ચારધામ

ચારધામ

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. હિન્દુ ધર્મમાં બે પ્રકારની ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. એક બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. આ ચાર ધામ એટલા પવિત્ર છે કે એવું માનવામાં આવે છે કે આ ધામોની મુલાકાત લેવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.

શાસ્ત્રો અનુસાર ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આવી વ્યક્તિને નશ્વર જગતમાં ફરી જન્મ લેવો પડતો નથી, તેને મોક્ષ મળે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અહીં 6 મહિના સુધી આરામ કરે છે. આના કારણે અહિં છ મહિના મંદિરના કપાટ બંધ રહે છે, અને છ મહિના માટે ફરી તેને દર્શન માટે ખોલવામાં આવે છે.

 

Read More

ચારધામમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ, મંદિર પાસે વિડીયોગ્રાફી કરનાર સામે પોલીસ કેસ કરાશે

ચાર ધામ મંદિરોના પરિસરથી 50 મીટરની અંદર રીલ બનાવવા અથવા વિડીયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવે, અધિકારીઓને તેનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચારધામ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન બે દિવસ માટે કરાયું બંધ, ભક્તોની ભારે ભીડને કારણે મોટો નિર્ણય

Chardham Yatra News : ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટેની જરૂરી વ્યવસ્થા જાળવવી સરકાર માટે એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. 22-25 કલાક સુધી ચારધામ યાત્રાના હાઇવે પર મુસાફરો અટવાયા છે. આવી સ્થિતિમાં સરકારે બે દિવસ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે.

બદ્રીનાથમાં અવ્યવસ્થાને લઈને યાત્રિકો-સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, VIP દર્શન બંધ કરાવવા દુકાનો બંધ રખાઈ

બદ્રીનાથ દર્શન માટે આવતા સામાન્ય લોકોને VIP દર્શન વ્યવસ્થાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બદ્રીનાથમાં VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ સાથે પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. અડધો ડઝનથી વધુ માંગણીઓના સમર્થનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો માટે પરંપરાગત માર્ગો પરથી બેરીકેટ્સ હટાવવા અને મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા પૂરી પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ફસાયા, યમનોત્રી-ગંગોત્રીનું ઓફલાઈન રજીસ્ટ્રેશન 10 દિવસ કરાયુ બંધ

આ વર્ષે ચારધામ યાત્રાએ જઈ રહેલા યાત્રિકોની મોટી સંખ્યાને કારણે તંત્ર દ્વારા ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી કરીને આ બન્ને યાત્રાધામ ખાતે ઉમટેલા યાત્રિકોની સંખ્યાને નિયંત્રિત કરી શકાય. સૌરાષ્ટ્રથી ચારધામની યાત્રાએ ગયેલા અનેક યાત્રિકો રસ્તામાં ફસાયા હોવાનુ સામે આવ્યું છે.

બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલ્યા, પહેલા જ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ, જુઓ Video

કેદારનાથ બાદ આજે સવારે ચારધામ યાત્રા અંતર્ગત બદ્રીનાથ ધામના દરવાજા પણ ખુલી ગયા છે. જ્યાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે.બદ્રીનાથ ધામના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર અને શ્રી બદ્રી વિશાલ લાલ કી જયના ​​નારા સાથે ખોલવામાં આવ્યા હતા. આ સમયે 20 હજારથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામના દરવાજા શુભ મુહૂર્તમાં ખુલ્યા, ભક્તોમાં અનેરો ઉત્સાહ, જુઓ Video

અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર શુક્રવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે બાદ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. કેદારનાથ બાદ ગંગોત્રીના અને ત્યાર બાદ યમુનોત્રી ધામના દરવાજા પણ ભાવિક ભક્તો માટે ખોલી દેવાયા છે.

ચારધામની યાત્રાએ આ વર્ષે જવું હોય તો રજિસ્ટ્રેશન કરાવી લો, આ રીતે ઘરે બેઠા જ કરો રજિસ્ટ્રેશન

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા માટે જવા માંગતા યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. ચાર ધામ યાત્રાની સરકારી વિભાગો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મે મહિનામાં ચારેય ધામોના દરવાજા ખુલશે અને ભક્તો તેમના ઇષ્ટદેવના દર્શન કરી શકશે.

અમરનાથ યાત્રાએ જવાના છો ? આજથી નોંધણી પ્રક્રિયા શરુ, જાણો કેવી રીતે કરશો Online રજિસ્ટ્રેશન

અમરનાથ યાત્રા 2024 માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચાલો જાણીએ કે 29મી જૂન 2024થી શરૂ થતી આ યાત્રા માટે ઓનલાઈન પરમિટ કેવી રીતે ડાઉનલોડ કરવી.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">