AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ

અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે.

Achala Saptami 2021: અચલા સપ્તમી ક્યારે છે? જાણો શુભ સમય અને તેનું મહત્વ
અચલા સપ્તમી
Follow Us:
| Updated on: Feb 02, 2021 | 11:30 AM

Achala Saptami 2021: અચલા સપ્તમી દર વર્ષે માગ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે ઉજવવામાં આવે છે. તે સૂર્ય સપ્તમી, રથ અથવા આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખાય છે. જો આ સપ્તમી રવિવારે આવે છે તો તે અચલા ભાનુ સપ્તમી કહે છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી, શુક્રવારે આવે છે. સપ્તમી તિથિ ભગવાન સૂર્યને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન સૂર્યદેવે રથ સપ્તમીના દિવસે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું, જેને ભગવાન સૂર્યના જન્મદિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસને સૂર્ય જયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે. અચલા અથવા રથ આરોગ્ય સપ્તમીનો શુભ સમય અને મહત્વ જાણીએ.

અચલા કે આરોગ્ય સપ્તમી શુભ સમય: 19 ફેબ્રુઆરી, શુક્રવાર

રથ સપ્તમીના દિવસે સ્નાન મુહૂર્ત – સવારે 5:14 થી 6:56 સુધી અવધિ – 01 કલાક 42 મિનિટ

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

રથ સપ્તમી પર અરુણોદય – સવારે 6: 32 રથ સપ્તમી પર અવલોકનયોગ્ય સૂર્યોદય – સવારે 6: 56

સપ્તમી તિથિ પ્રારંભ – 18 ફેબ્રુઆરી, ગુરુવાર સવારે 8:17 થી સપ્તમી તિથિ સમાપ્ત – 19 ફેબ્રુઆરી, શુક્રવાર સવારે 10:58 સુુુુુધી

અચલા સપ્તમીનું મહત્વ: રથ સપ્તમીને શુભ દિવસ માનવામાં આવે છે. દાન કરવા માટે તે સૂર્ય ગ્રહ તરીકે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ વ્યક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે અને વ્રત રાખે છે તો તે તમામ પ્રકારના પાપોથી મુક્તિ મેળવે છે. અરૂણોદય દરમ્યાન સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને વ્યક્તિ તમામ પ્રકારના રોગોથી મુક્ત રહે છે. આથી રથ સપ્તમીને આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">