં મળે લાડુનો આવો પ્રસાદ !

Follow Us
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
g clip-path="url(#clip0_868_265)">