Astro Tips: કુંડળીમાં ગુરુને બળવાન કરવા અજમાવો આ ઉપાય, ચમકશે ભાગ્ય

Astro Tips : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તમે કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે ઘણા ઉપાયો કરી શકો છો.

Astro Tips: કુંડળીમાં ગુરુને બળવાન કરવા અજમાવો આ ઉપાય, ચમકશે ભાગ્ય
Astro Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 3:08 PM

હિન્દુ ધર્મમાં, અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવ અથવા દેવીને સમર્પિત છે. તેવી જ રીતે, ગુરુવાર બ્રહ્મા, બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે, તેઓની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં ગુરુ ( Jupiter ) ગ્રહ બળવાન હોય તો વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તે જ સમયે, ગુરુ જે લોકોની કુંડળીમાં નબળો હોય છે આવી સ્થિતિમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કારણક કે ગુરુને સંપતી અને જ્ઞાનના કારક માનવામાં આવે છે, જેમની કુંડળીમાં ગરૂ નબળી સ્થિતમાં હોય તેમને નાણા સંબંધિત સમસ્યાઓ અને પ્રગતિમાં અવરોધો ઉભા થવા જેવી સમસ્યા થતી જોવા મળે છે. કુંડળી (Kundli)માં ગુરુને બળવાન બનાવવા માટે,આજે અમે તમેને કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ.

પીળા કપડાં પહેરો

જો કોઈની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેણે ગુરુવારનું વ્રત રાખવું જોઈએ. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી કુંડળીમાં ગુરુ બળવાન બને છે.

મંત્રનો જાપ કરો

ગુરુવારે, તમે ॐ बृं बृहस्पतये नम:।, ॐ क्लीं बृहस्पतये नम:। મંત્રનો જાપ કરી શકો છો. તમે આ મંત્રના 3 કે 5 માળા કરી શકો છો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

દાન

કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે તમે દાન કરી શકો છો. તમે મધ, પીળા કપડાં, હળદર, પુસ્તક, સોનું, પીળા અનાજ અને પોખરાજનું દાન કરી શકો છો.

ગુરુવાર વ્રત રાખો

ગુરુવારે વ્રત રાખો. આમ કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. લગ્નમાં વિલંબની સમસ્યા દૂર થાય છે.

પોખરાજ પહેરો

જો કોઈનો ગુરુ નબળો હોય તો તેણે પોખરાજ પહેરવું જોઈએ. તમે જ્યોતિષની સલાહ લીધા પછી પોખરાજ પહેરી શકો છો.

સોનુ પહેરો

ગૂરુ મજબુત કરવા માટે સોનુ પણ પહેરવામાં આવે છે, પરંતુ સોનું ખરીદવુ મોંઘુ લાગે તો તેના વિકલ્પ રુપે હળદરનો ગાંઠિયો પણ પીળા કપડામાં બાંધીને પહેરી શકાય આમ કરવાથી પણ ગૂરુને બળ મળે છે.

કેળાના વૃક્ષની પૂજા કરો

ગુરુવારે કેળાના વૃક્ષની પૂજા કરો. કેસર, ચણાની દાળ અને હળદરથી પૂજા કરો. ગુરુવારે નિયમિતપણે મંત્રનો જાપ કરો પીળી મીઠાઈ ખાઓ

ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો. પીળા રંગની મીઠાઈઓ ખાઓ. તમે ચણાના લોટના લાડુનું સેવન કરી શકો છો. નહાવાના પાણીમાં હળદર ઉમેરો. તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વડીલોનું સન્માન કરો

માતા-પિતા અને વડીલોનું સન્માન કરો. આનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે.

ભગવાન બ્રહ્માની પૂજા કરો

પીપળ અને બ્રહ્માજીની પૂજા કરો. ગુરુનું સેવન કરવાથી પણ ગુરુ ગ્રહ બળવાન બને છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Bihar: લાલુ પ્રસાદ યાદવે 10 લાખ રૂપિયાનો દંડ જમા કરાવ્યો, જામીન માટે નીચલી કોર્ટમાં મોકલી અપાઈ બોન્ડ પ્રક્રિયા

આ પણ વાંચો :સોખડા હરિધામમાં ગુણાતીત ચરણ સ્વામીનું રહસ્યમય સંજોગોમાં મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">