સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…
‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ વિશેનો ઉલ્લેખ છે. આ વર્ષો જૂનો ગ્રંથ આજે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે મૂકાયેલો છે. પરંતુ આ ગ્રંથ ઘણો જ જૂનો અને અલૌકિક હોવાથી આ ગ્રંથના જ્ઞાનનો લાભ આવનારી પેઢીઓને […]
‘હરિચરિત્રામૃત સાગર’ સ્વામીનારાયણ સંપ્રદાયનો 160 વર્ષ જૂનો ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામીનારાયણના દૈનિક વિચરણ તથા ભગવાન સ્વામીનારાયણ હયાત હતાં તે સમયના ઉત્સવો અને સમૈયાઓ વિશેનો ઉલ્લેખ છે. આ વર્ષો જૂનો ગ્રંથ આજે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે મૂકાયેલો છે. પરંતુ આ ગ્રંથ ઘણો જ જૂનો અને અલૌકિક હોવાથી આ ગ્રંથના જ્ઞાનનો લાભ આવનારી પેઢીઓને પણ મળી રહે તે આશયથી આ ગ્રંથને ‘ટાઈટેનિયમ ગ્રંથ’ બનાવવાનું નક્કી કરાયું.
શું છે ‘ટાઈટેનિયમ ગ્રંથ’? કેવી રીતે તૈયાર કરાયો ‘ટાઈટેનિયમ ગ્રંથ’?
‘હરિચરિત્રામૃત સાગર’ના દરેક અક્ષરની ટાઈટેનિયમ પ્લેટ પર કોતરવામાં આવ્યો છે. સંતો અને હરિભક્તોની છેલ્લા 3 વર્ષોની અથાગ મહેનત બાદ આ ટાઈટેનિયમ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું વજન 778 કિલો છે જ્યારે 6202 ટાઈટેનિયમ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ પ્લેટ્સ અને ગ્રંથનું વજન કુલ મળીને 1047 કિલો થાય છે.
કેમ તૈયાર કરાયો ‘ટાઈટેનિયમ ગ્રંથ’?
આ ગ્રંથ 160 વર્ષ જૂનો હોવાથી શક્યતા હતી કે આવનારા સમયમાં ગ્રંથ સારી પરિસ્થિતિમાં ન રહે. જેના કારણે આગામી પેઢીઓને આ ગ્રંથના જ્ઞાનનો લાભ ન મળે. પરંતુ હરિચરિત્રામૃત સાગર’નું ટાઈટેનિયમ વર્ઝન તૈયાર થતાં આગામી પેઢી પણ આ ગ્રંથનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયની આ પહેલી એવી ઘટના છે જેમાં કોઈ ગ્રંથની ટાઈટેનિયમ પ્લેટ પર કોતરણી કરવામાં આવી હોય.
હજારો હરીભક્તો સાથે નીકળી ગ્રંથયાત્રા
3 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલા આ ગ્રંથ માટે ખાસ યાત્રા યોજવામાં આવી. વડોદરાના કારેલીબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિરથી વાજતે ગાજતે આ ગ્રંથયાત્રા નીકળી જેમાં 4 હજાર જેટલા હરીભક્તો જોડાયા. આ તમામ હરીભક્તો વડોદરાથી પગપાળા વડતાલ મંદિર પહોંચશે અને આ ટાઈટેનિયમ ગ્રંથ મંદિરમાં અર્પણ કરશે.