Bank Locker Rules : RBI એ નવા લોકર નિયમોના અમલીકરણ માટે સમયમર્યાદા લંબાવી, જાણો નિયમોમાં શું થયો ફેરફાર

આરબીઆઈએ કહ્યું કે આ કારણોસર બેંકોની સમયમર્યાદા ધીમે ધીમે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી રહી છે. નોટિફિકેશન મુજબ બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ 2023 સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા વિશે માહિતગાર કરે.

Bank Locker Rules : RBI એ નવા લોકર નિયમોના અમલીકરણ માટે સમયમર્યાદા લંબાવી, જાણો નિયમોમાં શું થયો ફેરફાર
Bank Locker Rules
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 6:45 AM

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જાહેરાત કરી છે કે તેણે વર્તમાન સેફ ડિપોઝિટ લોકર ના ગ્રાહકો માટે એગ્રીમેન્ટ રીન્યુઅલની પ્રક્રિયા તબક્કાવાર રીતે પૂર્ણ કરવાની સમયમર્યાદા બેંકો માટે લંબાવવામાં આવી છે. હવે બેંક અને ગ્રાહકો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર 2023 સુધી રિન્યૂ કરવામાં આવશે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. ઘણી બેંકોએ હજુ સુધી ગ્રાહકોને નિયત તારીખ જાન્યુઆરી 1, 2023 પહેલા આ નિયમન પાલનની જરૂરિયાત વિશે જાણ કરાઈ ન હતી. આ ઉપરાંત ભારતીય બેંક એસોસિએશન (IBA) દ્વારા સંશોધિત માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવા માટે તૈયાર કરાયેલ મોડેલ કરારમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.

આરબીઆઈએ કહ્યું કે આ કારણોસર બેંકોની સમયમર્યાદા ધીમે ધીમે 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી રહી છે. નોટિફિકેશન મુજબ બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ 2023 સુધીમાં સુધારેલી માર્ગદર્શિકા વિશે માહિતગાર કરે. 30 જૂન અને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના વર્તમાન ગ્રાહકોમાંથી ઓછામાં ઓછા 50 ટકા અને 75 ટકા ગ્રાહકો સુધારેલા કરાર પર સહી કરી છે.

બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ગ્રાહકો માટે સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ, કોન્ટ્રાક્ટના ઈલેક્ટ્રોનિક અમલીકરણ, ઈ-સ્ટેમ્પિંગ વગેરે દ્વારા નવા અથવા વધારાના સ્ટેમ્પવાળા કરારો કરે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે પગલાં લેવા જોઈએ.આ ઉપરાંત તેની એક નકલ ગ્રાહકને પણ આપવાની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

બધા લોકર અનફ્રીઝ કરવામાં આવશે

આરબીઆઈના નોટિફિકેશન મુજબ જ્યાં 1 જાન્યુઆરી, 2023 સુધી કરારનું પાલન ન થવાને કારણે જે લોકર્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે તેમને તાત્કાલિક અનફ્રીઝ કરવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 18 ઓગસ્ટ 2021ના રોજ એક પરિપત્રમાં સેફ ડિપોઝિટ લોકર્સ માટે અપડેટ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકામાં અન્ય બાબતોની સાથે બેંકોએ 1 જાન્યુઆરી, 2023 સુધીમાં હાલના લોકર ધારકો સાથે અપડેટેડ કોન્ટ્રેક્ટ કરવાની જરૂર જણાવાઈ છે.

આ સંજોગોમાં બેંક વળતર આપશે

RBIના નવા નિયમો અનુસાર હવે ગ્રાહકોને મોટો ફાયદો થશે. જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખવામાં આવેલ સામાનને નુકસાન થાય છે, તો બેંકને ચૂકવણી કરવી પડશે. એટલે કે હવે નવા નિયમ મુજબ બેંકની જવાબદારી વધી ગઈ છે. એટલું જ નહીં, બેંકના કર્મચારીઓ દ્વારા છેતરપિંડીથી થયેલા નુકસાનની ભરપાઈ પણ બેંક કરશે. આ હેઠળ, બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની હશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">